કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ભારે વરસાદને કારણે રફાળેશ્વરનો મેળો રદ

તરણેતર અને રફાળેશ્વર સંબંધિત પંચાયતે ઠરાવ કર્યો

વાંકાનેર: ભારે વરસાદને કારણે સાતમ – આઠમના મેળા રદ થયા બાદ મોરબીના પ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિરે યોજાતો લોકમેળો પણ બંધ રાખવામાં આવશે તેવી સતાવાર જાહેરાત અયોજક જાંબુડિયા ગ્રામ દ્વારા કરવામાં આવી છે ઉપરાંત તરણેતરના મેળાનું સંચાલન તરણેતર ગ્રામ પંચાયત કરે છે, પરંતુ વર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિમાં તરણેતર ગ્રામ પંચાયતે મેળાનું આયોજન કરવાની ના પાડી દીધી છે.

મોરબી તાલુકાની જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા સતાવાર જાહેરાત કરી ભારે વરસાદ તથા હવામાન વિભાગની આગાહી ધ્યાનમાં લેતા જાહેરહિતમાં આગામી તારીખ 1 સપ્ટેમ્બર તથા 2 સપ્ટેમ્બરના રોજ રફાળેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં યોજાતો અમાસના મેળાનું આયોજન બંધ રાખવામાં આવેલ હોવાનું જેની તમામ ભક્તજનોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!