વાંકાનેર: વાંકાનેર તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પર્વ ઉપર વર્ષોની પરંપરા મુજબ ભવ્ય રેલી કાઢીને શીતળા માતાજીના મેદાનમાં પહોંચીને શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયને શહેરમાંથી રેલી કાઢતા તેમનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું.
વાંકાનેરમાં દશેરા નિમિતે વર્ષોની પરંપરા મુજબ ક્ષત્રિય સમાજ દ્વારા હાઇવે ગરાસિયા બોર્ડિંગ ખાતેથી ભવ્ય રેલી કાઢવામાં આવી હતી અને ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકોએ વિવિધ શસ્ત્રો ધારણ કરી વાહનોમાં બેસીને આ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન ઘોડેસવારીના કરતબો કરવામાં આવ્યા હતા. આ ભવ્ય રેલી શહેરના મુખ્યમાર્ગો ઉપર ફરીને શીતળા માતાજીના મેદાનમાં પહોંચી હતી. જ્યાં ક્ષત્રિય સમાજના લોકોએ પરંપરાગત સોફા ધારણ કરીને મોટી સંખ્યામાં પોતાના શસ્ત્રોનું પૂજન કર્યું હતું