કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હડમતીયા રામજી મંદિરની પૂન: પ્રાણ પ્રતિષ્ઠા

મંદિરના 100 વર્ષ પૂરા થયા

ટંકારા પંથકમાં દરેક ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા હડમતીયા (પાલનપીર) ગામે આસ્થા પ્રતિક સમાન રામજી મંદિરની સ્થાપનાને 100 વર્ષ પૂરા થતા પૂન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. તા.2/2ને રવિવાર તથા તા.3/2ને સોમવારના રોજ આ મહોત્સવ પ્રસંગે આખા ગામને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને ધજા-પતાકા રંગોળીથી ગામમાંં તહેવાર જેવું વાતાવરણ હતું  પૂજા-અર્ચના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું…

આ પ્રસંગે શોભાયાત્રાનું શાનદાર આયોજન થયેલ અને સંસ્થાબંધ લોકો આ શોભા યાત્રામાં જોડાયા હતાં. આ પ્રસંગે નોકરી ધંધા અર્થે બહાર ગામ રહેતા સંખ્યાબંધ ગ્રામજનો ગામમાં ઉમટી પડયા હતાં. 100 વર્ષ પહેલા આ રામજી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી…

ત્યારે મોરબી ઠાકોર સાહેબે 600 રૂ।.નું અનુદાન આપેલ તેમ ગામના અગ્રણી દિનેશભાઈ રાણસરીયાએ જણાવ્યું હતું. આ તકે તા.3/2ને સોમવારના રોજ સાંજે ધુમાડાબંધ ગામને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું .આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા ગામના યુવાનો તન,મન,ધનથી સેવા આપી ગામની એકતાના દર્શન કરાવ્યા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!