કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સણોસરામાં ઐતિહાસિક દરબારગઢનું રીનોવેશન શરૂ

ઐતિહાસિક જુના દરબારગઢ સાથે કસ્તુરબા સહિતના મહાનુભાવોના સંસ્મરણો વણાયેલા છે

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના પ્રયાસોથી સણોસરામાં ઐતિહાસિક દરબારગઢનું રૂા. 2.77 કરોડના ખર્ચે રીનોવેશન આજથી શરૂ થવા પામેલ છે. આ કામગીરીનું ખાતમુહૂર્ત આજે કલેકટર પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.


અહીં ઉલ્લેખનીય છે કે, સણોસરાનો આ ઐતિહાસિક જુનો દરબારગઢ સાથે કસ્તુરબા સહિતના મહાનુભાવોના સંસ્મરણો વણાયેલા છે. આ દરબારગઢના રીનોવેશન માટે આઠ વર્ષ પહેલા યોજના બનાવવામાં આવી હતી.


જે બાદ આ પ્રોજેકટની કામગીરી આગળ વધી શકી ન હતી. પરંતુ કલેકટર પ્રભવ જોશી આ પ્રોજેકટ હાથ પર લઇ આ અંગે ટેન્ડરીંગ પ્રક્રિયા કરી જુના દરબારગઢનું રીનોવેશન માટેની કામગીરી શરૂ કરાઇ છે.


આ અંગે આજે આ પ્રોજેકટનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કલેકટર પ્રભવ જોશી માલીયાસણમાં છ એકર જમીનમાં જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવી આ જમીન નેચર કેમ્પ માટે વિકસાવવા માટે ખાસ યોજના ઘડી કાઢી છે. આ માટે પણ કલેકટર પ્રભવ જોશીએ આજે માલીયાસણ પહોંચી રીવ્યુ મીટીંગ લીધી હતી.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!