લીંબાળા માલધારી નેશ શાળાના આચાર્યનો પુત્ર બંસી સતાસીયાની ખેતીવાડી અધિકારી તરીકે પસંદગી
વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ,પૂર્વ બી.આર.સી.કો.ઓ.અને માલધારી નેશ શાળાના આચાર્ય અશોકભાઈ સતાસીયાના પુત્ર બંસી સતાસીયાએ તાજેતરમાં Gujarat Public Service Commission જી.પી.એસ.સી.દ્વારા લેવાયેલી પ્રિલીમ,મેઈન્સ અને ઓરલ એક્ઝામમાં ઝળહળતો દેખાવ કરી સમગ્ર ગુજરાતમાં 49મો ક્રમાંક પ્રાપ્ત કરી કલાસ-2 ખેતીવાડી અધિકારી તરીકે પસંદગી મેળવી છે.
બંસીની ખેતીવાડી અધિકારી તરીકે પસંદગી થતા ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમજ પોતાની નોકરી દરમિયાન ખેડૂતોની જરૂરી મદદ કરતા રહે એવી અભિલાષા પણ વ્યક્ત થઈ રહી છે.