કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ખેરાળી દરબારગઢના શ્રીશક્તિ માતાજી મંદિરે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન

વાંકાનેર વઘાસીયામાં લીલાધર યોગાશ્રમના સ્વામી અક્ષયાનંદજીની પ્રેરણાથી આયોજન

રાજકોટ : સુરેન્દ્રનગરના ખેરાળી દરબારગઢ ગામે આવેલા શ્રીશક્તિ માતાજીના મંદિરે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેર વઘાસીયામાં લીલાધર યોગાશ્રમના સ્વામી અક્ષયાનંદજીની પ્રેરણાથી ઝાલા-રાણા પરિવાર દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે 1 એપ્રિલથી શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થશે.

વાંકાનેરવાળા ભાગવત કથાકાર શાસ્ત્રી પ્રભુલાલજી પંડ્યા વ્યાસપીઠ પરથી ભાવિકોને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. ભાગવત કથા રોજ સવારે 9થી 12 તેમજ બપોરે 3.30થી 6 કલાક સુધી ચાલશે. કથા દરમિયાન રોજ ત્રણ ટાઈમ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના યજમાન રાણા અજયસિંહ રણજીતસિંહ અને રાણા પુષ્પરાજસિંહ અજયસિંહ છે.

ભાગવત કથામાં માંગલિક પ્રસંગો
1 એપ્રિલ : પોથીજીની શોભાયાત્રા
3 એપ્રિલ : કપિલ ભગવાન પ્રાગટ્ય
3 એપ્રિલ : નૃસિંહ ભગવાન પ્રાગટ્ય
4 એપ્રિલ : વામન ભગવાન પ્રાગટ્ય
4 એપ્રિલ : શ્રીરામ ભગવાન પ્રાગટ્ય
4 એપ્રિલ : શ્રીકૃષ્ણ ભગવાન પ્રાગટ્ય તથા નંદ મહોત્સવ
5 એપ્રિલ : શ્રી ગોવર્ધન પૂજા
5 એપ્રિલ : શ્રીકૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ
6 એપ્રિલ : ભક્ત સુદામા ચરિત્ર
7 એપ્રિલ : કથા પૂર્ણાહુતિ

Content Copying Forbidden !!

error: Content is protected !!