વાંકાનેર: હસનપર ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત કરવામાં આવી હોય જે મંજુર થતા તાલુકા વિકાસ અધિકારીએ એક્શન લઈને સરપંચને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે અને ઉપસરપંચને ચાર્જ સોપવામાં આવ્યો છે…



તાલુકા વિકાસ અધિકારી વાંકાનેર દ્વારા કરવામાં આવેલ હુકમમાં જણાવ્યું છે કે હસનપર ગ્રામ પંચાયત સદસ્યો દ્વારા હસનપર ગ્રામ પંચાયતના સરપંચ કાજલબેન અજયભાઈ પરસોંડા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હોય જે ખાસ સભામાં પસાર થઇ ગઈ છે અને ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ પ્રસ્તાવ પસાર કર્યાની તારીખથી ત્રણ દિવસની મુદત પછી સરપંચનો હોદો ધરાવતા બંધ થતા હોય જેથી સરપંચના કારોબારી કર્યો અને ફરજો નક્કી થયેલ છે નીયમ મુજબ સરપંચ તરીકેના કાર્યો અને ફરજો આ કાર્યાલય આદેશથી હસનપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ રમેશભાઈ સારલાએ જ્યાં સુધી સરપંચની જગ્યા ભરાઈ નહિ ત્યાં સુધી સરપંચના કાર્યો અને ફરજો બજાવવાનો આથી કાર્યાલય આદેશ કરવામાં આવ્યો છે…