પાલિકા ઉપપ્રમુખ દ્વારા અધૂરા કામોને શરૂ કરવા સૂચના
વાંકાનેર: વિધાનસભા ગૃહમાં વાંકાનેર શહેરમાં ભુગર્ભ ગટર યોજના અંતર્ગત કરાયેલ કામ અંગે વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્ર કાંતીલાલ સોમાણી દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વાંકાનેર શહેરની ભૂગર્ભ ગટર યોજનાને રૂ. ૫.૭૪ કરોડની મંજુરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત તા. ૩૧/૧૨/૨૦૨૪ની સ્થિતિએ રૂ. ૪૭.૬૫ લાખનો ખર્ચ થયો છે . કુલ મંજુર થયેલ કામ પૈકી ૩૫% કામ પૂર્ણ થયેલ છે, બાકીના કામો ડિસેમ્બર – ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું…
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થાપનાના ૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે અને વઘતી જતી શહેરીકરણની ઝડપ અને તે અન્વયે ઉપસ્થિત થયેલ પડકારોને પહોંચી વળવા રાજયના શહેરોના સર્વાંગી વિકાસ માટે વર્ષ ૨૦૦૯માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલી બનાવાઈ હતી. આ યોજના અંતર્ગત વાંકાનેર નગરપાલિકાની ભુગર્ભ ગટર યોજના (ભાગ-ર) માં કલેકટીંગ નેટવર્ક, હાઉસ કનેકશન તથા ર વર્ષ મરામત અને નિભાવણીના કામો કરાયા છે….
આ ઉપરાંત મોરબી જિલ્લાની નગરપાલિકામાં કેટલી ક્ષમતાના STP(સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)ની કામગીરી વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે, વાંકાનેરમાં ૫.૮ MLDની ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, હળવદમાં ૬.૭ MLD અને માળીયા મિયાણામાં ૨.૫ MLD ની ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
પાલિકા ઉપપ્રમુખ દ્વારા અધૂરા કામોને શરૂ કરવા સૂચના
વાંકાનેર નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષિત સોમાણી દ્વારા ચાર્જ સાંભળતાની સાથે જ નગરપાલિકા વિસ્તારમાં બાકી રહેલા કામોની વિગતો મેળવી હતી પાલિકા વિસ્તારમાં લાઈટ, પાણી, સાફ સફાઈ જેવી પ્રાથમિક સુવિધા લોકોને મળી રહે સાથે જ પાલિકાના અલગ અલગ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને મળી જે કાંઈ ફરિયાદો તેમજ બાકી રહેલા કામો ત્વરિતપણે શરૂ કરવા સૂચના અપાઈ હતી.
પાલિકાના યુવા અને શિક્ષિત ઉપ પ્રમુખ હર્ષિત સોમાણી દ્વારા ચાર્જ સાંભળતાની સાથે જ એકશન મોડમાં આવી ગયા હોય એવું જોવા મળ્યું હતું આગામી દિવસોમાં શહેરમાં બાકી રહેલ રોડ રસ્તા તેમજ પાણી, લાઈટ જેવી પ્રાથમિક સુવિધા લોકોને મળી રહે સાથે સ્વચ્છતા બાબતે પૂરતું ધ્યાન આપવા કર્મચારીઓને સૂચના પણ અપાઈ સાથે ભવિષ્યમાં લોક ઉપયોગી કામોને વેગ આપી લોકો પ્રશ્નોને પ્રાથમિકતા આપી સંતોષકારક કામગીરી કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું…