ખેતીની જમીન પણ ધોવાઈ
વાંકાનેર: તાલુકાના કાનપર ગામે મજૂરીએ ગયેલા પરપ્રાંતીય મજુર તેમની પત્ની અને ત્રણ બાળકો સાથે બે વોંકળા વચ્ચે આવેલી વાડીએ ફસાયા હતા. જે વાડી પર તેઓ મજૂરી માટે ગયા હતા ત્યાં રહેવા જમવાની કોઈ વ્યવસ્થા નહોતી. વરસાદને પગલે આ ખેતરની આગળ આવેલ વોંકળામાં પાણી આવી જતા આ પરિવાર ખેતરમાં જ ફસાયો હતો.





વહીવટી આ બાબત તંત્ર ને ધ્યાને આવતા વાંકાનેર સ્થાનિક અધિકારીઓ એન.ડી.આર.એફ.ની ટીમ સાથે કાનપર પહોંચી ગયા હતા. ખૂબ જહેમત બાદ પરિવારના પાંચે સભ્યોનો આબાદ બચાવ થયો છે. આ બચાવ કામગીરીમાં એન.ડી.આર.એફ.ની ટીમ સાથે વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીના માર્ગદર્શન હેઠળ મામલતદાર યુ.વી કાનાણી તથા તાલુકા વિકાસ અધિકારી રિઝવાન કોંઢીયા સહિત અધિકારી/કર્મચારીઓ જોડાયા હતા…
કાનપર મહીકા રોડ પરનું નાળું તો તૂટ્યું જ છે, ઉપરાંત ખેતીની જમીન પણ ધોવાઈ છે. એમ સૈફુલ માથકીયા જણાવી રહ્યા છે…

