કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેર રાજપરિવાર ગજાનન મહારાજના દર્શને

રાજાશાહી ગયે તો સાત દાયકાથી વધુ સમય વીતી ગયો છતાં રાજાશાહીમાં જે રાજા પ્રજાવત્સલ રાજવીની છાપ છોડી ગયા તે રાજવીઓના વંશજોને પ્રજા આજે પણ પૂરું માન સન્માન આપે છે…

આમ તો વાંકાનેરના પૂર્વ મહારાજ કુમાર શ્રી રણજીતસિંહજી (IAS, નિવૃત્ત) વર્ષોથી દિલ્હીમાં રહે છે અને WWF India તથા INTACH જેવી ટોચની સંસ્થાઓના સહયોગમાં રહી પ્રકૃતિ અને સંસ્કૃતિના રક્ષણ, જતન તેમજ જાગૃતિના કાર્યમાં અતિ વ્યસ્ત રહે છે તેથી વાંકાનેરમાં આવી જનસંપર્કમાં રહેવાનું જવલ્લેજ બને છે.
તાજેતરમાં ચાલી રહેલ ગણેશ ઉત્સવ દરમ્યાન તારીખ ૧૧ મી સપ્ટેમ્બરના મહારાજકુમાર સાહેબને વાંકાનેર આવવાનું થતાં તેઓ તથા તેમના કુંવરીબા અને વડોદરાના મહારાણી શ્રી રાધિકા રાજે ગાયકવાડ વાંકાનેરના ટાઉન હોલમાં બિરાજતા ગજાનન મહારાજના દર્શને પધાર્યા ત્યારે વાંકાનેરના ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, જાણીતા ડોકટર કિરણ ગોસાઈ, ડો. ભિમાણી સહિત ઉપસ્થિત સર્વે નગરજનોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું, ડો. જયવિરસિંહ ઝાલા તથા શ્રી રાજભા જાડેજા (ઓમ લેબોરેટરી)એ મહારાજકુમાર સાહેબનું તેમજ ડૉ. સ્નેહલબા ઝાલા તથા શ્રીમતી જયશ્રીબાએ કુંવરીબા સાહેબનું સાલ ઓઢાડી નગરજનો વતી સન્માન કર્યું. આ પૂર્વ રાજ પરિવારના બંને સદસ્યોશ્રીએ પ્રજાજનો સાથે ભાવ વિભોર થઇ આરતીના સમાપ્તિ સમય સુધી ખડે પગે રહી ગજાનન મહારાજના દર્શન કર્યા…

Content Copying Forbidden !!

error: Content is protected !!