કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વીજ કરંટ લાગે તો શું કરવું? શું ન કરવું?

ગરમ વસ્ત્રોથી ઢાંકીને સૂવાનો પ્રયત્ન ન કરો: પાણી ન પીઓ

વીજ કરંટ લાગે તો લોકો ડરી જાય છે. માણસને બચાવી શકાય તે માટે વિવિધ ઘરેલું ઉપચાર શરૂ કરવામાં આવે છે. ગામડાઓમાં, જ્યારે લોકો પોતાને ગરમ વસ્ત્રોથી ઢાંકીને સૂવાનો પ્રયત્ન કરે છે, ત્યારે ઘણા લોકો પાણી લાવે છે. તેમને લાગે છે કે તેમને પીવા માટે પાણી આપવાથી ઇલેક્ટ્રિક કરંટની અસર ઓછી થઈ જશે. પરંતુ નિષ્ણાતોના મતે, આ બંને પગલાં બિલકુલ ન લેવા જોઈએ.
જેના કારણે મૃત્યુનું જોખમ રહેલું છે. ઓનલાઈન પ્લેટફોર્મ Quora પર પૂછવામાં આવ્યું હતું કે જો તમને વીજળીનો કરંટ લાગે તો તમારે કેટલા સમય પછી પાણી પીવું જોઈએ?

વીજ કરંટ પછી પાણી પીવાનું ટાળવું જોઈએ, કારણ કે તે જીવલેણ સાબિત થઈ શકે છે. જો તમે અથવા તમારી આસપાસના કોઈએ વીજળીના કરંટને ટચ કર્યો છે, તો તમારે પોતાના ન્હાવા અથવા શરીરને ધોવાની જરુરત નથી. ઓછામાં ઓછા 30 મિનિટ સુધી રાહ જોવી જોઈએ જેથી જ્યાં કરંટ લાગે છે તે જગ્યા સુકી રહે. કારણકે, એટલીવાર સુધી શરીરમાં કરંટનો અસર હોય છે. અડધા કલાક પાણીથી દૂર રહેવા પર તમારા શરીરમાં હાજર કરંટ અવશોષિત થઈ જશે. કરંટ લાગ્યા બાદ તમને તાવ આવી શકે છે. થાક અને છાતીમાં દુખાવો થઈ શકે છે. જો આવું થાય તો તરત ડૉક્ટરને સંપર્ક કરો.


કરંટ લાગે તો સૌથી પહેલા શું કરવું?
હવે જાણીએ કે કરંટ લાગે તો સૌથી પહેલા શું કરવું? જો તમારી આસપાસ કોઈને કરંટ લાગે છે તો સૌથી મહત્વની વાત છે કે જ્યાં સુધી વીજ સંપર્ક તૂટી ન જાય ત્યાં સુધી તેને અડકશો નહીં. તુરંત, ઈલેક્ટ્રિસિટી સપ્લાઈ બંધ કરી દો. પ્રયત્ન કરો કે રબરના જૂતા પહેરો અને લાકડીના ઉપકરણોનો ઉપયોગ કરો. તે વ્યક્તિને સમજાવો કે કોઈ તકલીફ નથી થવાની. જુઓ, તેને શ્વાસ લેવાની કોઈ તકલીફ તો નથી થઈ રહી ને. વ્યક્તિ ભાનમાં હોય કે નહીં તુરંત તેને ડૉક્ટરની પાસે લઈ જાવ.
સૌજન્ય: ન્યુઝ 18 ગુજરાતી

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!