વાંકાનેર: શહેરની અને તાલુકામાં વધેલ વાહનોની વધેલ સંખ્યા અને વધેલી અવરજવરને ધ્યાને લઇ અને શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટે એ
માટે જાણવા મળ્યા મુજબ ત્રણેક થયેલ સર્વે પૈકી એક સર્વે નેશનલ હાઇવે લોકશાળા પાસે થઈને રાજાવડલા અને પછી નવા રાજાવડલા અને પછી ગંજપીર બાવાની
દરગાહ પાસેથી પસાર થઇ અમરસર ફાટકથી રાજકોટ રોડ તરફ જતા રોડને જોડતો બાયપાસ બનાવવાનું સરકારશ્રીનું આયોજન છે અને
તે માટેનું સર્વે સંબંધિત ખાતા દ્વારા થયેલ હતું. રાજકોટ રોડને આ બાયપાસ ગંજપીર બાવાની દરગાહનો જે કાચો રસ્તો છે, તેનાથી રાજકોટ તરફ
જ્યાં ફાટકથી સીધું ચઢાણ પૂરું થાય છે, ત્યાં જોડવાનું આયોજન હતું. એટલે કે દરગાહે જવાના કાચા રસ્તાથી લગભગ બે હજાર ફૂટ રાજકોટ તરફ આ જોડાણ
રહેશે એમ મનાય છે. જો આ બાયપાસ બને તો નેશનલ હાઇવેથી રાજકોટ તરફ જવા માંગતા વાહનોને શહેર વીંધવું પડે નહીં અને
આપના મોબાઇલમાં સૌ પ્રથમ અને સીધા જ સમાચાર માટે

આસાની રહે. આ આયોજન વહેલી તકે આગળ વધે, એવી લોકોની ઈચ્છા છે.