કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેરના સરપંચોનું યુનિયન કેમ નહિં?

સરપંચોએ આ બાબતમાં વિચારવું જોઈએ. બધા સરપંચો નબળા મનના હોતા નથી

ગુજરાતના ૩૩ જીલ્લાના ૨૪૯ તાલુકાઓના ૧૪૦૧૭ સરપંચો પૈકી વાંકાનેર તાલુકાના ૯૦ સરપંચોનું કોઇ યુનિયન નથી. ગુજરાતના અન્ય ભાગ્યેજ તાલુકા હશે, જયાં સરપંચોનું યુનિયન નહિં હોય.


આવા યુનિયનથી સરપંચની આભા ઊંચી જતી હોય છે અને સરકારી વિકાસના કામોમાં સરળતા રહેતી હોય છે. એકબીજાને ટેકો અને માર્ગદર્શન મળી રહેતું હોય છે. કોઈ પણ રાજકારણ વચ્ચે લાવ્યા વિના અને પોતાનું હિત જોખમાતું જોઇ જો કોઇ રાજકીય આગેવાન રોકતો હોય તો પણ તેને અવગણીને વાંકાનેર તાલુકાના સરપંચોએ આ બાબતમાં વિચારવું જોઈએ. બધા સરપંચો નબળા મનના હોતા નથી.
સક્ષમ, જાણકાર અને અનુભવી સરપંચોએ આ બાબતમાં આગળ આવવું જોઇએ. આ યુનિયનની દર ત્રણ માસે એક વાર મીટીંગ મળે.પછી જો જો કેટલું લાભકારક બની રહે છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!