રાતીદેવડીના વૃદ્ધા સારવારમાં: ટંકારામાં બાઇક આડે કૂતરું ઉતર્યુ
વાંકાનેર: તાલુકાના પંચાસિયા ગામની સીમમાં મહંમદભાઈ આહમદભાઈ ખોરજીયાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની મંજુલાબેન રાજેશભાઈ ઉર્ફે વિશાલભાઈ નાયકા ઉ.40 નામના પરિણીતાને તેમના પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા 

તા.3 જાન્યુઆરીના રોજ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તા.7ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

રાતીદેવડીના વૃદ્ધા સારવારમાં: ટંકારામાં બાઇક આડે કૂતરું ઉતર્યુ
જ્યારે વાંકાનેરના રાતીદેવડી ગામે રહેતા સવિતાબેન ભગવાનજીભાઈ કણજારીયા નામના ૬૦ વર્ષના વૃદ્ધાને બીમારી સબબ મોરબી ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
ટંકારા ખાતે રહેતા હનીફાબેન યુનુસભાઈ શેરસિયા નામના પર વર્ષના મહિલા બાઇક પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં કૂતરું આડુ ઉતર્યુ હોય વાહન સ્લીપ થયુ હોવાથી ઈજા પામેલા હનીફાબેનને સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યા હતા…
