વાંકાનેર: સરતાનપર રોડ પર આવેલ એક કારખાનામાં રિવર્સ આવતા લોડરે મજૂરને હડફેટે લેતા મરણ નીપજેલ છે…

જાણવા મળ્યા મુજબ સાવિત્રીબેન રાજુલાલ શંકરલાલ નાયક (ઉ.વ.૨૯) રહે. હાલ. મોટો ઇટાલીનો સીરામીક, સરતાનપર રોડ તા.વાંકાનેર મુળ રહે, બાપચ્યા તા. સિતામઉં જી, મંદસૌર (મધ્યપ્રદેશ)વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે તા. ૧૭/૧૦/૨૦૨૫ ના હું તથા મારા પતિ રાજુલાલ મોટો ઇટાલીનો સીરામીકના માટી ખાતામાં મજુરીકામ કરતા હતા ત્યારે રાત્રીના આશરે સાડા નવેક વાગ્યા વખતે મારા પતિ

ચાલીને આવતા હતા ત્યારે લોડર ચાલકે પાછળ જોયા વગર લોડર રજી. નં. GJ-36 -S-34723472 રિવર્સ લેતા પાછળ લોડરના પાછળના ટાયરમાં હડફેટે લઈ પછાડી દઈ મારા પતિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા બેભાન થઈ ગયેલ ત્યાં આજુબાજુમાં કામ કરતા મજુરો જેમાં સીતાબેન, વિજયભાઇ તથા ગોરધનભાઇ ભેગા થઈ ગયેલ ત્યારે મનીષભાઈ માસ્તર અમારા કારખાનાની કાર લઈને આવેલ જેમાં મારા પતિને સુવડાવી વાંકાનેર સરકારી હોસ્પિટલે લાવેલ અહી ડોકટર સાહેબે મારા પતિને જોઇ તપાસી મરણ ગયેલનું જણાવેલ હતુ ..
