વાંકાનેર: સરતાનપર નજીક આવેલ સિરામિક પાછળના ભાગે પાણી ભરેલી ખાણમાં અકસ્માતે પગ લપસી જતા પડી ગયેલા મૂળ 18 વર્ષીય શ્રમિકનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.



જાણવા મળ્યા મુજબ સરતાનપર નજીક આવેલ કાસા સિરામિક પાછળના ભાગે પાણી ભરેલી ખાણમાં અકસ્માતે પગ લપસી જતા પડી ગયેલા મૂળ અરવલ્લી જિલ્લાના વતની કલ્પેશભાઈ દિનેશભાઈ હોથા ઉ.18 નામના શ્રમિકનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે…

