કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ચૂંટણીના ચોગાનમાં: ક્ષત્રિય યુવાનોનો કોંગ્રેસને ટેકો, યોગીની જાહેર સભા અને ખેંચાયેલા ઉમેદવારીપત્રકો

વાંકાનેર ધારાસભામાં વિસ્તારમાં વધુ બે ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પાછું ખેંચતા હવે ૧૫ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ઉમેદવારીપત્રક પાછું ખેંચવામાં બંને સણોસરાના જ અપક્ષ ઉમેદવારો હતા જેમાં (1) રીતેશભાઈ મનસુખભાઇ પરસાણા – અપક્ષ અને (2) રાજેન્દ્રભાઇ બટુકભાઈ માંડવીયા – અપક્ષ નો સમાવેશ થાય છે. ફોર્મ પાછું ખેંચવાનો કાલે છેલ્લો દિવસ છે.

હવે નીચે મુજબના ઉમેદવારો મેદાનમાં છે.

 (1) જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી  ભાજપ

 (2) મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદા – કોંગ્રેસ

(3) વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી – આમ આદમી પાર્ટી

(4) ભુપેન્દ્ર કનુભાઈ સાગઠીયા – બહુજન સમાજ પાર્ટી

(5) પ્રકાશભાઈ નારણભાઇ અજાડીયા – રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી

(6) મહેબુબભાઇ જમાલભાઈ પીપરવાડીયા – અપક્ષ

(7) જીતેશભાઇ રૂપાભાઇ સંતોલા – અપક્ષ

(8) નરેન્દ્રભાઈ દેંગાડા – અપક્ષ

(9) નરેન્દ્રસિંહ ઝાલા – અપક્ષ

(10) નવીનભાઈ અમૃતભાઈ વોરા – અપક્ષ

(11) મહેશકુમાર નરશીભાઈ ખંડેખા – અપક્ષ

(12) હીનાબેન પ્રવીણભાઈ રૈયાણી – અપક્ષ

(13) મેરામભાઇ કરમણભાઇ વરુ – અપક્ષ

(14) વલ્લભભાઈ કરસનભાઈ વાઘેલા – અપક્ષ

(15) રમેશભાઈ લવજીભાઈ ડાભી – અપક્ષ

મળતા અહેવાલો મુજબ વાંકાનેર તાલુકાના ક્ષત્રીય સમાજના યુવાનોએ કોંગ્રેસના ઉમેદવારને પોતાનો ટેકો જાહેર કરેલ છે. ભાજપના કેસરીસિંહના ટેકેદારો મનાતા આ યુવાનોએ ટેકો જાહેર કરતા ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. કેસરી સિંહ અને જીતુ સોમાણી વચ્ચે સમાધાન થઇ ગયું છે, આમ છતાં બનેલી આ ઘટના ચર્ચાના ચકડોળે ચડેલી છે.

તારીખ 18 અને શુક્રવારના રોજ યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીની એક જાહેર સભાનું આયોજન રાતીદેવરી રોડ ઉપર કરવામાં આવ્યું છે. સવારના 9:30 વાગે કિરણ સીરામીકના ગ્રાઉન્ડમાં આ સભા યોજાનાર છે. આ સભામાં અપાનારા વક્તવ્યોની પણ ચૂંટણી પ્રચાર ઉપર અસર થશે તેવું માનવામાં આવે છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!