કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category Uncategorized

પીપળીયા રાજ: 103 વર્ષની વયે અવસાન

વાંકાનેર: પીપળીયા રાજ ગામના પૂર્વ સરપંચ શેરસીયા હુસેનભાઈ વલીભાઈ (95861 52058) ના અમ્મીજાન અને તાલુકા પંચાયતના પીપળીયા રાજ સીટના સદસ્ય શેરસીયા અમીનાબેન હુસેનભાઈના સાસુનું ગઈ કાલે બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ 103 વર્ષની વયે અવસાન થયેલ છે. મરહુમાને અલ્લાહ પાક…

ધોરણ ૧૦/ ૧૨ના વાંકાનેર/ટંકારાના પરીક્ષા કેન્દ્રો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ દરમિયાન ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની નિયમિત, રિપીટર, પૃથક, ખાનગી ઉમેદવારો માટે પરીક્ષાઓ યોજાશે. જે અંતર્ગત આગામી તા. ૨૭/૦૨ થી ૧૭/૦3 દરમિયાન પરીક્ષાઓ…

પંચાસર રોડ પર પરનો એક મનો દિવ્યાંગ યુવક ગુમ

વાંકાનેર : વાંકાનેર-પંચાસર રોડ પર આવેલ ધરમનગર વિધાતા પોટરી સામેથી એક મનો દિવ્યાંગ યુવક ગુમ થયો છે… વાંકાનેરના માલાભાઈ પેથાભાઈ સાગઠીયાનો 34 વર્ષીય મનો દિવ્યાંગ પુત્ર રાજેશભાઈ સાગઠીયા ગુમ થયો છે. તેણે કાળા કલરનું ટી-શર્ટ પહેર્યું છે અને મુંડન કરાવેલું…

પાલિકા પૂર્વ પ્રમુખ વજુભા ઝાલાનું અવસાન: આવતી કાલે બેસણું

વાંકાનેર: અહીંના રાજપુત સમાજના પ્રમુખ તેમજ વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ વજુભા સજુભા ઝાલા 84 વર્ષની વયે ટુકી બીમારી બાદ વસંત પંચમીના પાવન દિનની પૂર્વ સંધ્યાએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વર્ષોથી રાજપુત સમાજના પ્રમુખ અને જીવનભર સમાજ સેવાના…

આવતી કાલે દારૂલ ઉલૂમ ગૌષે સમદાનીમાં દસ્તારબંધીનો પ્રોગ્રામ

સનત જેમને આપવાની છે તે 95 ખુશનસીબના નામો વાંકાનેર: આવતી કાલ એટલે કે તારીખ 05/02/2025 ને બુધવારના રોજ તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે આવેલ દારૂલ ઉલુમ ગૌષે સમદાનીમાં ‘ઈસ્લાહે મુઆશરા કોન્ફરન્સ’ ની સાથે દસ્તારબંધીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ…

શું આપના ઘરે લગ્ન અથવા બીજો કોઈ પ્રસંગ છે?

વાંકાનેરમાં વેજ તેમજ નોનવેજ ખાણા માટેની કરિયાણાની દરેક વસ્તુ જેવી કે બાસમતી, જીરાસર, લચકારી, વાડા કોલમ ચોખા, ચીંગ્સ ચટણી સોસ, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ડ્રાયફ્રૂટસ, અળદ લોટ, ઘી, તેલ, ચા, ખાંડ, એલ્યુમિનિયમ ફોઇલ, પથાણાં તેમજ પ્રી ઓર્ડર બેઝ અમૂલ…

વાંકાનેર પાલિકાના વોર્ડ, વિસ્તાર અને મતદાર સંખ્યા

વાંકાનેર નગરપાલિકામાં કુલ સાત વોર્ડ છે અને કુલ મતદાન મથકો ત્રીસ છે. કુલ મતદારો 30793 છે. વોર્ડ છ માં સૌથી ઓછા અને વોર્ડ સાતમા સૌથી વધુ મતદારો છે દરેક વોર્ડમાં ચાર સભ્યો ચૂંટાશે. વોર્ડમાં અનામતની માહિતી સુધી છેલ્લે કોઠામાં આપી…

પ્રખ્યાત કંપનીની બ્રાન્ડેડ જેન્ટ્રસ વેર આઈટમો વાંકાનેરમાં

અર્બન લાઇફ સ્ટાઇલ ખાતે 5XL સુધી જમ્બો સાઇઝમાં બ્રાન્ડેડ જેન્ટ્સ વેર કપડાં, શૂઝ, વિન્ટર વેર તેમજ દુલ્હા સ્પે. કલેક્શન માટે આજે જ પધારો… લગ્ન સિઝનની ખરીદી માટે સ્પેશ્યલ કલેક્શન માટે એકવાર શો-રૂમની અવશ્ય મુલાકાત લો.. બ્રાન્ડેડ પેન્ટ, શર્ટ, ટી-શર્ટ, બ્લેઝર,…

ચંદ્રપુર માજી સરપંચ કાકુભાઈના પુત્રનું અવસાન

આજે બેસણું વાંકાનેર: મુળ દેવભુમી લાંબાગામ નિવાસી હાલ વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ અને ચંદ્રપુર પંચાયતના માજી સરપંચ કાકુભાઈ આણંદજીભાઈ મોદીના પુત્ર નિલેશભાઈ મોદીનું તા.20/2ના રોજ અવસાન થતા વાંકાનેર લોહાણા સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. તે સ્વ.નિલેશભાઈ ખુબ માયાળુ સ્વભાવ…

બે વર્ષ પહેલા ઢુવા ચોકડીએથી ચોરાયેલ બાઈક કબ્જે

બે વર્ષ પહેલા ઢુવા ચોકડી પાસેથી ચોરી થયુ હતું, જે રફાળેશ્વર ગામ પાસે આવેલ ચોકડી નજીકથી એક શંકાસ્પદ બાઇક સાથે એસઓજીનો સ્ટાફે ઇસમને પકડયો હતો… મળેલ માહિતી મુજબ મોરબી એસઓજીનો સ્ટાફ વોચમાં હતો અને ત્યારે સ્ટાફના એમ.વી.જોગરાજીયા, કમલેશભાઈ, સામતભાઈ સહિતનાઓ…

પંચાસિયા પાસેથી દારૂના ગુનામાં આરોપી ઝડપાયો

વાંકીયાથી જડેશ્વર જતા કાચા રસ્તા ઉપર રેડ કરવામાં આવી હતી સાત દિવસના રિમાન્ડ મંજૂર વાંકાનેર: તાલુકા પોલીસે બાતમીના આધારે ગત ઓગસ્ટ મહિનામાં પંચાસીયા ગામની સીમમાં રેડ કરી હતી. ત્યારે દારૂનું કટીંગ થાય તે પહેલા જ ટ્રક પકડવામાં આવેલ હતો ત્યારે…

ડેપ્યુટી ડીડીઓ અને નાયબ ચૂંટણી અધિકારીની બદલી

વાંકાનેર સિટી પીઆઇ સહિત મોરબી જિલ્લાના 7 પીઆઇની બદલી મોરબી : ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગે વધુ એક બઢતી-બદલીનો ઘાણવો કાઢ્યો છે જે અન્વયે 31 જીએએસ અધિકારીઓની બદલી કરી ત્રણ અધિકારીઓને પ્રમોશન આપ્યા છે. આ બદલી હુકમ અન્વયે મોરબીના ડેપ્યુટી…

ગાયે બે માથાવાળા બચ્ચાને જન્મ આપ્યો

વાંકાનેર: ગઈ રાત્રીની ગાયને પ્રસૂતિ પીડા ઉપડેલ બાદમાં 1962 ની ટીમને સવારે કોલ કરેલ જે આવીને ચેક કર્યું તો ગાયને પેટમાં બે માથા વાળું બચ્ચું હોય તેને સીઝીરિયન કરીને કાઢ્યું અને ગાય નો જીવ બચાવ્યો હતો… વાંકાનેરના માટેલ ગામ નીચે…

ભલગામ પાસે 6 ડમ્પર પકડી પાડતું ખાણ-ખનીજ વિભાગ

વાંકાનેર: ભલગામ પાસે ખાણ અને ખનીજ વિભાગે દરોડો પાડી 6 ડમ્પર પકડી પાડ્યા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા અંદાજે રૂ.2 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે… મોરબી જિલ્લા ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેરની આકસ્મિક તપાસ(રેડ) કરવા અંગેની…

આરએસએસ દ્વારા ત્રીવિધ કાર્યક્રમ યોજાયા

ઢુવા ગામે શ્રમિકનો ગળાફાંસો વાંકાનેર: તાજેતરમાં વાંકાનેર શહેરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયા જેમાં ઉત્તરપ્રદેશમાં યોજાનર કુંભમેળાના અનુસંધાને 20 થી 22 ડિસેમ્બર સુધી એક સ્ટીલની થાળી અને થેલા માટે કાર્યક્રમ યોજાયો જે દરમિયાન વાંકાનેરમાં ત્રણ દિવસમાં 1100…

વાંકાનેર કોંગ્રેસે ગિયર બદલવાની જરૂર છે

વાંકાનેર: સારી વાત છે કે સ્થાનિક કોંગ્રેસી આગેવાનો રજૂઆતો કરે છે, પત્રો દ્વારા કે સમૂહમાં આવેદનો આપીને. પછી તે પીજીવીસીએલના પ્રશ્નો હોય, તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ હોય, પયગંબર સાહેબની બેઅદબીનો સવાલ હોય કે પછી રસ્તા રીપેરીંગની બાબત હોય. જોવામાં…

મોમીન સમાજના લગ્ન રિવાજમાં 2 મુદ્દાની ચર્ચા

દીકરાના લગન એક જ દિવસે રાખવા અને નીકાહ પછી દુલ્લહાને પહ ભરાવવાનુ બંધ કરવુ વાંકાનેર તાલુકાના મોમીન સમાજના લગ્નમાં ચાલતા રિવાજમાં 2 મુદ્દાની ચર્ચા કરવાની છે 1 દીકરાના લગન એક જ દિવસના રાખવાના 2 નીકાહ પછી દુલ્લહાને પહ ભરાવવા નુ…

વાંકાનેર બાર એસોસિયેશનના નવા હોદેદારો

વાંકાનેર: સમગ્ર ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં બાર એસોસિયેશનની ચુંટણીઓ યોજાતી હોય છે, જે અનુસંધાને ગઇકાલે વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણી પ્રક્રિયા પુર્ણ થતા નવી બોડીમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે, જેમાં બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે સુનિલભાઈ મેહતા, ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ પરમાર, સેક્રેટરી…

હવે વધારાની ડીગ્રી લખનાર ડોક્ટરોએ એક્યુ સર્ટિ લેવું પડશે

નવી દિલ્હી: દેશના કેટલાક ડોક્ટરો કોઈ એક ખાસ રોગ બાબતની નિપૂણતા મેળવવા એ વિષયની વધારાની ડીગ્રી લેતા હોય છે. આ ડીગ્રી તેઓ પોતાના લેટરહેડ કે બોર્ડ પર પણ લખતા હોય છે. કેટલાક લેભાગુ ડોક્ટરો જાતભાતની ડીગ્રી લખતા હોય છે, પરંતુ…

IRLA સ્કીમ હેઠળ ૩૧ જાન્યુ. સુધીમાં પેન્શનરોએ માહિતી આપવી

મોરબી: જિલ્લા તિજોરી કચેરી ખાતેથી IRLA સ્કીમ હેઠળ રાજ્ય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શનરો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમની પેન્શનની વાર્ષિક આવક રૂ.૭.૫૦,૦૦૦ થી વધુ હોય અને ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં આવકવેરને પાત્ર થતી હોય તેવા તમામ…

કચ્છમાં ફરી આવશે 2001 જેવો ભૂકંપ: એક્સપર્ટ્સ

ડૉ. ગૌરવ ચૌહાણ કહે છે, ‘ગુજરાતમાં ત્રણ સબ ટેકટોનિક ઝોન છે. જેની અંદર છે કેમ્બે બેસિન કે જે પાલનપુરથી શરૂ કરીને વડોદરા સુધીનો બેલ્ટ છે. કેમ્બે ફોલ્ટ એ મેજર ફોલ્ટ છે આ સિવાય નાના-મોટા ફોલ્ટ છે. બીજો કચ્છ ઝોન સૌથી…

ના. મામલતદાર, ક્લાર્ક અને તલાટીઓની આંતરિક બદલી

પંચાસિયા, અરણીટીંબા અને રાજાવડલામાં નવા મંત્રી વાંકાનેર: છેલ્લા થોડા મહિનાઓમાં બે તલાટી લાંચ લેતા એસીબીમાં પકડાયેલ હતા જેથી હવે કલેકટરે જીલ્લામાં બદલી માટેનો ઘાણો કાઢેલ છે જેમાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી મળીને કુલ 25 અધિકારીઓની બદલી કરવામાં આવી છે……

પલાંસના બે શખ્સો સામે માર માર્યાની ફરિયાદ

રીક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે માથાકૂટ વાંકાનેર: જાણવા મળતી માહિતી મુજબ મૂળ ચોટીલામાં આવેલ ઘાંચીવાડાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છુનગરમાં રહેતા ભીખાભાઈ નાજાભાઈ ચૌહાણ (52)એ હાલમાં કાળુ પરબતભાઈ ભરવાડ અને ભુરા પરબતભાઈ ભરવાડ રહે. બંને પલાસ…

શું તમે જાણો છો વાંકાનેર તાલુકાની આ માહિતી?

મુસ્લિમ વસતિ ૩૨.૭ % છે. તાલુકાનો છેલ્લા ૧૦ વર્ષમાં વસ્તી વધારો ૧૭.૮ ટકા છે ક્ષેત્રફળમાં સૌથી મોટું તીથવા- વાંકાનેરનો ઘેરાવો ૪.૫ કિ.મી. – સૌથી વધુ ઉષ્ણતામાન ૪૦.૯ અને ઓછું ૧૨.૧ સેલ્સિયસ નોંધાયું છે સમુદ્ર પટથી સૌથી ઊંચું ગામ ઠીકરીયાળા –…

ટંકારા પોલીસ સામે ખાતાકીય તપાસ ચાલુ

કનફર્ડ હોટેલ જુગાર પ્રકરણમાં નવો ફણગો હોટલ રૂમમાં નબીરાઓ પાસે તોડ બાજી આવી સામે થોડાક સમય પહેલા માલેતુજાર બિલ્ડર ઉદ્યોગકારોને મોરબી કનફર્ડ હોટેલ રૂમ ન.105 માં જુગાર રમતા રોકડને 62 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ. જે અંગે ટંકારા પોલીસ દ્વારા…

તીથવા નજીક માતંગી મોઢેશ્વરી માતાજીના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા

વાંકાનેર: તાલુકાનાં જડેશ્વર મહાદેવ મંદિર નજીક તીથવા ગામના રસ્તા ઉપર આવેલ ભંગેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં શ્રી માતંગી મોઢેશ્વરી માતાજીનું મંદિર આવેલ છે અને ત્યાં હવનનું આયોજન કરવામાં આવ્યું છે…. વાંકાનેરના તીથવા પાસે આવેલ શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન “માઁ નું…

જરૂરી સમાચાર! ‘બેકાર’ થઈ ગયું જૂનું PAN કાર્ડ?

QR કોડવાળું નવું પાન કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી? નવી દિલ્હી: ટેક્સપેયર્સની સગવડ, તેમની નાણાકીય સુરક્ષા અને ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવા માટે મોદી સરકારે પાન કાર્ડ અંગે મોટો નિર્ણય લીધો છે. સરકારે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે PAN 2.0 પ્રોજેક્ટને…

ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે અરજી કરી શકાશે

વાંકાનેર: આઇ ખેડૂત પોર્ટલ પર કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે આગામી તારીખ ૨૬/૧૧ થી ૦૨/૧૨ સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે… ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે…

પાલિકા ચૂંટણીના ટૂંક સમયમાં ઢોલ ઢબૂકશે

ચુંટણી અધિકારીની નિમણુક કરાઈ ગાંધીનગર: ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૬(૪) અને ભારતના સંવિધાનના અનુચ્છેદ ૨૪૩ (વ)(ક) થી મળેલ સત્તાની રૂએ ગુજરાત પાલિકાની ચુંટણી કરવા બાબતના નિયમો ૧૯૯૪ ના નિયમ ૪(૧) હેઠળ રાજ્ય ચુંટણી આયોગ નગરપાલિકાની આગામી સામાન્ય, મધ્યસત્ર…

વઘાસીયા ગામની સીમમાં આધેડનું અગમ્ય કારણોસર મોત

છરી સાથે બે પકડાયા વાંકાનેર: વઘાસીયા ગામની સીમમાં આવેલ ફેકટરીમાં ૪૧ વર્ષના આધેડનું કોઈ કારણોસર મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે… મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ વઘાસીયા ગામની સીમમાં કયુંટોન સિરામિકની ઓરડીમાં રહીને કામ…

કપાસ સમયસર વેચી દેવા જૂનાગઢ કૃષિ યુનિ.ની સલાહ

કૃષિ અર્થશાસ્ત્ર્ર વિભાગની રિસર્ચ ટીમના મતે આ વર્ષે કપાસના ભાવ ટેકાના ભાવ આસપાસ રહેશે દરેક સિઝનમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU) અલગ અલગ પાકને લઈને ખેડૂતો માટે એડવાઇઝરી જાહેર કરે છે. ગુજરાતમાં ખરીફ્ પાકો બજારમાં આવતા થયા છે ત્યારે યુનિવર્સિટીએ કપાસના…

હત્યા કરીને આરોપીઓ શોધવા ભેગા ફરતા’તા

વાંકાનેર: મહિલા પાસે બિભત્સ માંગણી કરનાર અરણીટીંબા ગામે પાસે ફોન કરીને બોલાવ્યા હતા અને ત્યારબાદ ગળા ટુપો આપીને તેની હત્યા કરી નાખી હતી અને તેનું મોટરસાયકલ કુવામાં ફેંકી દીધું હતું તેમજ તેનો મોબાઇલ ફોન અને લાશને ધોળકા રોડ ઉપર નદીમાં…

ખેડૂતોને ભેજ સૂકાયા બાદ કપાસ લાવવા CCI ની અપીલ

સીસીઆઈએ શાખા કચેરીના રાજકોટ અધિકારક્ષેત્ર હેઠળના 12 જિલ્લાઓમાં 42 ખરીદ કેન્દ્રો ખોલાયા રાજકોટ: વર્તમાન કપાસ સિઝન 2024-25માં CCI દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. કપાસના ખેડૂતોના હિતની રક્ષા કરવા માટે, સીસીઆઈએ શાખા કચેરીના રાજકોટ અધિકારક્ષેત્ર હેઠળના 12 જિલ્લાઓમાં 42…

તાલુકા સેવા સદનનું 36.46 લાખના ખર્ચે રીનોવેશન

વાંકાનેર: અહીંના તાલુકા સેવા સદન અને પીડબલ્યુડી સ્ટોરનું રીપેરીંગ અને રીનોવેશનનું ટેન્ડર બહાર પડ્યું છે…. જાણવા મળ્યા મુજબ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, બ્લોક-સી, બીજો માળ, જીલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ મોરબી-૨ ફોન નં. (૦૨૮૨૨)૨૪૦૫૨૪ દ્વારા ઓનલાઈન ટેન્ડર માંગવામાં…

લેબ ટેક્નિશિયનની બદલી રદ્દ કરવા રજૂઆત

મેસરિયા આરોગ્ય કેન્દ્ર ચર્ચાની એરણે વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હેઠળ ફરજ બજાવતા ત્રણ લેબોરેટરી ટેક્નિશિયનની બદલી થતાં આરોગ્ય લેબ ટેક કર્મચારી મંડળ- મોરબી (સુચિત) દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે… આરોગ્ય લેબ ટેક કર્મચારી…

ખાસ કૃષિ રાહત પેકેજ માટે અરજીની તારીખ લંબાવાઈ

હવે તા. 31 ઓકટોબરના બદલે 10 નવેમ્બર વાંકાનેર: તાજેતરમાં ચાલુ વર્ષ 2024ના ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદના કારણે થયેલા પાક નુકશાન અન્વયે ‘ખાસ કૃષિ રાહત પેકેજ– 2024’ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેથી મોરબી જિલ્લાના…

માટેલમાં હડકવા ઉપડતા બે ને બચકા ભરી લીધા

સગો બાપ દીકરાને બચકું ભરવા દોડયો વાંકાનેર: માટેલમાં એક યુવકને હડકવા ઉપડતા તેને બે વ્યક્તિને બચકા ભરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવકને મોરબી હોસ્પિટલે લઇ જવામાં આવ્યો છે. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ગત રાત્રિના દસેક વાગ્યાના અરસામાં…

જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદે ચર્ચાઓ

પવનચક્કી સર્વે, ટંકારા-અમરાપર રોડ અને આંગણવાડી ભાડા મુદે ચર્ચા મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા ગઈ કાલે ડીડીઓ અને જીલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં વિવિધ મુદે ચર્ચાઓ કરવામાં આવી હતી સામાન્ય સભામાં મુકવામાં આવેલ એજન્ડાને બહાલી આપવામાં આવી હતી…

મુફતી સલમાન અઝહરી સાહેબ જેલમાંથી છૂટી જશે

વાંકાનેર: ફરીદ પરાસરા (મોબાઈલ નંબર. 96 872 37 991)એ જણાવ્યું છે કે મુફતી સલમાન અઝહરી સાહેબના કેસમાં આજ રોજ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર વતી મુદત લેવાનો પ્રયત્ન કરેલ હતો. ગુજરાત સરકાર મુદ્દત લેવામાં નિષ્ફળ નીવડેલ છે. મુફ્તી સાહેબને આજે જેલમાંથી…

આણંદપરમાં ખાણમાં પથ્થર પડતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર: આણંદપર ગામે આવેલ પથ્થરની ખાણમાં શ્રમિક યુવાન ઉપર પથ્થર પડતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ થયું છે. જાણવા મળ્યા મુજબ આણંદપર ગામે આવેલ શિવશક્તિ સ્ટોન નામની પથ્થરની ખાણમાં કામ કરતા દિલીપભાઈ જોગીભાઈ શીંગાડિયા ઉ.18 નામના શ્રમિક યુવાન ઉપર પથ્થર પડતા…

કોન્ટ્રાક્ટર, કારખાનેદાર, ખેડૂત સહિતના દશ સામે પગલા

ઢુવા, સિંધાવદર, ભેરડા, પાંચદ્વારકા, માટેલ,વઘાસિયા, ભોજપરા, રાણેકપર અને નર્સરી ચોકડી સ્થિત એકમો મોરબી જીલ્લામાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો અને ભાડૂઆતોની માહિતી પોલીસને ન આપનારાઓની સામે હાલમાં ગુના નોંધવામાં આવી રહ્યા છે તેવામાં 10 ગુના જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં નોંધવામાં આવેલ છે.…

રાતાવીરડા શખ્સનું બાઇક સ્લીપ થતા સારવારમાં

રાજાવડલાની જમીનને સરકારી માલિકીની ઠરાવવા રેવન્યુ ઓથોરિટીનો હુકમ રદ વાંકાનેર: તાલુકાના રાતાવીરડા ગામે રહેતા ખોડાભાઈ રામજીભાઈ કુણપરા (44) નામનો યુવાન મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ ચામુંડા હોટલ નજીકથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે અકસ્માત થયો હતો અને અકસ્માતના…

જુના વઘાસિયાના માલુભા ઝાલાનું દુઃખદ અવસાન

તેમની 100 વર્ષની ઉંમર હતી વાંકાનેર: જુના વઘાસિયા નિવાસી માલુભા રૂપસંગજી ઝાલા (ઉ.વ. 100) તે વનરાજસિંહ ઝાલા તથા ઘનશ્યામસિંહ ઝાલાના પિતા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, ક્રિપાલસિંહ વનરાજસિંહ ઝાલા, સુરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલાના દાદાનું તારીખ 15-10-2024 ને મંગળવારના રોજ અવસાન…

યાર્ડના દલાલ વેપારી એસોસિએશનના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

પ્રમુખ કોંગ્રેસી ઉપપ્રમુખ ભાજપી વાંકાનેર : માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન વાંકાનેરમાં આજ રોજ મિટિંગ મળી હતી. આ મીટીંગમાં માર્કેટિંગ યાર્ડ દલાલ વેપારી એસોસીએશનનાં પ્રમુખ તરીકે અલીભાઈ બાદીની તેમજ ઉપ પ્રમુખ તરીકે અશ્ચિનભાઈ મેઘાણીની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે… જે…

વાંકાનેરના કિસાન સંઘના નવા હોદ્દેદારો નિમાયા

વાંકાનેર તાલુકાના પ્રમુખ તરીકે વાસુદેવસિંહ ઝાલા અને ટંકારા તાલુકાના પ્રમુખ તરીકે મહાદેવભાઈ ભાડજા વાંકાનેર : વાંકાનેર ભારતીય કિસાન સંઘની તાલુકા કક્ષાની કાર્યકારણી બેઠકનું આયોજન માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જ્યારે ટંકારા તાલુકાની કાર્યકારણી બેઠકનું આયોજન મિતાણા આર્ય પેલેશ હોટલ…

ત્રણ લાખની ડુંગળીની ચોરી કરનાર ત્રિપુટીની ધરપકડ

ડીવાયએસપીશ્રીની પત્રકાર પરિષદ ચોરીનો માલ ખરીદનારને આરોપી બનાવાશે? 6.12 લાખનો મુદામાલ કબજે વાંકાનેર: પંચાસર ગામની સીમમાં આવેલ કુકડા કેન્દ્રમાંથી ડુંગળીની ચોરી કરવામાં આવેલ હતી, યુવાને શિયાળુ પાકની 400 મણ ડુંગળીની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ હતી જેથી યુવાન…

મચ્છુ-૧ સિંચાઈ માટે અરજી ફોર્મ કાલથી સ્વિકારાશે

છેલ્લી તારીખ: ૨૨/૧૦/૨૦૨૪ છે વાંકાનેર: નાયબ કાર્યપાલક ઇજનેર, મચ્છુ-૨ સિંચાઇ પેટા વિભાગ, મોરબી ફોન નં. (02822) 291439 એ એક યાદીમાં જણાવેલ છે કે મચ્છુ-૧ સિંચાઇ યોજનાની સલાહકાર સમિતીની મીટીંગ તારીખ- ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ ૧૨.૦૦ કલાકે મીટીંગ હોલ, તાલુકા સેવા સદન,…

પોલીસ ફરિયાદ કરતા પહેલા ખાસ આ જાણો

ફરિયાદીએ ઘ્યાન આપવાની વિગત અને તપાસ સમરી, જડતી, મુદ્દામાલ કબજે લેવા તથા હાથકડી પહેરાવવા અને સરપંચની ફરજો બાબત વાંકાનેર: કોઈ પણ પોલીસ ફરિયાદ કરવાની હોય ત્યારે તમારી વાત પોલીસ કર્મચારી નોંધે કે તમારી લેખિત અરજી સ્વીકારે પણ અરજી સ્વીકાર્યાનો આધાર…

બાગાયતદાર ખેડૂતો સબસીડીનો લાભ લેવા અરજી કરી શકશે

વાંકાનેર: રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2024-25 માટે નવી સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમ કે કેળ (ટીસ્યુ), પપૈયા, આંબા, જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકો, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી, કમલમ ફળ વાવેતરમાં સહાય,…

ચિકિત્સા સંસ્થાઓ 31મી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લો

એક્ટના પ્રકરણ- 2ની કલમ- 6-મુજબ ફરજીયાત છે વાંકાનેર: સમગ્ર રાજ્યમાં ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) – 2021, ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન નિયમો- 2022 અને સુધારા નિયમો- 2024 અન્વયે તબીબી સેવાઓના રજીસ્ટ્રેશન એક્ટના પ્રકરણ-…

હડમતીયાના તલાટીની બદલી: દલડી મુકાયા

સ્વચ્છતાની કામગીરીમાં બેદરકારી દાખવી હતી: ખુલાસો પુછાયો વાંકાનેર: સ્વચ્છતા મુદ્દે ડીડીઓ આકરા પાણીએ છે. ટંકારાના હડમતીયા ગામે સ્વચ્છતામાં બેદરકારી દાખવનાર તેમજ અન્ય ધીમી કામગીરી કરનાર તલાટી કમ મંત્રીની તાકીદે બદલી કરી નાખવામાં આવી છે…તાજેતરમાં યોજાયેલ “સ્વચ્છતા હી સેવા” સપ્તાહ અંતર્ગત…

સીસીઆઇ દ્વારા પહેલીથી ટેકાના ભાવે કપાસની ખરીદી

વર્ષ 2024-25 માટે રૂા.7521 પ્રતિ ક્વિન્ટલનો ભાવ જાહેર કોટન કોર્પોરેશન ઓફ્ ઈન્ડિયા (CCI) દેશમાં કપાસ માટે લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદીની કામગીરી કરવા માટે કેન્દ્રીય નોડલ એજન્સી છે. ઓકટોબર મહિનાથી કપાસની નવી સિઝન શરૂ થશે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન 1 ઓકટોબરથી…

તાલુકાને 4 નવી સરકારી માધ્યમિક શાળા મળશે

ભીમગુડા, વરડુસર, લુણસર અને સતાપરનો સમાવેશ વાંકાનેર: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં નવી 160 સરકારી માધ્યમિક શાળાઓ તથા 2 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં વાંકાનેર તાલુકામાં 4 નવી સરકારી માધ્યમિક શાળા આપવામાં…

ભાયાતી જાંબુડિયાના ક્ષત્રિયોની ઐતિહાસિક કરુણ ઘટના

ભાયાતી જાંબુડિયાના ક્ષત્રિયોની ઐતિહાસિક કરુણ ઘટના

પાટડીના ભીમસિંહજીએ કાઠી અળસીયાવાળાને હરાવીને અદેપરમાં ગાદી સ્થાપેલી ભાયાતી જાંબુડિયા, પીપળીયા રાજ, જૂની કલાવડી અને નેકનામના ઝાલા ક્ષત્રિયો નજીકના કુટુંબીજનો મનાય છે બીજા છ જણાના જીવની દરકાર રાખનાર દાજીબાપુને અને વીજળી ઘોડીને સલામ !! ઉંચો ગઢ અજમેર, નીચે મછુ ના…

રાતાવીરડામાં વાઈ આવતા સિક્યુરિટી ગાર્ડનું મૃત્યુ

વાંકાનેર : તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં એક કારખાનામાં વાઈ આવતા સિક્યુરિટી ગાર્ડનું મૃત્યુ નીપજ્યું છે… આ અંગે જાણવા મળ્યા મુજબ તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં મારૂતિ માઇક્રોન કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મૂળ બિહારના વતની કામેશ્વર રામેશ્વર રાય ઉ.55 નામના…

ઘર સળગાવવાના પ્રકરણમાં આરોપીના જામીન મંજુર

વાંકાનેરની સગીર વયની દીકરીને ભગાડી જવાના ખારમાં મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીનો દીકરો ભગાડી ગયો હોય અને બાદમાં પોલીસ મથકમાં હાજર થયા હોય બંને આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈને ઘરમાં આગ લગાડી ઘરવખરીનો સામાન સળગી ગયેલ…

માટેલ ગામની સીમમાં અજાણ્યા પુરુષનું મોત

ઓળખ મેળવવા તજવીજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન અકસ્માત મોત નંબર-૪૧/૨૦૨૪ બી.એન.એસ.એસ. ની કલમ-૧૯૪ મુજબનો બનાવ ગઇ તા.૨૨/૦૭/૨૦૨૪ ના કલાક-૧૩/૩૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમા આવેલ માટેલ-૨, ૬૬ કે.વી. પાવર હાઉસ સામે ખરાબામા એક અજાણ્યો પુરૂષ ઉ.વ.આશરે…

વરમોરા ટાઇલ્સમાં બેભાન થઈ પરિણીતાનું મૃત્યુ

વાંકાનેર : તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ વરમોરા ટાઇલ્સમાં એક પરિણીતાનું મૃત્યુ થયું છે… જાણવા મળ્યા મુજબ તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ વરમોરા ટાઇલ્સ ફેકટરીના યુનિટ નંબર -2ની લેબર કોલોનીમાં રહેતી મૂળ ઝારખંડની બાલેમાદેવી જગમોહન બીરશા તિયું ઉ.24નામની પરિણીતા બેભાન…

વાંકાનેર રેલવે ક્વાર્ટરના ટાઇલ્સ રૂફિંગ બદલાશે

રાજકોટ: પશ્ચિમ રેલવે- રાજકોટ ડિવિઝન મારફત વાંકાનેર ક્વાર્ટરના ટાઇલ્સ રૂફિંગ બદલવા માટેનું પોણો કરોડનું ટેન્ડર બહાર પડેલ છે, જેના ઇ-ટેન્ડર નોટિસ નં : 13 વર્ષ 2024-25 તારીખ: 11/07/2024 ટેન્ડર નં. DRM-RJT-2024-25-E-31 કામનું નામ : વાંકાનેર: ક્વાર્ટર નંબર M/35, M/37, M/39,…

વાંકાનેરમાં 24 કલાકમાં 18 મીમી વરસાદ

વાંકાનેરમાં સિઝનનો કુલ વરસાદ 147 મિમિ (છ ઇંચ જેટલો) વાંકાનેરનું આજે તાપમાન 27 થી 33 ડિગ્રી રહેવાનું અનુમાન છે. પવનની ગતિ 17 થી 30 કિમિ.પ્રતિ કલાકનું અનુમાન છે. વરસાદ વરસવાની 96 ટકા શક્યતા છે. ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં આખા જુલાઈ…

ધરમનગર અને ભાટિયા સોસાયટીમાં વીજળી પડી

વાંકાનેર : વાંકાનેરના ધર્મનગરના હરી પાર્કમાં બે મકાન ઉપર વીજળી પડી હોવાની ઘટના સામે આવી છે. ગઈ કાલે ગાજવીજ અને ભારે વરસાદ વચ્ચે હરીપાર્કમાં રહેતા પ્રવીણભાઈ બાબુભાઈ વાટકિયા અને મુકેશભાઈ જીવરાજભાઈ વાટકિયાના મકાન ઉપર વીજળી પડતા ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ અને…

આઇ ખેડૂત પોર્ટલ આવતા મંગળવારથી શરૂ થશે

સ્માર્ટ ફોન, પાક સંગ્રહ સ્ટ્રકચર અને પાણીના ટાંકાના બાંધકામમાં સહાયની અરજી કરી શકાશે વાંકાનેર: આઇ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન પાક સંગ્રહ સ્ટ્રકચર તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના હેઠળ ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે તે માટેની પ્રક્રિયા આગામી ૧૮…

ગત ધારાસભા લોકસભા મળેલ મતના આંકડા

ધારાસભા 2022 અને લોકસભા 2017 ના આંકડા નીચે આપેલ છે, તેમાં બૂથના નામ પછી શરૂઆતના ત્રણ ખાના ધારાસભા 2022 ના છે જેમાં ભાજપ લાલ કલર, કોંગ્રેસ લીલો કલર અને આપના ઉમેદવારને મળેલ મત જાંબલી કલરમાં છે, તથા પીળા કલરના પટ્ટા…

કુંવરજીભાઈ બાવળીયા કાલે વાંકાનેર તાલુકામાં

માટેલ, ઠીકરીયાળા અને મેસરીયા ગામમાં આગમન થશે વાંકાનેર: જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આવતીકાલે તા. ૦૪ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે વાંકાનેર તાલુકાના માટેલ ખાતે ખોડીયાર મંદીર ખાતે સામાજીક પ્રસંગે…

રેલવેના પ્રશ્નો અંગે વાલજીભાઈની સાંસદને રજુઆત

વાંકાનેર: હસનપરના સામાજીક કાર્યકર વાલજીભાઈ ઉકાભાઈ મદ્રેસાણીયાએ તા: ૦૧-૦૮-૨૦૨૩ના રેલ્વેને લગતા પ્રશ્નો બાબતે સંસદસભ્યશ્રી કેશરીદેવસિંહજી ઝાલા સમક્ષ લેખિત રજુઆત કરી હતી, પાંચ મહિના પહેલા લખાયેલા પત્રના જવાબની અરજદારને રાહ છે. રેલ્વેને લગતા આ પ્રશ્નોની વિગત નીચે મુજબ છે. 1) વાંકાનેર…

અમરાપરમાં 30 જેટલા સીસીટીવી કેમેરા લાગશે

સતાપરના મહિલા સરપંચને પદેથી દુર કરાયા: ગ્રામ પંચાયતમાં ખોટા વાઉચર બનાવ્યા હતા વાંકાનેર: ટંકારા તાલુકાના અમરાપર ગામમાં સીસીટીવી કેમેરા મુકવા માટે મંજૂરી મળી હોવાની માહિતી મળી છે. જાણવા મળ્યા મુજબ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ટંકારા તાલુકાના અમરાપર…

જિલ્લાના 3 ASIની બદલી, નવા 7 PSI મુકાયા

મશાકપુત્રા નજરૂદીન રાજકોટ શહેરમાં મુકાયા વાંકાનેર: પોલીસ વિભાગ દ્વારા રાજ્યના 523 ASIના PSI તરીકે પ્રમોશન સાથે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાંથી 3 ASIની બઢતી સાથે બદલી થઈ છે. જ્યારે નવા 7 PSI મુકાયા છે. હાલમાં રાજ્ય સરકારે…

જી.પંચા.ની વિવિધ સમિતિઓની આખરે રચના

વાંકાનેરના સરોજબેન ડાંગરોચા જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન થયા ઝાહિરઅબ્બાસ યુસુફ શેરશીયાને ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ તથા શિક્ષણ સમિતિમાં સભ્ય તરીકે સ્થાન મોરબી જીલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિયુક્તિ કરવામાં આવ્યા બાદ વિવિધ સમિતિઓની રચના કરવાની બાકી હોય…

નવા ફોજદારી કાયદાઓમાં પ્રસ્તાવિત બદલાવો

મંગળવારે કેન્દ્ર સરકારે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્‍ય અધિનિયમને સંસદમાં ફરીથી રજૂ કર્યા હતા. આ બિલ ભારતમાં હાલની ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા(સીઆરપીસી) અને ભારતીય સાક્ષ્‍ય અધિનિયમ (ઇન્ડિયન ઍવિડેન્સ ઍક્ટ)ની જગ્યા લેશે. આ બિલ…

“કરા” કેમ પડે છે? તેનો આકાર ગોળ કેમ હોય છે ?

ગઈ કાલે વરસાદ દરમિયાન, બરફના નાના ટુકડા જેને કરા કહેવામાં આવે છે તે પાણીના ટીપાં સાથે અચાનક પડયા હતા, જેને આપણે વરફ વર્ષા કે કરાનો વરસાદ કહીએ છે ત્યારે શું તમે ક્યારેય વિચાર્યું છે કે કરા કેવી રીતે બને છે…

વાંકાનેરમાં ગાજવીજ શરુ: વાદળિયું વાતાવરણ

સણોસરામાં કરા પડયા વાંકાનેરમાં પવન સાથે જોરદાર વરસાદ શરુ: લાઈટ ગઈ:લોકો ઘરમાં પૂરાયા વાંકાનેર: આજ રવિવારની વહેલી સવારે વાંકાનેર પંથકના અમુક વિસ્તારમાં સારા એવા છાંટા પડ્યા છે. જ્યારે સવારના 7:15 વાગ્યાની આસપાસ મેહુલિયાએ કટાણે ગાજવાનું પણ શરૂ કર્યું હતું…. આ…

ત્રણ ગ્રામ સેવકોને વિસ્તરણ અધિકારીનું પ્રમોશન

મૂળ તીથવાના વતની એહમદરઝા વલીમામદભાઈ ગઢવાળાનો સમાવેશ મોરબી જિલ્લામાં જુદા જુદા તાલુકામાં નોકરી કરતા ત્રણ ગ્રામ સેવકોને નિયમ મુજબ ખાતાકીય પરીક્ષા પાસ કરતા વિસ્તરણ અધિકારી (ખેતી)નું પ્રમોશન આપવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના આ ત્રણ ગ્રામ સેવકોમાં ટંકારા તાલુકામાં ઘુનડા ખાનપર…

સેન્ટ્રીંગ કામ કરતા યુવાનનું પડી જતા મોત

વાંકાનેરના રાતાવીરડા નજીકનો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક સેન્ટ્રીંગ કામ કરતી વેળાએ પરપ્રાંતીય એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક લેન્ડ ક્રાફટ પેવર એલએલપી નામના નવા બનતા કારખાનામાં સેન્ટ્રીંગ કામ કરતી…

વૃદ્ધની હત્યા નીપજાવનાર આરોપી ઝડપાયો

ફાયરીંગના આરોપી વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજેલ વાંકાનેરમાં બેસતા વર્ષે રામ રામ કરવા મુદ્દે બોલાચાલી થયા બાદ આરોપી પિતા-પુત્રએ ફાયરીંગ કરી એક વૃદ્ધને ઈજા પહોંચાડી હતી. જે બનાવ મામલે ફરિયાદ બાદ ફાયરીંગ કરનાર એક આરોપી ફરાર…

તાલુકાભરમાં ફાયરિંગ ઘટના ચર્ચાની એરણે

કેરાળામાં ફાયરિંગ કેસમાં એક આરોપી હાથવેંતમાં અન્ય આરોપીઓને તાકીદે ઝડપી લેવાશે તેવું આશ્વાસન અપાયું સમાજના આગેવાનોનો રોષ પારખી પોલીસને હરકતમાં આવવું પડયું વાંકાનેર તાલુકાના કેરાળા ગામે બેસતા વર્ષના દિવસે સવારમાં એક આધેડ પર ગોળીઓ ચલાવી નાસી છૂટેલા બે આરોપીઓ પૈકી…

શું છે 7/12 ઉતારા નકલ, ખેડૂતો સમજે

આવો જાણીએ સર્વે નંબર, જમીનનો સત્તા પ્રકાર, ખેતરનું નામ, ખેડવા લાયક જમીન, પોત ખરાબ, આકરણી/જુરી, ગણાતીયાના નામ, ખાતા નંબર, મોજ જે તે ગામનું નામ, કબજેદારનું નામ, નોંધ નંબરો, બીજા હકકો અને બોજાની વિગત, બાંધકામ સી.ઓ.પી. અને ખેતી વિષયક માહિતી ૭/૧ર…

ફાયરિંગ કેસમા વળતા હુમલામાં સારવારમાં મૃત્યુ

કેરાળાના ફાયરિંગ કેસમાં નાસતા ફરતા વૃદ્ધને વઘાસિયા નજીક હુમલો કરાયા બાદ અમદાવાદ સારવારમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો વાંકાનેર : તાલુકાના કેરાળા ગામે બેસતા વર્ષના દિવસે જ આધેડ ઉપર ફાયરિંગ કરવાના ગુન્હામાં નાસતા ફરતા વૃદ્ધ આરોપીને કેરાળા ગામના જ…

આંગણવાડી-મ. ભોજનના કર્મચારીઓને BLOની જવાબદારી

સ્ટાફની તંગી નિવારવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઓર્ડર રાજકોટ: આગામી લોકસભાની ચૂંટણી અંગે રાજકીય પક્ષોની સાથે ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જે અંતર્ગત મતદાર સુધારણાની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. તેની સાથોસાથ હવે જિલ્લા ચૂંટણી…

જિલ્લામાં 27મીથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ

26મી ડિસેમ્બર સુધીમાં યાદી સંપૂર્ણ કરી લેવાશે મોરબી : ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ૧/૧/૨૦૨૪ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે ૨૭/૧૦/૨૦૨૩ ના રોજ સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ કરવામાં આવશે. આ મતદારયાદીમાં ૨૭/૧૦/૨૦૨૩ થી ૯/૧૨/૨૦૨૩ સુધી હક્ક-દાવા વાંધા…

સાંસદ મોહન કુંડારીયાનું પતુ કપાશે?

ભાજપના પ્રદેશ પ્રમુખે C. R. પાટીલે આપ્યા સંકેત લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે, ત્યારે આજે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના જન્મદિવસ નિમિત્તે આયોજિત મહા રક્તદાન કેમ્પમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. તે…

હવે જુવારની નવી જાતમાંથી બનશે ઇથેનોલ

ઇન્દોરના વૈજ્ઞાનિકોએ વિકસાવ્યા નવા બીજ જુવારની નવી જાતમાંથી હવે ઇથેનોલ તૈયાર કરવામાં આવશે, જેને પેટ્રોલમાં ભેળવીને વાહનોમાં ઇંધણ તરીકે વાપરી શકાશે. તેનાથી વાયુ પ્રદૂષણ પર અંકુશ આવશે અને પેટ્રોલ પર નિર્ભરતા ઘટશે. આ ચમત્કાર રાજમાતા વિજયરાજે સિંધિયા કૃષિ યુનિવર્સિટીની ઈન્દોર…

સગીરાનું અપહરણ કરનાર ઇસમ ઝડપાયો

ભોગ બનનારને શોધી કાઢવામાં આવી દોઢ વર્ષ પહેલા થયેલ ગુન્હા માટે પોલીસ કોલકત્તા પહોંચી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી ગયેલ ઇસમ દોઢ વર્ષથી પોલીસ પકડથી દુર હોય જે ઈસમને એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ મોરબીની ટીમે કોલકત્તા…

અનામત બિલને મંજૂરી-ચૂંટણીઓનો માર્ગ મોકળો

ડિસેમ્બર સુધીમાં 7000થી વધુ ગ્રામ પંચાયતો, 75 પાલિકા, બે જિલ્લા પંચાયત અને 18 જેટલી તાલુકા પંચાયતોમાં ચૂંટણી આવી શકે 27% ઓબીસી અનામતમાં 147 જ્ઞાતિઓનો સમાવેશ ઓબીસીની સરેરાશ વસતી રાજ્યમાં 49.20 ટકા જેટલી છે અમદાવાદ: વિધાનસભાના ચોમાસુ સત્રમાં પસાર કરાયેલા સ્થાનિક…

સરતાનપર રોડ ઉપર જીએસટીના દરોડા

ડીલરો અને ટ્રાન્સ્પોર્ટને ત્યાં પણ તપાસ લંબાઈ કરોડોની કરચોરી ઝડપાઇ વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ ફૂલ બોડી ટાઇલ્સ બનાવતી ફેકટરીમાં ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સીની ટીમે દરોડા પાડી મોટા પ્રમાણમાં કરચોરી ઝડપી લીધી હોવાનું જાણવા મળે છે.…

જી.પંચાયતમાં મહત્વની સમિતિઓની રચના બાકી

માત્ર કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવતા તર્કવિતર્ક સર્જાયા કારોબારીમાં વાંકાનેરના વીરપરના સરોજબેનનો સમાવેશ કરવામાં આવ્યો મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક ગઈ કાલે જીલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ અને ડીડીઓના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં માત્ર કારોબારી અને…

ત.ક. મંત્રીને વિસ્તરણ અધિકારી સંવર્ગમાં બઢતી

સિંધાવદરના આઈ.એ. પરાસરાનો સમાવેશ મોરબી જીલ્લા પંચાયત હેઠળ આવતા ચાર ગ્રામ પંચાયત સેક્રેટરીને વિસ્તરણ અધિકારી (પંચાયત) સંવર્ગમાં બઢતીના હુકમ આપવામાં આવ્યા છે. મોરબી જીલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓને ખાતાકીય બઢતી આપવા માટે જીલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી જાડેજા દ્વારા…

પોલીસ વિભાગમાં આ રીતે મળે છે રેન્ક

સૌથી ઉપરનો હોદ્દો કયો કહેવાય? પોલીસ વિભાગના અધિકારીઓને અલગ-અલગ રેન્ક આપવામાં આવે છે. પોલીસ દળમાં ચોક્કસ લેવલથી ઉપરની તમામ જગ્યાઓ IPS અધિકારીઓ દ્વારા મેનેજ કરવામાં આવે છે. દેશમાં પોલીસ દળની બે સિસ્ટમ છે. રાજ્યોનો પોલીસ વિભાગ રાજ્ય સરકારના ગૃહ મંત્રાલય…

ગેલેક્સી હોસ્પિટલમાં કેશરીદેવસિંહનું સન્માન

સાંસદે હોસ્પિટલની સુવિધાઓને ખુબ જ વખાણી મુસ્લિમ સમાજનો અને મારા પરિવારનો વર્ષોથી સબંધ અને નાતો રહ્યો છે: સાંસદ વાંકાનેરની ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ગેલેક્સી ગ્રુપ સંચાલિત ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી., ગેલેક્સી સ્કુલ લિંબાળા તેમજ ચંદ્રપુર અને ગેલેક્સી…

તા.પંચા.પ્રમુખ ચૂંટણી: કહીં ખુશી કહીં ગમ

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે ટૂંકા ગાળાનો ફાયદો જોયો ખુરશી પર બેસાડવામાં ફાળો કોળી સમાજ અને મુસ્લિમ ભાજપી બે સભ્યોનો પણ છે વજુભાઇ વાળા, ગુલમામદ બ્લોચ, મનજી માસ્તર, પરબતબાપા, જીતુ સોમાણી પોતાના સમાજના જાજા મતદારો ન હોવા છતાં રાજકીય કદ વધારી શક્યા…

અપહરણ કેસના બધા આરોપીઓનો નીર્દોષ છુટકારો

ટ્રાન્સપોર્ટ ધંધાર્થીઓ અંદરો અંદર ઝઘડેલા: મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટનો ચુકાદો વાંકાનેર નજીક આવેલ ચામુંડા ટ્રાન્સપોર્ટમાં પ્રાઈવેટ નોકરી કરતાં ફરિયાદી ત્યાં નોકરી છોડીને તેની અલગથી ટ્રાન્સપોર્ટની ઓફીસ શરુ કરેલ હતી અને જુના ગ્રાહકો ફરીયાદીની ઓફીસે જતા હતા જે આરોપીઓને સારુ નહી લાગતા…

જી.પંચા.ના પ્રમુખ હંસાબેન અને ઉપપ્રમુખ હીરાભાઈ

કારોબારી સમિતિ માટે પ્રવીણભાઈ સોનાગ્રાના નામ ઉપર પસંદગી મોરબી જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે નવા હોદેદારોની પસંદગીને આખરી મહોર મારવામાં આવી છે, ભાજપ મવડી મંડળ દ્વારા પ્રમુખ પદ માટે પીઢ અનુભવી મહિલા ઉમેદવાર હંસાબેન પારઘી, ઉપપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા…

સત્યમ હોસ્પિટલમાં કાલે ફૂલ બોડી ચૅકઅપ રૂ. 300 માં

વાંકાનેરની સત્યમ હોસ્પિટલમાં દર મંગળવારે ફૂલ બોડી ચૅકઅપ યોજાય છે રૂપિયા 900 ને બદલે માત્ર 300 રૂપિયામાં: 600 રૂપિયાનો સીધો ફાયદો વાંકાનેર શહેર ખાતે આવેલ સત્યમ હોસ્પિટલ ખાતે દર મંગળવારે ફૂલ બોડી ચેકઅપ નિદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં…

ટાંકામાં ડૂબી જતા બાળકીનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાંકીયા ગામની સીમમાં એક નાની બાળકીનું મૃત્યુ નીપજ્યાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ વાંકિયાના હુશનેભાઇ મીમનજીભાઇ શેરસીયાની વાડીમાં રહેતા ભલુભાઇ કલારીયાની ચાર વર્ષની પુત્રી પ્રવિણાબેન ભલુભાઇ કલારીયાનું વાડીમાં આવેલ પાણીના ટાંકામાં ડુબી જતા મૃત્યુ નીપજ્યું…

તાલુકા પંચાયતનું રાજકારણ ફરી ડહોળાયું

ભાજપની પાર્લામેન્ટરી બોર્ડનો સામાન્ય સ્ત્રી અનામત હોઈ એ શ્રેણીનું નામનો આગ્રહ રખાયો વાંકાનેર: વાંકાનેર તાલુકા પંચાયતના હોદેદારોની આવનારી ચૂંટણીમાં ભાજપની ચોખ્ખી બહુમતી હોવા છતાં જૂથબંધીના કારણે રાજકારણ ચકડોળે ચડયું છે. ભાજપના નિરીક્ષક ભરતભાઈ બોઘરાએ કુલ પાંચ નામ ઉમેદવાર તરીકે રાજ્ય…

મચ્છુ ડેમ-1ની કેનાલના કિસાનોને ખાસ સુચના

તારીખ:- 11/ 09 / 2023 સોમવાર સાંજ સુધીમાં બે પાણ માટે ફોર્મ ભરી જમા કરાવી આપવા વાંકાનેર તાલુકા ભાજપ ઉપ પ્રમુખ અશરફ બાદીની અપીલ ડિસ્ટ્રિક્ટ કેનાલ અને ધોરીયા જે તે વિસ્તારના કિસાનોએ સાફ કરવાના રહેશે વાંકાનેર: વાંકાનેર તાલુકા ભાજપ ઉપ…

માળીયા નગરપાલિકાના નિરીક્ષક તરીકે જાવેદ પીરઝાદા

વાંકાનેર: કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત – નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા નવા પ્રમુખ-ઉપપ્રમુખ નામોની પસંદગી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે વરિષ્ઠ આગેવાનને નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તાલુકા પંચાયત – નગરપાલિકામાં નિયુક્ત…

સહકારી મંડળીઓ આપી શકશે 20 ટકા ડિવિડન્ડ

હાલ, સહકારી મંડળીઓ શેરની રકમ ઉપર 15 ટકા સુધીની મર્યાદામાં જ ડિવિડન્ડની વહેંચણી કરી શકતા હતા 5 લાખથી વધુ ખરીદી માટે ઈ-ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત છે ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા…

મચ્છુ-૧ માંથી ૨૦ તારીખથી પાણી છોડાશે

જયારે કેનાલની સફાઈ બાદ મચ્છુ-૨ નો ખેડૂતોને ૧૦ તારીખથી લાભ મળશે વાંકાનેર: મોરબી જિલ્લામાં આવતા ૧૦ ડેમ પૈકીના સિંચાઈનું પાણી પૂરું પાડતાં ડેમોમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આયોજન પૂર્વક આપી શકાય અને પાણીનો વધુમાં વધુ સિંચાઈ માટે ઉપયોગ થઈ શકે, તે…

વાંકાનેર, ટંકારા તાલુકાને અસરગ્રસ્‍ત જાહેર કરો

પુર્વ ચેરમેન એપીએમસી વાંકાનેરની મુખ્‍યમંત્રી સહાય યોજના હેઠળ આવરી લેવાની માંગ વાંકાનેર : પુર્વ ચેરમેન એપીએમસી વાંકાનેર અને મહામંત્રી ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ શકીલ પીરઝાદાએ રાજયના કૃષિ મંત્રીશ્રી, મોરબી જિલ્લા કલેકટરશ્રી અને મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સમક્ષ વાંકાનેર અને ટંકારા…

પૂરી દશ કલાક જગતાતને લાઈટ મળતી નથી

ગુજરાત સરકારે દશ કલાક લાઈટ આપવાની જાહેરાત તો કરી છે. આ જાહેરાતથી જગતાતમાં ખુશી વ્યાપી હતી.   પરંતુ વાંકાનેર તાલુકાના ઘણા ગામડાઓમાં પૂરી દશ કલાક લાઈટ મળતી નથી, એવી ખેડૂતોની ફરિયાદ છે. લાઈટના ધાંધિયા બાબતે યોગ્ય થાય, એવી અહીંના ખેડૂતોની…

ખેડૂતો માટે P.G.V.C.L ફોલ્ટ સેન્ટરની એક યાદી

વાંકાનેર તાલુકાના ગામડાઓમાં આવેલા પીજીવીસીએલના કુલ 11 S/S માં તારીખ 3 થી 9 સપ્ટેબર દરમ્યાન લાઈટ કાપનું ટાઈમ ટેબલ નીચે મુજબ છે, આ ટાઈમ જાણવાથી લાઈટના ટાઈમની ખેડૂતભાઈઓને ખબર પડશે. લિસ્ટમાં ટાઇમ જોઈ લેવો. ફોલ્ટ સેન્ટરમાં લાઈટનો ટાઇમ કયો છે,…

મચ્છુ-૧નું પાણી છોડવા બાબતે સિંચાઈની બેઠક

મોરબી ખાતે કાલે સિંચાઈ વિભાગની બેઠકમાં ચર્ચા વિચારણા મોરબી : મચ્છુ-૧ સિંચાઈ યોજનાના કમાન્ડ વિસ્તારમાં ચોમાસમાં પાછલો વરસાદ થયેલ ન હોય ખરીફ સિઝન ૨૦૨૩ ના સિંચાઈના આયોજન માટે, નહેર સલાહકાર સમિતીની કાર્યપાલક ઇજનેરની કચેરી, તાલુકા સેવા સદન રૂમ નં. ૧૫૨,…

મચ્છુ-1 નું પાણી ખેડૂતોને આપવા કોંગ્રેસની માંગ

શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિની કલેક્ટર મારફત સિંચાઈ મંત્રીને રજુઆત વાંકાનેર : વાંકાનેર તાલુકામાં અનાવૃષ્ટિના કપરા સંજોગોમાં ખેડુતોનો પાક બચાવવા મચ્છુ -1 ડેમમાંથી પિયત માટે તાત્કાલીક પાણી આપવાની માંગ સાથે વાંકાનેર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર મારફત સિંચાઈ મંત્રીને રજુઆત કરવામાં…

જન્માષ્ટમીની માર્કેટિંગ યાર્ડમાં અઠવાડિયાની રજા

જન્માષ્ટમીની રજા બાબતે માહિતી આપતા યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે તા.04 સપ્ટેમ્બરથી 09 સપ્ટેમ્બર સુધી વાંકાનેર યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે, જે સમય દરમિયાન યાર્ડના તમામ કામકાજ બંધ રહેશે, જેથી આ સમય દરમિયાન ખેડૂતોએ યાર્ડમાં…

ખેડૂતો સાવધાન! જંતુનાશક દવાનાં યુનિટમાં તપાસ

107 ઉત્પાદક યુનિટને નોટીસ, લાખોનો જથ્થો અટકાવાયો ગાંધીનગર: રાજ્યમાં કુલ જંતુનાશક દવાનાં 320 ઉત્પાદક યુનીટમાં આકસ્મિક તપાસ કરવા માટે વિશેષ સ્ક્વોર્ડ તૈયાર કરવામાં આવી હતી. જે સ્ક્વોર્ડ દ્વારા ઉત્પાદક યુનીટ એકમોમાં ઓચીંતી તપાસ કરાઇ હતી. જે અંતર્ગત રાજ્યના 19 જિલ્લાઓમાં…

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ખર્ચ્યા 210 કરોડ

કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં કુલ 103.26 કરોડ તો AAPએ 33.8 કરોડનો ખર્ચ કર્યો વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો અને કોંગ્રેસને માત્ર 17 બેઠકો પર જ જીત મળી હતી ચૂંટણી પંચની વેબસાઈટ પર જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર…

વિધવા અને અપરણિત મહિલાઓ શા માટે નથી લગાવતી સિંદૂર

માથામાં સિંદૂર ભરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે: જાતીય ઉત્તેજના વધે છે હિન્દુ ધર્મમાં સિંદૂર ભરવું ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વિધિ પછી દુલ્હન પોતાના પતિના જીવિત રહેવા સુધી દરરોજ માથામાં સિંદૂર પુરે છે. સિંદૂર સોળ શ્રુંગારમાંથી એક માનવામાં આવે…

પાંચદ્રારકા ગામે આજે સ્ત્રીરોગ (ગાયનેક)નો ફ્રી નિદાન કેમ્પ

નિદાન તથા દવા ફ્રીમાં અને જો જરૂરી હોય તો સોનોગ્રાફી પણ ફ્રીમાં કરી આપવામાં આવશે કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ- રાજકોટ અને જામેઆ ફાતેમતુઝઝહરા લીલ બનાત- પાંચદ્વારકાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન  વાંકાનેર: રાજકોટમાં આવેલ કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. રૂકમુદીન કડીવાર પોતાના માદરે વતન…

ઇફ્કોના નેનો લિકવીડ ડીએવીપી ને કેન્દ્ર સરકારની મંજૂરી: ખેડૂતોને મોટો ફાયદો

નેનો યુરીયા બાદ નેનો લિકિવડ DAPના પ્લાન્ટ સ્થપાશે ગાંધીનગર : IFFCO નેનો લિક્વિડ DAPને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેના ઉત્કૃષ્ટ પરિણામોને કારણે તેને ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર (FCO) હેઠળ સૂચિત કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે તેના…

“મા” કાર્ડ અને “મા વાત્સલ્ય” યોજનાના કાર્ડ કન્વર્ટ કરી લો: 31 માર્ચ પછી નહિ ચાલે

મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે સરકાર દ્રારા અગાઉ મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના અને મા વાત્સલ્ય યોજના શરૂ કરવામાં આવેલી હતી. આ તમામ યોજનાનું આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY-MA)માં સરકાર દ્રારા સમાવેશ કરવામાં આવેલ છે. જેથી…

વાંકાનેરની કોલેજમાં 3D પ્રિન્ટર બાંધણીની બનાવટ તથા રોકેટ સાયન્સનો કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થિનીઓ દ્વારા મટીરીયલમાંથી જાતે રોકેટ બનાવી રોકેટ સાયન્સની વિસ્તૃત જાણકારી અપાઈ વાંકાનેર : આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-23ની ઉજવણીનાં ભાગરૂપે એચ એન દોશી આર્ટ્સ એન્ડ આર એન દોશી કોમર્સ કોલેજ વાંકાનેર ખાતે 3 D પ્રિન્ટર બાંધણીની…

ટંકારાના જબલપુર ગામે રાત્રી સભા યોજતા જિલ્લા કલેકટર 

ગ્રામજનો દ્વારા લતીપર ચોકડીના ખખડધજ રસ્તાનો પ્રશ્ન ઉઠાવાયો  ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કલેક્ટરે ગ્રામ પંચાયતની સ્થળ તપાસ કરી હતી. રાત્રિ સભા અંતર્ગત લોકોના પ્રશ્નોનો મુખ્યત્વે…

ઘરનું ઘર ગુજરાત સરકારે ગ્રામીણ ભાગમાં પ્રધાનમંત્રી આવાસ યોજના કુલ ૧,૪૨,૧૮૬ આવાસોને આપી મંજુરી

મે મહિના સુધીમાં આ તમામ આવાસોનું ખાતમુહુર્ત કરી પ્લીન્થ લેવલ સુધી પહોંચે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે 

Content Copying Forbidden !!

error: Content is protected !!