વાંકાનેર: તાલુકાના લાલપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનનો સાડા ત્રણ વર્ષનો દીકરો વાડીની બાજુમાં આવેલ કેનાલમાં પડી ગયો હતો અને ત્યાં કેનાલના પાણીમાં ડૂબી જવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજ્યું હતું 

જાણવા મળ્યા મુજબ વાંકાનેર નજીક આવેલ લાલપર પાસે મહમદહુસેનભાઈ જલાલભાઈ મોમીનની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેન્દ્રભાઈ સંઘાળીયાનો સાડા ત્રણ વર્ષનો દીકરો લવરાજ સંઘાળીયા રમતા રમતા વાડીની બાજુમાં આવેલ કેનાલના પાણીમાં પડી ગયો હતો અને 

ત્યાં કેનાલમાં પાણીમાં ડૂબી જવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

