25 હજાર કરોડના આલીશાન હવેલીમાં રહે છે
ભારતના સૌથી આમિર ક્રિકેટરના પત્ની
પત્રકાર તરીકે નોકરી પણ કરી ચૂકયા છે
સંપત્તિ અઢળક પણ તે સાદગીથી પોતાનું જીવન જીવે છે
આજે અમે તમને જે રાજવી પરિવાર અને રાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે એકદમ અલગ છે. દેશની સૌથી સુંદર રાણીનો તાજ વડોદરાના રાણી રાધિકારાજે ગાયકવાડના નામે છે. રાધિકારાજે વાંકાનેર સ્ટેટના ડૉ.રણજીત સિંહના પુત્રી છે, રાધિકારાજે રાજકુમારી ભારતના ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી ડો. દિગ્વિજયસિંહના ભત્રીજી છે…રાધિકારાજે અને તેમનો પરિવાર ગ્લેમર પાછળ ખૂબ જ સાદું જીવન જીવે છે. બરોડાની રાણી રાધિકારાજે ગાયકવાડ પાસે સંપત્તિ કે સાડીઓની કોઈ કમી નથી, પરંતુ જ્યારે તે કોલકાતામાં ડિઝાઇનર સબ્યસાચીના કાર્યક્રમમાં 100 વર્ષ જૂની પૈઠની સાડી પહેરીને પહોંચી ત્યારે તેમની સાદગીથી બધા પ્રભાવિત થઇ ગયા. મહારાણી રાધિકારાજે જેટલી સુંદર છે તેટલી જ સરળ….
તે ખૂબ જ સાધારણ જીવન જીવે છે, તે વર્ષોથી ભારતીય સંસ્કૃતિ અને રાજવી પરિવારના વારસાને જાળવવા માટે કાર્યરત છે. તેમની સાદગી આટલા સુધી મર્યાદિત નથી. બરોડાની રાણી બનતા પહેલા તે વાંકાનેરના રાજવી પરિવારની રાજકુમારી પણ હતી, પરંતુ તેમનો સ્વભાવ કે જીવનશૈલી રાજકુમારી જેવી નહોતી. હ્યુમન ઓફ બોમ્બે સાથેના એક ઇન્ટરવ્યુમાં રાધિકારાજે કહ્યું હતું કે ફક્ત એટલા માટે કે તે રાણી છે, તેનો અર્થ એ નથી કે તેનું જીવન બીજાઓથી અલગ છે.
તેમના પિતા ડૉ.રણજીત સિંહે પણ રાજવી પરિવારની પ્રતિષ્ઠા છોડીને IAS અધિકારી બનવાનો માર્ગ પસંદ કર્યો, રાધિકા પણ તેમના માર્ગ પર ચાલ્યા. બરોડાના મહારાણી રાધિકારાજે તેમના સરળ વર્તન માટે જાણીતા છે. દિલ્હી યુનિવર્સિટી (DU)માં અભ્યાસ કરતી રાધિકારાજે ક્યારેય તેના મિત્રોને એ જણાવવા દીધી નહીં કે તે કોઈ વિરાસત રાજકુમારી છે. દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રીરામ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર અને પછી મધ્યયુગીન ભારતીય ઇતિહાસમાં પીજી કરનાર રાધિકારાજે, ડીટીસી બસોમાં કોલેજ જતી અને આવતી…
રાધિકારાજેએ ક્યારેય રાજ પરિવારના શાહી રવૈયાને પોતાના પર હાવી ન થવા દીધુ. તેમના મિત્રોને પણ ખબર નહોતી કે તે રાજકુમારી છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે ઇન્ડિયન એક્સપ્રેસમાં પત્રકાર તરીકે કામ કર્યું. સામાન્ય લોકોની જેમ તે 9 થી 5 સુધી કામ કરતા હતા. એવું નહોતું કે તેમને મોટો પગાર મળતો હતો. જ્યારે તે માત્ર 20 વર્ષના હતા, ત્યારે તેમને ઇન્ડિયન એકસપ્રેસમાં પત્રકાર તરીકે નોકરી મળી હતી. અભ્યાસની સાથે સાથે તેમણે માસ્ટર ડિગ્રી પણ મેળવી. સામાન્ય રીતે રાજવી પરિવારના લોકો નોકરી કરતા નથી…
રાધિકાના પરિવારમાં તેના ભાઈ-બહેનોના લગ્ન 21 વર્ષની ઉંમર સુધીમાં થઈ ગયા હતા. તે પરિવારમાં ખાનગી નોકરી કરતી પહેલી મહિલા હતી. લગભગ 3 વર્ષ પત્રકાર તરીકે કામ કર્યા પછી, તેણે વર્ષ 2000માં બરોડાના પ્રિન્સ સમરજીત ગાયકવાડ સાથે લગ્ન કર્યા. લગ્ન પછી, રાધિકારાજે એ બરોડાના મહારાજા સમરજીત ગાયકવાડ સાથે વિશ્વના સૌથી મોટા ખાનગી નિવાસસ્થાન લક્ષ્મી વિલાસ પેલેસમાં રહેવાનું શરૂ કર્યું. પરંતુ આ પછી પણ તેમનું એક સ્વપ્ન અધૂરું રહ્યું. રાધિકાને વિદેશી ડિગ્રી જોઈતી હતી.
લગ્ન પછી મહારાજના ટેકાથી તેમને પોતાનું સ્વપ્ન પૂરું કરવાની તક મળી. કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં તેમના કાર્ય માટે તેમને પૂર્વ લંડન યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ ઓફ આર્ટ્સની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી મોટા ખાનગી નિવાસસ્થાનનો ખિતાબ વડોદરાના ‘લક્ષ્મી વિલાસ પેલેસ’ એટલે કે બરોડા પેલેસના નામે છે. આ મહેલ ગાયકવાડ રાજવી પરિવારનો મહેલ છે. વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ વિશ્વનો સૌથી મોટો ખાનગી રહેઠાણ છે.
રાજવી પરિવારના વડા સમરજીત સિંહ ગાયકવાડ તેમની પત્ની રાધિકારાજે ગાયકવાડ અને પરિવાર સાથે 2013થી આ મહેલમાં રહે છે. 1875 માં બરોડા રાજ્યના મહારાજા સયાજીરાવે બરોડામાં લક્ષ્મી વિલાસ પેલેસ બનાવ્યો, જે વિશ્વના સૌથી મોંઘા અને વૈભવી મહેલોમાં ગણાય છે. 700 એકરમાં ફેલાયેલું આ ઘર એટલું મોટું છે કે તેમાં 4 બકિંઘમ પેલેસ સમાવી શકે છે. લક્ષ્મી વિલાસ પેલેસ બરોડાના રાજવી પરિવાર એટલે કે રાજવી ગાયકવાડ પરિવારનું ઘર છે.
રાજવી પરિવાર મહેલના એક ભાગમાં રહે છે, જ્યારે બીજા ભાગને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે જેથી સામાન્ય લોકો પણ મહેલ જોવા માટે આવી શકે. હાઉસિંગ કોમ અનુસાર, લક્ષ્મી વિલાસ વિશ્વના સૌથી મોટા ખાનગી રહેઠાણોમાંનું એક છે. 3,04,92,000 વર્ગફૂટમાં ફેલાયેલા આ મહેલમાં બગીચા વિસ્તાર અને ગોલ્ફ કોર્સનો પણ સમાવેશ થાય છે. મહેલમાં 170 રૂમ છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1886માં બનેલી પહેલી મર્સિડીઝ બેંચ પેટેંટ મોટરવેગન ખરીદી હતી.
રાજવી પરિવાર પાસે 1934ની રોલ્સ રોયસ, 1948ની બેન્ટલી માર્ક VI અને 1937ની રોલ્સ રોયસ ફેન્ટમ III પણ છે. આ મહેલ 3,04,92,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે, જેને બનાવવામાં 12 વર્ષ લાગ્યા હતા. આ મહેલની ડિઝાઇન ચાર્લ્સ ફેલો ચિશોલ્મ દ્વારા કરવામાં આવી હતી. 170 રૂમ ઉપરાંત, મહેલમાં વિશાળ બગીચો, ઘોડેસવારી મહેલ, સ્વિમિંગ પૂલ, ગોલ્ફ કોર્સ વગેરે જેવી ઘણી સુવિધાઓ છે. આ મહેલ બનાવવા માટે 18 હજાર ગ્રેટ બ્રિટન પાઉન્ડ લાગ્યા હતા. આજે તે દેશનું સૌથી મોંઘુ ઘર છે.
સમરજીત સિંહ ગાયકવાડ મહારાજા રણજીત સિંહ પ્રતાપ સિંહ ગાયકવાડ અને શુભાંગી રાજેના એકમાત્ર પુત્ર છે. સમરજીત સિંહ ગાયકવાડ ભૂતપૂર્વ ક્રિકેટર પણ રહી ચૂક્યા છે. પિતાના નિધન પછી સમરજીત સિંહ ગાયકવાડ મહારાજા બન્યા. તેમની ગણતરી સૌથી ધનિક ક્રિકેટરોમાં થાય છે. તેમણે રણજી ટ્રોફીમાં બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું છે, ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા અને બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ સેવા આપી. એક મુલાકાતમાં, રાધિકારાજે પોતે કહ્યું હતું કે ક્યારેક લોકો એવું માને છે કે રાણી બનવાનો અર્થ ફક્ત તાજ પહેરવો છે, પરંતુ વાસ્તવિકતા ચમક અને ગ્લેમરથી ઘણી દૂર છે. તે સાદગીથી પોતાનું જીવન જીવે છે, એ જ સાદગીથી તે પોતાની બે દીકરીઓનો ઉછેર કરી રહી છે. ગાયકવાડ પરિવારને રાજા રવિ વર્માના ઘણા ચિત્રો વારસામાં મળ્યા છે. સોના અને ચાંદીના દાગીના ઉપરાંત, ગાયકવાડ પરિવાર ગુજરાત અને વારાણસીના 17 મંદિરોના ટ્રસ્ટનું પણ સંચાલન કરે છે.
તેમની પાસે ઘણા રાજ્યોમાં મિલકત છે. આ મહેલની કિંમત લગભગ 2,43,93,60,00,000 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે આ કિંમત રિયલ એસ્ટેટ અનુસાર અંદાજવામાં આવી છે. જો આપણે સમરજીત સિંહની સંપત્તિ વિશે વાત કરીએ તો તેમની કુલ સંપત્તિ 20000 કરોડ રૂપિયા છે. ગાયકવાડ પરિવાર પાસે દેશભરમાં ઘણી મિલકતો છે. -સંપાદિત