કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category શૈક્ષણિક

સજનપર પ્રા. શાળાના વિદ્યાર્થીઓ વિધાનસભાની મુલાકાતે

જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાનું યોગદાન ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાએ વિધાનસભાની મુલાકાત કરાવી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી તેમજ મંત્રી ત્રિકમભાઈ છાગાને મળ્યા હતા…

મહિકાના ડો. શાબીર એ. બાદી GPSC પાસ થયા

મહિકાના ડો. શાબીર એ. બાદી GPSC પાસ થયા

હાલ AIIMS માં સિનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે એમના મર્હુમ પિતાશ્રી અયુબભાઇ ફોરેસ્ટ ખાતામાં સર્વિસ કરતા હતા ફૈઝ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી વાંકાનેર: તાલુકાના મહિકા ગામના વતની યુવાન ડો. શાબીર એ. બાદીએ તાજેતરમાં જાહેર થયેલા ગુજરાત પબ્લિક…

કાનપર શાળામાં વિજ્ઞાન પ્રયોગોનું નિદર્શન યોજાયું

બાળકોએ સી.વી. રામનના જીવન વિશેની વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી વાંકાનેર: તાલુકાની કાનપર પ્રાથમિક શાળા ખાતે વૈજ્ઞાનિક શ્રી સી. વી. રામન ની શોધ “રામન ઇફેક્ટ” ની યાદમાં  “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવવાનું ભારત સરકારે નક્કી કરેલ હોય તે અંતર્ગત શાળામાં વિજ્ઞાન…

CET માં બેસ્ટ પરિણામ મેળવનાર સાયન્સ સિટીના પ્રવાસે

અમદાવાદ મુકામે સાયન્સ સિટી ખાતે નિઃશુલ્ક પ્રવાસ વાંકાનેર: ગત તા.24/02/2026 ને મંગળવાર નાં રોજ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી આયોજિત વાંકાનેર તાલુકામાં CET exam 2024/ 2025 માં બેસ્ટ પરિણામ મેળવનાર કુલ 3 બસ જેટલા બાળકોને અમદાવાદ મુકામે સાયન્સ સિટી ખાતેનો…

પગમાં ફ્રેકચર છતાં પરીક્ષા આપતી રૂપાવટીની પ્રિયંકા

‘આપ’ ના રણછોડભાઈ થુલેટિયાનો માનવતાવાદી અભિગમ અકસ્માતમાં ઈજાગ્રસ્ત પ્રિયંકાના પિતા અમદાવાદ સારવાર લઈ રહ્યા છે વાંકાનેર: મજબુત મનોબળને કદી કોઇ સીમાડા નડતાં નથી હોતા અને હાડકાં તૂટવાની વેદના મન પર હાવી થતી નથી હોતી આ ઉક્તિને બોર્ડની ધો.10ની પરીક્ષાર્થીએ સાકાર…

NMMS માં અમરાપરની વિધાર્થિનીઓનું ઉત્ક્રુષ્ટ પરિણામ

વિધાર્થિની ખોરજીયા સારા અને બાદી ફિઝા ટંકારા: તાજેતરમાં જ ધો.8 ના વિધાર્થીઓ માટે લેવાતી રાષ્ટ્રીય લેવલ શિષ્યવૃતિ પરીક્ષા NMMS નુ રિઝલ્ટ બહાર પડ્યું છે. જે પરીક્ષા કુલ 180 માર્ક્સની હોય છે અને તેમાં ગણિત, વિજ્ઞાન ,રીઝનીંગ અને સામાજિક વિજ્ઞાન જેવા…

વઘાસીયા શાળાની મહેવીસ માથકીયા રાજ્ય કક્ષાએ દ્વિતીય

વાંકાનેરનું ગૌરવ ચોથા ધોરણમાં ભણે છે વાંકાનેર તાલુકાની વઘાસીયા પ્રાથમિક શાળાની ચોથા ધોરણની વિદ્યાર્થીની મહેવીસ ફિરોજભાઈ માથકીયાએ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે. તેણે ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવી રાજ્ય…

ધો.૧૦/ ધો.૧૨ ના વિદ્યાર્થીઓ/ વાલીઓ માટે હેલ્પલાઇન

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

વાંકાનેરમાં બાદી : ટંકારામાં જીવાણી વાંકાનેર: માર્ચ – ૨૦૨૫ના ધો.૧૦ અને ધો.૧૨ (સા.પ્ર.)૨ (વિ.પ્ર.) ના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે હેલ્પલાઇન શરુ કરવા માન. સચિવશ્રી દ્વારા સુચના થઇ આવેલ છે. જે અન્વયે નીચે મુજબ જિલ્લા અને તાલુકા હેલ્પલાઇન તા.૨૫/ ૦૧/૨૦૨૬ થી…

પ્રજાસતાક દિવસે ભાટિયા, જુના ઢુવા અને રંગપર ખાતે ઉજવણી

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

વાંકાનેર: ગઈ કાલે પ્રજાસતાક દિવસે તાલુકાના ભાટિયા કુમાર શાળા અને કન્યા શાળાના વિદ્યાર્થીઓ માટે કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું, ઉપરાંત જુના ઢુવા તાલુકા શાળા અને રંગપર ખાતે પ્રજાસતાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી….મચ્છુકાંઠા વૃદ્ધાશ્રમના સંચાલક મુંબઈવાળા શ્રી દિલીપભાઈ શાહ…

દીકરીના ભવિષ્ય માટે મળે છે રૂપિયા 1.10 લાખ

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

વ્હાલી દીકરી યોજના 2026 રાજ્ય સરકારની એક મહત્વપૂર્ણ સામાજિક યોજના છે, જેનો હેતુ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવાનો, શિક્ષણમાં સતતતા જાળવવાનો અને ભવિષ્ય માટે આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ પાત્ર પરિવારોને કુલ ₹1,10,000ની સહાય અલગ અલગ તબક્કામાં દીકરીના…

દિક્ષીત વાઘેલાનું જિ.પંચા. પ્રમુખ-ધારાસભ્યે કર્યું સન્માન

સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં દ્વિતીય ક્રમ મેળવ્યો વાંકાનેર: અહીંના દિક્ષીત વાઘેલાએ વર્ષ ૨૦૨૫માં ધો.-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષામાં ૮૩.૮૩ ટકા સાથે ઉત્તીર્ણ થઈ સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો જેથી કરીને જિલ્લા પંચાયત પ્રમુખ…

કોઠારીયા કુમાર શાળાના આચાર્યને વિદાયમાન અપાયું

આચાર્યે 11,111 રૂપિયાનું શાળાને અનુદાન આપ્યું વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામમાં છેલ્લા 28 વર્ષથી પોતાની શિક્ષણની સુવાસ ફેલાવતા આચાર્ય હિમાંશુભાઈ જેતપરિયાની બદલી થતાં વિદાયમાં કાર્યક્રમ યોજાયો હતો. કોઠારીયા ગામની બે પેઢીને શિક્ષિત કરી ઉચ્ચ કારકિર્દી સુધી પહોંચાડનાર શિક્ષક દંપતિ હિમાંશુભાઈ જેતપરિયા…

વક્તૃત્વ સ્પર્ધામાં મઘ્ય ઝોનમાં પ્રથમ નંબર

પરિવાર, વઘાસિયા શાળા, તાલુકા તથા જિલ્લાનું ગૌરવ = માથકિયા મેહવિસ વાંકાનેર: ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેરિત તેમજ કમિશનર યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ,વડોદરા સંચાલિત મઘ્ય…

રંગપર શાળામાં બેગલેસ ડે અંતર્ગત યોજાયો શેરી રમતોત્સવ

વાંકાનેર: રંગપર પ્રાથમિક શાળા ખાતે NEP- 2020 અંતર્ગત બેગલેસ- ડે ની ઉજવણી કરવામાં આવી. જેમાં નવરંગ નેચર કલબના પ્રમુખશ્રીના માર્ગદર્શન અનુસાર વિવિધ લુપ્ત થયેલી શેરી રમતો રમાડવામાં આવી હતી. વિવિધ શેરી રમતો પૈકી કોથળાદોડ, ટાયર ફેરવવા, કુદવા, સામસામે ખેંચવા, ટાયરમાંથી…

રાજ્યપરીક્ષા બોર્ડ દ્વારા અમરાપર શાળાને અભિનંદન પત્ર

આયુષ્માન આરોગ્ય મંદિર મકતાનપરને 'NQAS' પ્રમાણપત્ર

ઉત્કૃષ્ટ દેખાવની કદર ટંકારા: તાલુકાની અમરાપર પ્રાથમિક શાળા દ્વારા ધો.5 માં લેવાતી cet અને ધો.6માં લેવાતી pse અને 8 માં લેવાતી nmms અને cgms સહિતની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ રાજ્યપરીક્ષા બોર્ડ દ્વારા અમરાપર શાળાને અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. અત્રે…

વક્તૃત્વ સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબરે વઘાસિયાની બાળા

વાંકાનેર: ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેરિત તેમજ કમિશનર યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત તેમજ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, મોરબી સંચાલિત મોરબી જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 4 જાન્યુઆરી 2026…

રાજયની ખાનગી શાળાઓની ફી ઓનલાઈન જાહેર કરતી FRC

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

રાજકોટ ઝોનની ખાનગી શાળાઓની ફીનું માળખું હવે પછી 5980 ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ હવે ફી ની વધુ રકમ ઉઘરાવી શકશે નહીં નિયમોનો ઉલાળીયો કરી ફી વસૂલનારી સંસ્થાઓની ફરિયાદ વાલીઓ-વિદ્યાર્થીઓ હવે સીધી શિક્ષણ વિભાગમાં કરી શકશે રાજયમાં ખાનગી શાળાઓ દ્વારા ફી નિયમન…

જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવ્યો

આયુષ્માન આરોગ્ય મંદિર મકતાનપરને 'NQAS' પ્રમાણપત્ર

લીંબાધાર શાળા વાંકાનેર: મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં વધુ વિદ્યાર્થીઓ મધ્યાહ્નન ભોજનનો લાભ લે એ માટે રોજ બરોજમાં ઉપયોગમાં વપરાતી…

વરડુસર પ્રા.શાળા ખાતે કાર્યક્રમો યોજાયા

બાળકોના આઈ કાર્ડ, સ્પોર્ટ યુનિફ્રોમ વિતરણ, ટી.એલ.એમ વર્કશોપ, સાયન્સ લેબ ઉદ્ઘાટન કાર્યક્રમોનો સમાવેશ વાંકાનેર: તાલુકાની જામસર સીઆરસી ની પીએમશ્રી વરડુસર પ્રા.શાળા ખાતે બાળકોના આઈ કાર્ડ અને સ્પોર્ટ યુનિફ્રોમ, વિતરણ ટી.એલ.એમ વર્કશોપ, સાયન્સ લેબ ઉદ્ઘાટન રાખવામાં આવેલ જેમાં વાંકાનેર તાલુકા બીઆરસી…

દીઘલિયા શાળામાં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી

વાંકાનેર: તા. ૨૬/૧૧/૨૦૨૫, બુધવારના રોજ વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓએ બંધારણનાં આમુખનું વાચન કર્યું હતું. શાળાના આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ કાલરિયાએ બંધારણ દિવસ અંતર્ગત…

ખેલ મહાકુંભ 2025 કબડ્ડી રમતમાં વિદ્યાભારતીના વિજેતા ખેલાડીઓનું સન્માન

વાંકાનેર: મોરબી જિલ્લા કક્ષાએ યોજાયેલ ખેલ મહાકુંભ 2025 કબડ્ડી રમતમાં વી. એ. મહેતા શૈક્ષણિક સંકુલ (વિદ્યાભારતી), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત “ઇનસ્કૂલ”, વાંકાનેરના વિધાર્થી U 14, U 17 ને ઓપનએજ ગ્રુપ ભાઈઓ અને શિક્ષક (કોચ) શ્રી દર્શનભાઈ દેશાણીને ગુજરાત રાજ્યકક્ષાના મંત્રી…

વાંકાનેરના પાજ ગામના સિપાઈ પરિવારનું ગૌરવ

ફૈઝ સ્કુલ (લાલપર) ની ભૂતપૂર્વ વિદ્યાર્થીની વાંકાનેર તાલુકાના પાજ ગામના ખેડૂત પૂત્ર સિપાઈ સાજી અમી હાજી (9979019838) ની સુપુત્રી નાહીદાબાનુનું ક્લાસ 2 નર્સિંગ ઓફિસર Jipmer માં સિલેકશન થયેલ છે, સૌ શુભેચ્છકો એમને અભિનંદન આપી રહ્યા છે સાજીભાઈને ત્રણ સંતાનોમાં દીકરી…

જ્ઞાનગંગા સ્કૂલને ડીઈઓ કચેરીની કારણદર્શક નોટીસ

જ્ઞાનગંગા સ્કૂલને ડીઈઓ કચેરીની કારણદર્શક નોટીસ

નિયમોનુસાર અહેવાલ રજુ કરવા શાળાને આદેશ કરાયો વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલમાં વિદ્યાર્થીની વિગતો અને એલ.સી વિગતોમાં વિસંગતતા જોવા મળી હતી જેને પગલે ડીઈઓ કચેરી દ્વારા શાળા સંચાલક/આચાર્યને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે અને નિયમોનુસાર શાળાએ અહેવાલ રજુ કરવા જીલ્લા શિક્ષણ અધિકારી…

શિક્ષક ભરતી… વાંકાનેરની નામાંકિત શારદા વિદ્યાલય ખાતે વિવિધ જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે ઉચ્ચત્તમ પગાર સાથે સ્ટાફની ભરતી

વિવિધ જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે ઉચ્ચત્તમ પગાર સાથે ભરતી કરાશે વાંકાનેર શહેરની નામાંકિત એવી શારદા વિદ્યાલય ખાતે આગામી દિવાળી વેકેશન બાદથી શરૂ થતાં નવા શૈક્ષણિક સત્ર માટે ઉપર મુજબની વિવિધ જગ્યાઓ ઉપર ઉચ્ચતમ પગાર ધોરણ સાથે શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક…

દીઘલિયા શાળાના 138 વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ભેટ

મુંબઈના દાતાશ્રીઓનું સ્તુત્ય પગલું વાંકાનેર: તા.૦૭/૧૦/૨૦૨૫, મંગળવારના રોજ મુંબઈના દાતાશ્રીઓ બીજલબેન જગડ, શ્રી મહિન્દ્રાભાઈ ગડા અને એમના સાથીદારો તરફથી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાના કુલ ૧૩૮ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. મુંબઈના દાતાશ્રીઓએ ટ્રાન્સપોર્ટ દ્વારા…

દીઘલિયા શાળામાં વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી

નિબંધ સ્પર્ધા યોજવામાં આવી કાર્યક્રમમાં ઈન ચાર્જ વનપાલ દલડી ઉપસ્થિત રહ્યા વાંકાનેર: તા.૮/૧૦/૨૦૨૫, બુધવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં સામાજિક વનીકરણ રેન્જ-વાંકાનેર દ્વારા વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી…

કોઠારીયા: જવાહર નવોદય વિદ્યાલય ખાતે તાલીમ યોજાઈ

પંચાયતી રાજ મંત્રાલયની ‘મોડેલ યુવા ગ્રામ સભા’ ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયની ‘મોડેલ યુવા ગ્રામ સભા (MYGS)’ ની નવી પહેલ હેઠળ જવાહર નવોદય વિદ્યાલય (JNV), કોઠારિયા ખાતે શિક્ષકો માટે એક તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જવાહર નવોદય વિદ્યાલય, દીવ સહિત ૮…

નવી બનેલી શાળામાં પહેલા વરસાદમાં જ દીવાલમાંથી પાણી આવવા લાગ્યું !

જવાબદારો સામે પગલાં લેવાશે? વાંકાનેર ભાટિયા કુમાર પ્રાથમિક શાળા હજી તો આ વર્ષે જ બની છે વાંકાનેર: તાલુકાની તાલુકા શાળા નં -૧ ની પેટા શાળા શ્રી ભાટિયા કુમાર પ્રાથમિક શાળા હજી તો આ વર્ષે કરોડોના ખર્ચે નવી શાળા બની અને…

વડાપ્રધાનશ્રીના જન્મદિવસે રંગપર શાળામાં વૃક્ષારોપણ

વાંકાનેર: ગઈ કાલે આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીના અનુસંધાને વાંકાનેર તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ રંગપર પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કિશોરભાઈ રાઠોડ સાહેબ, બી આર સી કોઓર્ડીનેટર બાદી સાહેબ, સીઆરસી…

પુરસ્કાર રકમ ગૌસેવામાં અર્પણ કરતા સરતાનપરના શિક્ષિકા

પુરસ્કાર શિક્ષક દિન નિમિતે સરકાર દ્વારા મળેલ હતો મોરબીની નવયુગ સ્કુલ વિરપર ખાતે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષ સ્થાને શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીમાં જિલ્લા/તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ…

જિલ્લાકક્ષાની બેઝબોલ અને સોફ્ટબોલમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન

એસ.એમ.પી. હાઈસ્કૂલ સીંધાવદરની જિલ્લા કક્ષાએ સિદ્ધિ રાજ્યકક્ષાએ અંડર 14/17 અને 19 એમ કુલ મળીને 30 ખેલાડીઓ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે વાંકાનેર: રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી…

ગેલેક્સી સ્કૂલની વિદ્યાર્થીની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ

બાદી સારાએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મળતા અભિનંદન વાંકાનેર: આજે મોરબી ખાતે યોજાયેલા જીલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ગેલેક્સી સ્કૂલની પ્રતિભાશાળી વિદ્યાર્થીની બાદી સારાએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું. ગેલેક્સી સ્કૂલની આ પ્રતિભાશાળી વિદ્યાર્થીની બાદી સારાએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત…

જિલ્લા કક્ષાના કલા મહાકુંભમા SMP હાઈસ્કૂલનો ઉત્કૃષ્ઠ દેખાવ

ગરબામાં અને વકતૃત્વમાં તૃતીય તથા લગ્નગીતમાં દ્વિતીય નંબર મેળવ્યો વાંકાનેર: રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા કમિશ્નરશ્રી, યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી સંચાલિત જિલ્લા કક્ષા કલા મહાકુંભ…

સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી

તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું વાંકાનેર: અહીં ચંદ્રપુર હાઇવે, ભાટિયા સોસાયટી સામે, માં હોસ્પિટલ પાસે આવેલ સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટ નિમિતે શાળાના આચાર્ય મુસ્તાક સાહેબ, નિઝામ સાહેબ, સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન કરી આઝાદીના લડવૈયાને…

વાંકાનેર વિસ્તારની સ્વનિર્ભર શાળાઓ દ્વારા વૃક્ષારોપણ

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

2000 કે તેના કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું વાંકાનેર: વિસ્તારમાં આવેલી સ્વનિર્ભર શાળાઓ દ્વારા રેકોર્ડબ્રેક વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સ્વનિર્ભર શાળા દ્વારા માત્ર એક દિવસમાં આશરે 2000 કે તેના કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં…

કાનપર શાળામાં સ્વચ્છતા અને વૃક્ષારોપણ રેલી

વાંકાનેર: તા. 2/8 ના જિલ્લા વિકાસ અધિકારી સાહેબની સૂચના મુજબ કાનપર પ્રાથમિક શાળા કક્ષાએ સ્વચ્છતા અને વૃક્ષારોપણ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકોએ સ્વચ્છતા અને વૃક્ષોનું મહત્વ ની સમજ આપતા વિવિધ સૂત્રાચારો કર્યા . જેવા કે (1) મારું ગામ,…

નવનિયુક્ત સરકારી માધ્યમિક શિક્ષકોની નિમણૂક

મોરબી જિલ્લામાં 44 નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત મોરબી જિલ્લામાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા શાળા પસંદગી કરનાર 44 નવનિયુક્ત સરકારી માધ્યમિક શાળાના શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં…

એસ.એમ.પી. હાઈસ્કૂલ, સિંધાવદર મુકામે વાલી મિટિંગ

વિશાળ સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા વાંકાનેર: તાલુકામાં એસ.એમ.પી. હાઈસ્કૂલ, સિંધાવદર મુકામે યોજાયેલ વાલી મિટિંગ યોજાઈ હતી, જેમાં વાલીઓ સાથે સહકાર અને વિશ્વાસનો સુંદર સંવાદ થયો હતો, પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની ઉત્સાહ સાથે મોટા પ્રમાણમાં હાજરી રહી હતી. શિક્ષકો…

વાંકાનેરનું ગૌરવ: પીએચ.ડી.ની ડીગ્રી મેળવી

વાંકાનેર:અહીંના શ્રી પ્રિયંકા એમ.સોલંકી જે એમ.ટી.ધમસાણીયા કોમર્સ એન્ડ બી.બી.એ.કોલેજના વિદ્યાર્થી છે. તેમણે ‘ટુ ઇવેલ્યુએટ પ્રમોશનલ એકટીવીટી ઓફ કાર માર્કેટસ એન્ડ ઇટસ ઇમ્પેકટ ઓન બાયર્સ ડુરીંગ ફેસ્ટીવલ પીરીયડ ઇન ગુજરાત’ વિષય ઉપર મહાશોધ નિબંધ તૈયાર કર્યો છે. જેમાં કાર ખરીદી કરતી…

સી.એ. પાસ વાંકાનેર વિસ્તારના ત્રણ તેજસ્વી તારલા

વાંકાનેર: સમગ્ર રાજકોટ જિલ્લામાં વાંકાનેરના વેદાંત કાનાબારે સીએની ફાઉન્ડેશન પરીક્ષા ત્રીજા નંબરે પાસ કરેલ છે ત્યારે વાંકાનેર લોહાણા મહાજનના ટ્રસ્ટી વિનોદભાઈ કાનાબારના પૌત્ર જે ધરતી ઑઈલ મિલ વાળા જીગ્નેશભાઈ કાનાબારના પુત્રને શુભેચ્છા મળી રહી છે. ટંકારા તાલુકાના ટોળ ગામના ખેડૂત…

સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં ગ્રુપ-A પદમાં પસંદગી

મોમીન સમાજનું ગૌરવ પાંચદ્વારકા ગામની પરાસરા કુટુંબની પ્રતિભાશાળી દીકરી વાંકાનેર: તાલુકાના પાંચદ્વારકા ગામની એક પ્રતિભાશાળી દીકરી ફરજાનાબાનુ રસુલભાઈ પરાસરાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજિત સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Combined Competitive Exam) પાસ કરીને ગ્રુપ-A પદ માટે પસંદગી મેળવી…

શિક્ષકોનો આક્રોશ: અમે શિક્ષક છીએ કે બળદ?

શૈક્ષણિક સત્રની શરૂઆતથી શાળાઓમાં એક પછી એક કાર્યક્રમોની ભરમાર મોરબી જિલ્લામાં શિક્ષણ સિવાયના અનેક કાર્યક્રમોથી શિક્ષકો ત્રાહિમામ   ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોની સાથે મોરબી જિલ્લાના શિક્ષકોની દશા ખુબજ કફોડી છે. શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ત્યારથી એક પછી એક અનેક કાર્યક્રમોની…

આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ– 2025 અંતર્ગત શૈક્ષણિક કાર્યક્રમ

ગેલેક્સી હોલ, ચંદ્રપુર, વાંકાનેર ખાતે સફળ આયોજન સંપન્ન વાંકાનેર: ગઈ કાલે વાંકાનેર શહેર ખાતે મોરબી જિલ્લા રજીસ્ટાર કચેરી તથા ગેલેક્સી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સહયોગથી આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ – 2025ના સુવર્ણ અવસરે શૈક્ષણિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. ગેલેક્સી સ્કૂલ…

ધોરણ – 5 માં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ અંગે

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

કોઠારીયા (વાંકાનેર) માટે અરજીઓ મંગાવાઈ મોરબી: કેન્દ્રીય શિક્ષા બોર્ડ અંતર્ગત આવતી જવાહર નવોદય વિદ્યાલયમાં બાળકોના પ્રવેશ માટે દર વર્ષે એડમિશન માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવતી હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓનલાઈન અરજી મગાવવામાં આવી રહી છે……

તાલુકાની શાળાઓમાં પ્રવેશોત્સવ/ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએથી અધિકારીઓ હાજર રહ્યાં વાંકાનેર: જે અંતર્ગત વાંકાનેર તાલુકામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સામાન્ય વહીવટ વિભાગમાંથી અંડર સેક્રેટરી સમીર ભગોરાસાહેબ અને સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એચ.બી. છૈયાસાહેબ દ્વારા જુદી જુદી શાળાઓમાં તા. 26/6/2025 સવારે 8:00…

ઠીકરીયાળામાં શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્ર્મ યોજાયો

ધારાસભ્યશ્રી અને પ્રાંત અધિકારીશ્રીની ઉપસ્થિતિ ભીમજીભાઈ બેડવાની શિક્ષકોની ઘટ બાબતે રજુઆત વાંકાનેર: તાલુકાના છેવાડાના અંતરિયાળ ઠીકરીયાળા ગામમા વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી અને પ્રાંત અધિકારી શ્રી વી . ડી. સાકરીયા સાહેબના સયુંક્ત અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાના ઠીકરીયાળા ખાતે શાળા પ્રવેશોત્સવ…

રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

વાંકાનેરમાં રથયાત્રા સંદર્ભે પ્રવેશબંધીનું જાહેરનામું

માર્કશીટો મંગાવવામાં આવી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવિવારે ‘૫૩ મો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૭/૭/૨૦૨૫ ને રવિવારના રોજ કેશવ બેન્કવીટ હોલ લીલાપર રોડ ખાતે,…

બેટી પઢાવો અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો

વાંકાનેરમાં રથયાત્રા સંદર્ભે પ્રવેશબંધીનું જાહેરનામું

વાંકાનેર તાલુકામાં ૧૫૦૭ કુમાર અને ૧૫૪૬ કન્યા મળી ૩૦૫૩ બાળકોને પ્રવેશ અપાશે વાંકાનેર: કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન તમામ આંગણવાડી, બાલવાટિકા અને શાળાઓમાં નવા બાળકોને હોશે હોશે વધાવી તેમને…

એકસાથે 23-23 વિદ્યાર્થીઓના મેડિકલમાં પ્રવેશ મેળવવાના સપનાને સાકાર કરતી ધી મોડર્ન સ્કૂલ

NEET RESULT 2025 વાંકાનેર: રાષ્ટ્રીય લેવલે NTA પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી મેડીકલમાં પ્રવેશ માટેની NEET- 2025 પરીક્ષાના ગઇ કાલે પરિણામો જાહેર કરવામાં આવ્યા હોય, જેમાં સર્વશ્રેષ્ઠ પરિણામોની હારમાળાને વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલે યથાવત રાખી ગત વર્ષની જેમ આ વર્ષે પણ…

સેન યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

વિના મૂલ્યે ચોપડા વિતરણ પણ કરવામાં આવ્યું વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન દ્વારા ગઈ કાલે વાંકાનેર વાણંદ સમાજના વિદ્યાર્થીઓ માટે શાહી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓની ધમાકેદાર એન્ટ્રી તેમજ બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું…

મુસ્લીમ વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ નોટબુક મફત અપાશે

વિદ્યાર્થીઓના નામ સંકલન કરી સંખ્યા જણાવવા જમાતને અપીલ વાંકાનેર: કર ભલા હોગા ભલા સૂત્રને અમલમાં મૂકી ખિદમતે ખલ્ક ગૃપ દ્વારા માનવ સેવાની અનેક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. વાંકાનેર વિસ્તારના મુસ્લીમ સમાજને નમ્ર ગુજારીશ છે કે હાલમાં ધો. ૧૦ અને…

કોળી કેરીયર એકેડમી દ્રારા વિદ્યાર્થી સન્માન સમારોહ

નવનિયુકત સરકારી કર્મચારી સમારોહનુ પણ આયોજન વાંકાનેર વિસ્તારના કોળી સમાજની એક યાદીમાં જણાવ્યું છે કે જ્ઞાતીબંધુઓને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણા વિસ્તારમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન તેમજ નવનિયુકત સરકારી કર્મચારી સમારોહનુ આયોજન કરેલ હોય તો આવા શૈક્ષણીક કાર્યમાં…

અમરાપર (ટં) પ્રા.શાળાને ગુણોત્સવમાં મળ્યો એ ગ્રેડ

વાંકાનેર: તાજેતરમાં સરકારી પ્રાથમિક શાળાઓના ગુણોત્સવનું 2024- 25 ના વર્ષનું પરિણામ જાહેર થયું છે. જે સ્કૂલની ગુણવતા સૂચવે છે. જેમાં ટંકારા તાલુકાની અમરાપર પ્રા.શાળાએ A ગ્રેડ મેળવીને ખૂબ સારું પ્રદર્શન કરેલ છે. અમરાપર શાળાના આચાર્યશ્રી રાજેશભાઈ ગાંભવા અને સમગ્ર સ્ટાફ…

શહીદ મંજુરહુશૈન પીરઝાદાના પૌત્ર હશનૈન ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા

વાંકાનેર: અહીંના માજી ધારાસભ્ય શહીદ સૈયદ મંજુરહુશૈન પીરઝાદાના પૌત્ર અને સૈયદ મોઈનએહમદ પીરઝાદાના પુત્ર, સૈયદ હશનૈન પીરઝાદા ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જઈ રહ્યા હોય, તેમને ઉજ્જવળ ભવિષ્ય અને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ. કમલ સુવાસ ન્યુઝ

સરધારકા શાળાના શિક્ષિકાને ત્રણ કારણદર્શક નોટીસ

શિક્ષિકા સતત ગેરહાજર રહે છે વાંકાનેર તાલુકામાં સતત ગેરહાજર રહેતા એક શિક્ષિકાને ત્રણ નોટિસ આપી હોવા છતા પણ કોઈ પ્રત્યુત્તર ન મળતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ છેલ્લું અલ્ટીમેટમ આપીને 10 દિવસમાં ખુલાસો રજૂ કરવા આદેશ જારી કર્યો છે. મોરબી જિલ્લા…

વાંકાનેરમાં આવતી કાલે સલમાન પેટીવાલાનો સેમિનાર

એક કદમ સફળ ભવિષ્ય તરફ (સેમિનાર + પુસ્તક પ્રદર્શન) દરેક વિદ્યાર્થી સપનાઓ સાથે જન્મે છે, પણ સફળતા દિશા પર નિર્ભર! માર્કસ બધા મેળવે પણ, સાચું માર્ગદર્શન થોડા જ પામે. વાંકાનેર: આવતીકાલે કિસ્વા ગ્રુપ-વાંકાનેર દ્વારા આયોજીત સ્પીકર સલમાન પેટીવાલાનો ખાસ સેમિનાર:…

ધો. 12 સાયન્સ અને કોમર્સ બાદ હવે ધો. 10માં ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓની અદભૂત સફળતા

વાંકાનેર કેન્દ્ર Top-10માં સૌથી વધુ 7-7 વિદ્યાર્થીઓ એકમાત્ર ધી મોડર્ન સ્કૂલના ધોરણ 12 સાયન્સ અને કોમર્સના પરિણામોમાં સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત પરિણામ આપ્યા બાદ ફરી એક વખત ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 10 ના પરિણામોમાં પણ પોતાના દબદબો યથાવત…

મદની સ્કૂલ- સિંધાવદર આઠ બેન્ચોમાં 5 મી વખત SSC નું 100 % પરિણામ

પ્રતિ વર્ષ સિંધાવદર કેન્દ્રમાં સ્થાન મેળવતી શાળા આ વર્ષે પણ SSC બોર્ડ પરિણામમાં 2 વિદ્યાર્થીઓએ સિંધાવદર કેન્દ્રમાં સ્થાન મેળવેલ છે 23માં વર્ષમાં મંગલ પ્રવેશ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંધાવદર પંથકમાં વર્ષ 2003 થી ઉત્તમ અને શ્રેષ્ઠ શિક્ષણ આપતી મદની સ્કૂલ–…

HSC બાદ SSC માં પણ સંસ્કૃતિ વિદ્યાલયનું ઝળહળતું પરિણામ

99 વિદ્યાર્થીમાંથી A1 ગ્રેડ મેળવતા 17 -17 વિદ્યાથીઓ વાંકાનેર: આજે ધોરણ 10 નું બોર્ડનું જાહેર થયેલ પરિણામમાં વિદ્યાર્થીઓ ખૂબ સારા માર્ક્સ લઈ આવ્યા છે. જો વાંકાનેર વાત કરીએ તો તાજેતરમાં જ ધોરણ 12 સામાન્ય પ્રવાહના આવેલ રિઝલ્ટમાં સંસ્કૃતિ વિદ્યાલયના વિદ્યાર્થીએ…

જિલ્લામાં પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી વધુ 96.76% પરિણામ

જિલ્લામાં પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી વધુ 96.76% પરિણામ

વાંકાનેર કેન્દ્રનું 88.61% પરિણામ આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યનું કૂલ પરિણામ 83.08 ટકા આવ્યું છે… ધોરણ 10નું મોરબી જિલ્લાનું 88.78 ટકા પરિણામ આવ્યું…

ધો. 12 સાયન્સમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રનાં અત્યાર સુધીના સૌથી વધુ 99.33% સાથે ધી મોડર્ન સ્કૂલનો વિધાર્થી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ તથા ગુજકેટ Top-10માં સૌથી વધુ 12-12 વિદ્યાર્થીઓ

ગઇકાલે જાહેર થયેલ ધો.12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં ધી મોડર્ન સ્કૂલનો વિદ્યાર્થી કડીવાર નિશાંત ઇલ્યુદીનભાઈ (વાલાસણ)એ વાંકાનેરના ઈતિહાસમાં અત્યાર સુધીનાં સૌથી વધુ ગુણ 99.33% સાથે 99.99 PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવી રેકોર્ડ સ્થાપીત કરેલ છે. તેમણે ગણિતમાં 100…

‘મદની સ્કુલ’ સિંધાવદરનું ધોરણ 12 કોમર્સનું ઝળહળતું પરિણામ

99.20 PR સાથે શરમીનબાનું સ્કૂલ ફર્સ્ટ મદની સ્કૂલ સિંધાવદરની 2018માં એસએસસીની પ્રથમ બેન્ચનું 100 ટકા પરિણામ મેળવેલ જ્યારે 2025માં એચએસસી (12 કોમર્સ)ની પ્રથમ બેંચનું પણ 100 ટકા પરિણામ મેળવ્યું… વાંકાનેર: સિંધાવદર ગ્રામ્ય વિસ્તારમાં 2003થી શ્રેષ્ઠ અને ઉત્તમ શિક્ષણ આપતી સંસ્થા…

ધો. 12 કોમર્સના પરિણામમાં સંસ્કૃતિ વિદ્યાલયનો ડંકો : 99.99 PR સાથે શાળાની વિદ્યાર્થીની ફિઝા બાદી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ

વાંકાનેર શહેરની નામાંકિત એવી સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા ધોરણ 12 કોમર્સના પરિણામો જ્વલંત સફળતા સાથે ઐતિહાસિક પરિણામ મેળવ્યું છે, જેમાં ધોરણ 12 ના આજે જાહેર થયેલા પરિણામોમાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની બાદી ફીઝા મકબુલભાઈ (ગુલશન પાર્ક)એ 99.99 PR સાથે સમગ્ર ગુજરાત…

પરિણામમાં NO:-1: ગુજરાત બોર્ડના Top-10માં 2 વિધાર્થીઓ, ધો.12 કોમર્સમાં A-1 ગ્રેડમાં 30 વિદ્યાર્થીઓ, વાંકાનેર કેન્દ્રના TOP-10માં 7 વિધાર્થીઓ ‘મોડર્ન સ્કૂલ’ના

સમગ્ર ગુજરાત બોર્ડના Top 10માં સ્થાન મેળવતા બે-બે વિધાર્થીઓ સાથે ધો.12 કોમર્સમાં એક નહી -બે નહી પણ A-1 ગ્રેડ મેળવતા 30-30 વિદ્યાર્થીઓ સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 મા સૌથી વધુ સાત-સાત વિધાર્થીઓએ સ્થાન મેળવી પરિણામમાં NO:-1 ધી મોડર્ન સ્કુલ આજરોજ…

સમગ્ર ગુજરાત બોર્ડમાં ધો. 12 (કોમર્સ) માં પ્રથમ

બાદી ફિઝા મકબુલભાઈ સંસ્કૃતિ વિદ્યાલયની વિદ્યાર્થીની ગુલશન સોસાયટીમાં રહે છે: મૂળ અમરાપરના વાંકાનેર: આજે જાહેર થયેલ ધો. 12 (કોમર્સ)ના પરિણામમાં હાલ ગુલશન સોસાયટીમાં રહેતા મૂળ અમરાપર (ટંકારા)ના બાદી ફિઝા મકબુલભાઈ સમગ્ર ગુજરાત બોર્ડમાં ધો. 12 (કોમર્સ) માં પ્રથમ આવ્યા છે,…

ધો.10 તથા 12 બોર્ડના પરિણામોમાં વાંકાનેર કેન્દ્રમાં હંમેશા નં. 1 રહેતી ધી મોડર્ન સ્કૂલમાં પ્રવેશ શરૂ

વાંકાનેર વિસ્તારમાં ધો.10 તથા 12 બોર્ડના પરિણામો તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સહિત દરેક ક્ષેત્રમાં હંમેશા No. 1 પર રહેતી નામાંકીત એવી મોડર્ન સ્કુલમાં આગામી નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેથી આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય સાથે…

ટંકારાની અમરાપર (ટં) પ્રા. શાળાનું CGMS-2025માં ગૌરવપૂર્ણ પરિણામ

શાળાની એક વિદ્યાર્થીની સમગ્ર ગુજરાતના પ્રથમ 477 માં ટંકારા : તાજેતરમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે લેવાયેલી CGMS-2025 પરીક્ષા પરિણામમાં ટંકારાની અમરાપર પ્રાથમિક શાળાએ ફરી એકવાર સમગ્ર તાલુકામાં ગૌરવપ્રદ પરિણામ હાંસલ કર્યું છે. આ શાળાના કુલ 21 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી,…

ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો (ગણિત વિજ્ઞાન ) ના પ્રશ્નોનું આવેદન અપાયું

વાંકાનેર તા. પ્રા. શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રીને રજુઆત વાંકાનેર: તાલુકાના ગણિત વિજ્ઞાનના ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગના શિક્ષકો ભણતરમાં ભાર ના પડે એ માટે BRC/CRC માટે ચાર્જ ન આપવો, પરંતુ એ જ શિક્ષકોને શાળામાં સૌથી વધુ જરૂરી…

ટંકારા તાલુકાના છ શિક્ષકોને “પર્યાવરણ સંરક્ષણ-એવોર્ડ” એનાયત

ભૂતકોટડા અને હરબટીયાળી પ્રાથમિક શાળા ના શિક્ષકોનો સમાવેશ ગાંધીનગર ખાતે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ-કપડવંજ, બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ-મહેસાણા, અનંતા એજ્યુકેશન કેમ્પસ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ-સરગાસણ દ્વારા સમગ્ર રાજ્યનાં પ્રકૃતિના સંરક્ષણ-સંવર્ધન માટે વિશિષ્ટ યોગદાન આપનાર કુલ ૨,૫૨૫ પર્યાવરણપ્રેમી શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી…

દીઘલિયા શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ

વાંકાનેર: તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં તા.૦૩/૦૪/૨૦૨૫, ગુરુવારના રોજ ધોરણ -૮ ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો. ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ કેક કાપીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધોરણ-૮ ની વિદ્યાર્થિનીઓએ વિદાય ગીત રજૂ કર્યું હતું. શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ વિદ્યાર્થીઓને…

અમરાપર શાળાનું NMMS ની પરીક્ષામાં ઝળહળતું પરિણામ

એક વિદ્યાર્થિનીનું સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ માર્ક મેળવનાર પ્રથમ 422 માં સ્થાન ટંકારા : તાલુકાના અમરાપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં ધો.8ના સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે લેવાયેલી NMMS ની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે… ધો.8 ના 17 વિદ્યાર્થીઓએ પરીક્ષા…

વરડુસરમાં શાળાના નવા બિલ્ડીંગ લોકાર્પણનું ઉદઘાટન

શાળામાં રંગોત્સવ કાર્યક્રમ યોજાયો વાંકાનેર: પી એમ શ્રી વરડુસર પ્રાથમિક શાળામાં રંગોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રમુખ શ્રી તાલુકા ભાજપ શ્રી પરેશભાઈ મઢિયા અને શ્રી મયુરસિંહ પરમાર બી.આર.સી. કો. ઓર્ડીનેટર,…

દીઘલિયા અને શ્રી બોકડથંભા શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળા અને શ્રી બોકડથંભા પ્રાથમિક શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો હતો. ટ્વિનિંગ કાર્યક્રમ અંતર્ગત તા. ૨૨/૦૩/૨૦૨૫ ના શ્રી બોકડથંભા પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી…

મોરબી જિલ્લામાં તમામ શિક્ષકોને આઈકાર્ડ અપાશે

મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષકોને આઈડી કાર્ડ આપવામાં આવશે. ટૂંક સમયમાં શિક્ષણ શાખા દ્વારા શાળાઓ પાસેથી શિક્ષકોની માહિતી એકત્ર કરી આ આઈકાર્ડ તૈયાર કરવામાં આવશે… મોરબી જિલ્લા પંચાયત દ્વારા સરકારી શાળાઓમાં જરૂરી સુવિધાઓ પુરી પાડવા…

BRC ભવન દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો

રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એક્સપોઝર વિઝિટ અન્વયે આયોજન વાંકાનેર: શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારણા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એક્સપોઝર વિઝિટ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત તા. 20/03/2025, ગુરુવારના…

વાંકાનેર ૨૧ માર્ચના રોજ ઔદ્યોગિક ભરતીમેળો

રોજગાર વિનિમય કચેરી – મોરબી દ્વારા તા.૨૧/૦૩/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ. ટી. આઈ, તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર – રાજકોટ હાઈવે, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત…

દોશી કોલેજ દ્વારા પોલીસ ભરતી માટે સેમિનાર યોજાયો

વાંકાનેર: અહીંની દોશી કોલેજ દ્વારા તાજેતરમાં પોલીસ ભરતી માટે કોલેજમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓએ શારીરિક કસોટી પાસ કરી હોય, તેવા ૩૨ વિધાર્થીઓ માટે પરિક્ષા લક્ષી માર્ગદર્શન માટે ખાસ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પ્રિન્સિપાલ ડૉ. વાય. એમ. ચુડાસમા…

મોરબીના તા. પ્રા. શિક્ષણાધિકારી ગરચરની બદલી

જોડીયા મુકાયા રાજકોટ: રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજયના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગેના ઓર્ડરો શિક્ષણ વિભાગના નાયબ સચિવ કે.વી. પટેલ દ્વારા ઈશ્યુ કરી દેવામાં આવેલ છે. જેમાં ધોરાજી ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ…

એક શિક્ષકની વિદાય સ્વરૂપે ભેટની અનેરી પહેલ

દેશપ્રેમ, સ્વરાજયની લડાઈના યોદ્ધાના બલિદાનની ભાવના વિકસાવા મૂવી દેખાડ્યું વાંકાનેર: પોતાની હસનપર પ્રાથમિક શાળાના ધો. 8 ના તમામ બાળકોને તેના વર્ગશિક્ષક શ્રી ધવલભાઈ મહેતા દ્વારા (પોતાના ખર્ચ સ્વરૂપે) બાળકોને ખાસ માનભેર વિદાય સન્માન માટેનું એક અનેરું પ્રેરણારૂપી વિદાય કાર્ય ગોઠવવામાં…

દીઘલિયા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

વાંકાનેર: તા.૨૮/૦૨/૨૦૨૫ ના રોજ વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે વક્તવ્ય આપ્યું હતું. શિક્ષક તૌસિફભાઈ બાવરાએ જીવનમાં વિજ્ઞાનનામહત્ત્વ વિશે વક્તવ્ય આપ્યું હતું. મુખ્ય શિક્ષક સતીશકુમાર સરડવાએ…

કાનપર શાળામાં “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” ઉજવાયો

વાંકાનેર: તાલુકાના શ્રી કાનપર પ્રાથમિક શાળા ખાતે વૈજ્ઞાનિક શ્રી સી. વી. રામનની શોધ “રામન ઇફેક્ટ” ની યાદમાં “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવવાનું ભારત સરકારે નક્કી કરેલ હોય તે અંતર્ગત શાળામાં વિજ્ઞાન પ્રયોગોનું નિદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં શાળાના ધોરણ 6…

વરડુસર પ્રા.શાળા ખાતે સાયન્સ ફેર ઉજવાયો

વાંકાનેર: ૨૧/૨/૨૦૨૫ ના રોજ વાંકાનેર તાલુકાની જામસર સીઆરસીની શ્રી પી.એમ શ્રી વરડુસર પ્રા.શાળા ખાતે સાયન્સ ફેર ઉજવવામાં આવેલ, જેમાં વાંકાનેર બીઆરસી કો.ઓર્ડીનેટર સાહેબશ્રી પરમાર મયુરસિંહ જામસર સીઆરસી કો. ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ એસ મેસરિયા સીઆરસી ગઢિયા દિવેશભાઈ લુણસર સીઆરસી વાઘેલા ભાવેશભાઇ…

ધોરણ ૧૦/ ૧૨ના વાંકાનેર/ટંકારાના પરીક્ષા કેન્દ્રો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ દરમિયાન ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની નિયમિત, રિપીટર, પૃથક, ખાનગી ઉમેદવારો માટે પરીક્ષાઓ યોજાશે. જે અંતર્ગત આગામી તા. ૨૭/૦૨ થી ૧૭/૦3 દરમિયાન પરીક્ષાઓ…

ડીએમએસ ગોલ્ડન ઓલિમ્પેડમાં પ્રથમ સ્થાને સિમરાબેન

મૂળ દીઘલિયાના આશિયાના સોસાયટીમાં રહે છે વાંકાનેર: તાજેતરમાં લેવાયેલ ડીએમએસ ગોલ્ડન ઓલિમ્પેડની પરીક્ષામાં સૌરાષ્ટ્ર ઝોનમાં આશિયાના સોસાયટીમાં રહેતા મૂળ દીઘલિયાના શેરસીયા સિમરાબેન નઝરૂદીનભાઈએ પ્રથમ સ્થાન મેળવ્યું છે… આ પરીક્ષામાં સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 600 પ્રતિસ્પર્ધી હતા, જેમાં નિર્મળા સ્કૂલ વાંકાનેરમાં 8…

તા.27 ફેબ્રુ.થી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા

પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર જિલ્લામાં ધોરણ-10ની 13829 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ 7320 તથા સાયન્સ 1788 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આગામી તા.27 ફેબ્રુઆરીથી શરૂ થનાર ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઇ મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ શુક્રવારે સ્થળ સંચાલકો સાથે…

સજનપરની શાળાના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં ચમકયા

આર્ચરીમાં રાજયકક્ષાએ પસંદગી ખેલમહાકુંભ 2025 અંતર્ગત વિવિધ રમતોમાં સજનપર પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને શાળાનું ગૌરવ વધાર્યું છે આ શાળાના વિદ્યાર્થી તાલુકામાં પ્રથમ વખત આર્ચરી-ઇન્ડિયન રાઉન્ડ સ્પર્ધામાં વિજેતા બનીને જિલ્લા કક્ષાએ ભાગ લીધેલ હતો અને હવે તે…

ગોલ્ડ મેડલ મેળવતી વાંકાનેરની અક્ષિતા ઉપાધ્યાય

વાંકાનેરને ગૌરવ અપાવતી એડવોકેટ પુત્રી વાંકાનેર: મુળ વાંકાનેરના વતની અને એડવોકેટ એન્ડ નોટરીનો વ્યવસાય સાથે જોડાયેલા કપિલભાઈ વી. ઉપાધ્યાયની દિકરી કું. અક્ષિતા ઉપાધ્યાયે તાજેતરમાં રાજકોટમાં આત્મીય યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બી.એ. (ઈંગ્લીશ)ની પરીક્ષામાં પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવી કુ.અક્ષિતા ઉપાધ્યાયે…

મદની સ્કુલમાં માર્ગ સલામતી સપ્તાહ અંગે સેમિનાર

વાંકાનેરના સિંધાવદર ખાતે આવેલ મદની સ્કુલ ખાતે મોરબી આરટીઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું…. આ સેમિનારમાં મોરબી આરટીઓ કચેરીમાંથી આરટીઓ ઇન્સ્પેકટર એ. આર. સૈયદ તથા તેમની…

ICDS ટંકારાની કિશોરીઓ પોલીસ સ્ટેશનની મુલાકાતે

ટંકારા પોલીસે અરજદારોની ખોવાયેલ રકમ શોધી પરત આપી ટંકારા: મહિલા અને બાળ વિકાસ વિભાગ આઇસીડીએસમાં પોષણ અભિયાન અને પૂર્ણ યોજના અંતગર્ત ચાર મંગળ દિવસની ઉજવણીના ભાગ રૂપે ચાલુ માસનો ચોથો મંગળ દિવસ પૂર્ણા દિવસની ઉજવણીના ભાગ રૂપે ટંકારા પોલીસ સ્ટેશનની…

સિંધાવદર મદની સ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

હોંશિયાર વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ કરાયું વાંકાનેર: સિંધાવદર મદની સ્કૂલના પ્રિન્સીપાલ ઈરફાનભાઈ એ. શેરસીયાએ એક યાદીમાં નવું છે કે તા. 26/જાન્યુઆરી-2025 ના શાળાના પ્રાંગણમાં ધ્વજવંદન શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને તલાટી કમમંત્રી શ્રીમતિ અક્સાબેનના હસ્તે સવારે 8/15 વાગ્યે કરવામાં આવેલ હતું. સ્કુલના…

કાછીયાગાળા શાળામાં પ્રજાસતાક પર્વની અનેરી ઉજવણી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામની શાળામાં 26 જાન્યુઆરી 2025 ના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામા આવ્યો. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિવિધ નૃત્યો અને અભિનય રજૂ કરાયા. શાળાના શિક્ષકશ્રી પરેશભાઈ બાવળિયા દર વર્ષે મહાદેવ, રામદેવ…

નવા વઘાસિયા પ્રાથમિક શાળાનું ગૌરવ !

વાંકાનેર: ગત 17 જાન્યુઆરીના રોજ મોરબી BRC ભવન ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં નવા વઘાસિયા શાળાના વિદ્યાર્થિનીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે… મોરબી BRC ભવન ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની “નિપુણ ભારત વાર્તા લેખન” સ્પર્ધામાં વાંકાનેર તાલુકાની શ્રી નવા વઘાસિયા પ્રાથમિક શાળામાં…

તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

પત્રકારોને આમંત્રણ કેમ નહીં? ટુર્નામેન્ટમાં દલડી-મેસરિયા ઈલેવન (D.M. 11) વિજેતા વાંકાનેર: તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તા. ૧૧/૦૧/૨૦૨૫ થી તા. ૧૨/૦૧/૨૦૨૫ (શનિવાર અને રવિવાર) દરમિયાન વઘાસિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં વાંકાનેર તાલુકાનાં શિક્ષકોના બે ગ્રૂપની…

મ્યુ. ગર્લ્સ શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓંનીઓનું સ્નેહ મિલન

વાંકાનેર ખાતે સ્ટેચ્યુ પાસે આવેલ મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓંનીઓનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 1965 થી અભ્યાસ કરનાર 150 જેટલી વાંકાનેર વિસ્તારની દીકરીઓ એક સાથે એકત્રિત થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પોતાની સાથે અભ્યાસ કરનાર બહેનપણીઓને વર્ષો…

કન્યા શાળા નંબર-૭ ના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ભોજન

ઊંધિયું અને ચાપડી જમાડી વાંકાનેર: તા.૦૯/૦૧/૨૦૨૫, ગુરુવારના રોજ વાંકાનેર તાલુકાની શ્રી કન્યા શાળા નંબર-૭ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે ઊંધિયું, ચાપડી, પાપડ અને છાશનો ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા સ્ટાફ દ્વારા ભોજન સમારંભનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું…

ખેલમહાકુભમાં નાગલપર/ સમથેરવા શાળાનો ઉત્કૃષ્ઠ દેખાવ

વાંકાનેર: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર મોરબીના ઉપક્રમે ખેલમહાકુભ 3.0 અંતર્ગત વાંકાનેર તાલુકાની જામસર સી.આર.સી.ની શ્રી નાગલપર પ્રાથમિક શાળા અને સમથેરવા પ્રાથમિક શાળાએ તાલુકા કક્ષાની ખો-ખો ની સ્પર્ધામાં ભાગ લીધેલ,…

મહિલા જાગૃતિ અભિયાનના ભાગરૂપે સેમિનાર યોજાયો

“સેવ વુમન ફોર સાયલન્ટ કીલર” વિષય તારીખ 08-01-2025ના રોજ “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાન અંતર્ગત મહિલા જાગૃતિના ભાગરૂપે “સેવ વુમન ફોર સાયલન્ટ કીલર” પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેના ભાગરૂપે સાર્થક વિદ્યાલય મોરબીની ધોરણ -6 થી ધોરણ-12 સુધીની એમ…

પલાંસ શાળામાં દાતા દ્વારા ભેટ વિતરણ

વાંકાનેર: ગઈ કાલે ધરોડિયા શામજીભાઈ નાનજીભાઈની પુણ્યતિથિ નિમિત્તે, ધરોડિયા સંજયભાઈ શંકરભાઈ તરફથી શ્રી પલાંસ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના લાભાર્થે કુલ ૨૫૧ સ્ટીલની ડીશ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી… આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે…

જાલી પ્રાથમિક શાળાના મ.શિક્ષિકાનું પ્રેરણાદાયી કાર્ય

વાંકાનેર: શ્રી જાલી પ્રાથમિક શાળાના મ.શિક્ષિકા અને 23 વર્ષ સુધી જંકશન તાલુકા શાળામાં ફરજ બજાવનારા તાલુકા શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી ભાવનાબેન ઠાકર તરફથી ગઈ કાલે તારીખ- 30/ 12/ 2024 ને સોમવારના દિવસે સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય પ્રસંગે પોતાની આ ભૂતપૂર્વ શાળા જંકશન…

પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સંઘનો સન્માન કાર્યક્રમ

વાંકાનેર: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિનભાઈ પટેલના ઉત્તમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના અનેક પ્રશ્નોના સફળ પરિણામ પ્રાપ્ત થયા છે. જે પૈકી તાજેતરમાં જ 01/04/2005 પહેલાના કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા…

વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા ક્રિશાનું સન્માન

વાંકાનેર : ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે ચેમ્પિયનશિપ વાંકાનેરના ક્રિશા કૌશિકભાઈ ઉભડિયાએ 32 કિલો વજન (કેટેગરી)માં ભાગ લીધો હતો. જેમાં તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા છે. ત્યારે હવે ક્રિશા ઉભડિયા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ક્રિશાની આ સિદ્ધિ બદલ વરિયા પ્રજાપતિ…

સ્ટેમ ક્વિઝમાં વાંકાનેર- ટંકારાના વિદ્યાર્થી બન્યા વિજેતા

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરીત “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા મોરબી જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી સાથે સંકલન કરી મોરબી જીલ્લાની શાળાઓએ ધો. 9 થી 12 ના 20000 + વિદ્યાર્થીઓનું સ્ટેમ ક્વિઝ 3.0 માં રજીસ્ટ્રેશન…

બી.આર.સી.ભવનમાં દિવ્યાંગ બાળકોને સાધન સહાય કેમ્પનું

ડૉક્ટર્સની ટીમ દ્વારા બાળકોનું એસેસમેન્ટ કરાયું વાંકાનેર: ગઈ કાલે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના બી.આર.સી. ભવન ખાતે 6 થી 19 વર્ષના દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું…. આ કેમ્પમાં વાંકાનેર તાલુકાના કુલ 93 જેટલા દિવ્યાંગ બાળકોને ટ્રાયસિકલ,…

જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: આજ રોજ જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા ચૌહાણ નરેન્દ્રસિંહ એસ સીઆરસી જામસરના માર્ગદર્શક હેઠળ શ્રી રાજગઢ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવેલ, જેમાં બાલવાટિકા ધોરણ 1 અને 2 ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8 એમ ત્રણ વિભાગમાં…

મહિકાની જીનીયસ સ્કૂલમાં રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી

PGVCLની ટીમ દ્રારા આયોજન વાંકાનેર: ભારત દેશમા દર વર્ષે ૧૪ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે…. જે અંતર્ગત ઊર્જા સંરક્ષણના મહત્વ પર સંદેશ ફેલાવવા માટે PGVCL ગ્રામ્ય પેટાવિભાગ-1 વાંકાનેર દ્રારા આયોજીત ચિત્રસ્પર્ધા, નિબંધસ્પર્ધા અને વકતૃત્વસ્પર્ધાનુ આયોજન…

વકતૃત્વ સ્પર્ધા વિભાગમાં સર્વોચ્ચ સફળતા મેળવી

નિર્જરા રાવલ = બ્રહ્મસમાજનું ગૌરવ વાંકાનેર: સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજયકક્ષાના યુવા ઉત્સવ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું… જેમાં મુળ વાંકાનેરની બ્રહ્મ સમાજની વિદ્યાર્થીની અને રાજકોટની વિરાણી-સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી કુમારી નિર્જરા જતીનભાઇ રાવલે “વકતૃત્વ સ્પર્ધા”…

સંસ્કૃતિ વિદ્યાલયમાં નશાકારક બાબતો/ રોડ સેફટી અંગે સેમિનાર

વાંકાનેર: આજ રોજ સંસ્કૃતિ વિદ્યાલય – વાંકાનેર ખાતે નશાકારક બાબતો અને રોડ સેફટી અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું… જીલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી થી AEI બાદી સાહેબ દ્વારા વાંકાનેર વિસ્તારમાં નશાકારક અને રોડ સેફટી અંગેની વિદ્યાર્થીઓને જ્ઞાન અને સમજણ…

મેહુલ શાહે નિવાસ સ્થાન પર ઈસરોનું બોર્ડ મારેલ

જ્યોતિ વિધાલયના ધો.૧૦ના છાત્રોનું ભાવિ અધ્ધરતાલ વાંકાનેર કોર્ટમાં મેહુલ અને તેની માતા વિરૂધ્ધ અનેક કેસો ચાલે છે નોકરીઓ અપાવવાની લાલચ આપી ઉમેદવારો પાસેથી 3 થી 90 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની ચર્ચા વાંકાનેર: સંદેશના અહેવાલ અનુસાર જે એપાર્ટમેન્ટમાં મેહુલ શાહ…

સરતાનપર રોડ પર વરલીના આંકડા લખતા પકડાયો

વાંકાનેર: સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસે રોડની સાઈડમાં બેસી એક ઈસમ વરલી મટકાના આંકડા લખતો મુદામાલ સાથે પકડાયો છે… જાણવા મળ્યા મુજબ અર્જુનભાઈ રાજુ ભાઇ સોલંકી જાતે કોળી (ઉ.વ.૨૨) રહેવાસી હાલ-સરતાનપર તા.વાંકાનેર મુળ ગામ-રાજકોટ, હુડકોચોક ડી, આશાપુરા સોસાયટી વાળો જાહેરમાં…

કાનપર શાળાની શુભેચ્છા મુલાકાતે ધારાસભ્યશ્રી

વાંકાનેર: ગઈ કાલે વાંકાનેરના ધારાસભ્યશ્રી જીતેન્દ્રભાઈ સોમાણીએ કાનપર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી, તેમની સાથે ભાજપ અગ્રણી યુસુફભાઈ શેરસિયા, ગોપાલભાઈ દલાલ, અશ્વિનભાઈ મેઘાણી તથા સરપંચશ્રી, ગામના અગ્રણી મહેબુબભાઇ બાદી, જુબેરભાઈ પેરેડાઇઝ એસ.એમ.સી. સભ્યો તથા વાલીઓ પણ શ્રી કાનપર શાળામાં ચાલતા…

પીપળીયારાજ: વિદ્યાર્થીઓને માર્ગદર્શન સેમિનાર યોજાયો

દારુલ ઉલુમ ગૌષે સમદાની અને તાલુકા પોલીસ સ્ટેશન સહભાગી રહ્યા વાંકાનેર: પોલીસ અધિક્ષક શ્રીની કચેરી મોરબી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી અને તાલુકા પોલીસ સ્ટેશન વાંકાનેર ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે દારુલ ઉલુમ ગૌષે સમદાની પીપળીયારાજ ખાતે પોલીસ અધિક્ષકશ્રી મોરબીના માર્ગદર્શન મુજબ સંસ્થાના…

UPSC પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

વાંકાનેર: તા. ૧૯/૧૧/૨૦૨૪, મંગળવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે યુ.પી.એસ.સી. પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ. પ્રજાપતિ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીસાહેબશ્રી દ્વારા યુ.પી.એસ.સી. શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓ તથા…

જૂની પેન્શન યોજનાનો ઠરાવ થતા જિ. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઉજવણી

વર્ષ ૨૦૦૫ પહેલાંના શિક્ષકો માટે જૂની પેન્શન યોજનાનો ઠરાવ થવા બદલ જિલ્લા પંચાયત ખાતે ફટાકડા ફૂટ્યા વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા તા. ૦૮/૧૧/૨૦૨૪ ના રોજ ૨૦૦૫ પહેલાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ માટે “જૂની પેન્શન યોજના”નો ઠરાવ બહાર પાડવામાં આવેલ હતો. રાજ્ય…

વાંકાનેર ખાતે નવેમ્બર માસનું પુસ્તક પરબ યોજાયું

સેલ્ફી પૉઈન્ટ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર વાંકાનેર શહેરમાં માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા દર મહિનાના પહેલા રવિવારે પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે, વાંકાનેર ખાતે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. નવેમ્બર મહિનામાં તા. ૧૦/૧૧/૨૦૨૪, રવિવારના રોજ પુસ્તક…

પી.એમ.ઈન્ટર્નશીપ માટે કરો ઓનલાઇન અરજી

એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ યુવાઓ મફત લાભ મેળવી શકશે ૧૦/૧૧/૨૦૨૪ (કાલ) સુધીમાં અરજી કરવી ભારત સરકાર દ્વારા ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીમાં બેરોજગાર ઉમેદવારો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, તથા ગ્રેજ્યુએટની…

ગેલેક્સી બેંક દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: તાલુકામાં મોમીન સમાજના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ ગેલેક્સી બેંક દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મુસ્લિમ સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો એ હાજરી આપી હતી અને પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું…

શેરસિયા પરિવાર (નારેદાવારા) એવોર્ડ ફંકશન પૂર્ણ

વાંકાનેર: આજે સવારના સાડા નવ વાગ્યાથી બપોરના સાડા બાર વાગ્યા સુધી આશિયાના જમતખાના હોલ વાંકાનેર ખાતે શેરસિયા પરિવાર (નારેદાવારા) એવોર્ડ ફંકશન પૂર્ણ થયો. આ કાર્યક્રમમાં જનાબ રસુલભાઈ શેરસીયા‚ સાહિલભાઈ શેરસીયા‚ રહીમભાઈ શેરસીયા‚ ઈરફાન સાહેબે એકતા‚ વાંચન‚ શિક્ષણ તથા સ્કોલરશીપ વિશે…

ગારીયા શાળાનાં છ રૂમ પાડવાની નોટીસ પ્રસિદ્ધ

વાંકાનેર: શ્રી ગારિયા પ્રાથમિક શાળાના કૂલ ૦૬ રૂમો પાડવાના કામ અંગેની શરતોને આધિન તેમજ તેમાથી નીકળતો માલ સામાન સહીતનો કાટમાળ દૂર કરી જમીન સમતલ કરવાની હરાજી રાખેલ છે. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ તેમજ રસ ધરાવતી કોઈપણ પાર્ટીએ ભાગ લેવા જાહેર…

દોશી કોલેજના NCC કેડેટનું આર્મીમા સિલેક્શન

રાતડીયાના યુવાનની પસંદગી વાંકાનેર : વાંકાનેરની દોશી કોલેજમાં ચાલતા એન.સી.સી.માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસમાં તેમજ આર્મીમાં ‘માં’ ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. હાલ જ આર્મીની પરીક્ષા ARO જામનગર દ્વારા લેવાયેલી હતી. જેમાં એન.સી.સી. કેડેટ ઝાપડા રોહિત પાંચાભાઇ ગામ-રાતડીયા (વાંકાનેર) જેવો…

પુસ્તક પરબમાંથી લોકોએ મેળવ્યા મનગમતા પુસ્તક

વાંકાનેર : વાંકાનેર શહેરમાં માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા દર મહિનાના પહેલા રવિવારે પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે, વાંકાનેર ખાતે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ પુસ્તક પરબની ટીમના સભ્યો જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ…

તમારા વિસ્તારમાં ભૂતિયા આંગણવાડી તો નથીને?

વાંકાનેર શહેર અને તાલુકામાં 227 આંગણવાડી 4 આંગણવાડીમાં જગા ખાલી દિગ્વિજયનગરમાં 1, રામચોકમાં 1, ચંદ્રપુરમાં 5, ગુલશનપાર્કમાં 2, કોઠારીયામાં 3, રાતીદેવળીમાં 5, વઘાસિયામાં 3, પંચાસરમાં 4, સિંધાવદરમાં 7, મહીકામાં 4 અને ગાંગિયાવદરમાં 2 આંગણવાડીઓ વાંકાનેર: જો આપના વિસ્તારમાં ભૂતિયા આંગણવાડી…

ગેલેક્સી રત્ન સન્માન કાર્યક્રમ 2021 માટે સૂચનાઓ

ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. વાંકાનેર તથા ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ-કેરાળા આયોજિત નીચેની સૂચનાઓ વાંચી જશો વાંકાનેર વિસ્તારના ગત શૈક્ષણિક વર્ષ 2023 અને 2024 ના બંને વર્ષમાં પાસ થયેલ S.S.C./ H.S.C./ P.T.C./ ડિપ્લોમા/ ગ્રેજયુએટ/ B.Ed./ પોસ્ટ ગ્રેજયુએટ/ સ્પેશિયલ & પ્રોફેશનલ…

તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેસરિયા શાળામાં ચિત્ર સ્પર્ધા

સ્વચ્છતા હી સેવા અંતર્ગત એલ.કે. સંઘવી સ્કૂલમાં કાર્યક્રમ વાંકાનેર: આજ રોજ તારીખ ૨૪/૦૯/૨૦૨૪ મંગળવારના દિવસે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અંતર્ગત વાંકાનેર તાલુકાના PHC-MESARIYA અને RBSK TEAM દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શ્રી મેસરિયા તાલુકા શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ…

જીનીયસ સ્કૂલ-મહિકા ખાતે તાલુકા SVS ક્ક્ષાનુ બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

વાંકાનેર: આજ રોજ GCERT ગાંધીનગર પ્રેરીત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી તથા જિલ્લા શિક્ષણઅધિકારીશ્રીની કચેરી આયોજીત દર્શક શાળા વિકાસ સંકુલ-વાંકાનેર દ્રારા આયોજીત SVS કક્ષાનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનુ બાળવૈજ્ઞાનિક પ્રદર્શન જીનીયસ સ્કૂલ મહિકા ખાતે યોજાયુ હતું… જેમા…

હસનપર પ્રાથમિક શાળાના શિક્ષકનું પ્રેરણાદાયી કાર્ય

વાંકાનેર: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની હસનપર પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક તથા વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મીડિયા મંત્રી શ્રી ધવલભાઈ બી. મહેતાએ તા. ૧૫/૦૯/૨૦૨૪ના રોજ તેમના પિતાશ્રી સ્વ. ભરતભાઈ મુળજીભાઈ મહેતાની ૭ મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વાંકાનેર પુસ્તક પરબ ટીમને…

કાનપર શાળાને ડોકટરના જન્મદિવસે ભેટ

સરપંચના દીકરી ડોક્ટર મિરાલ એમ. બાદીએ ભેટ આપી વાંકાનેર: કાનપર ગામના સરપંચશ્રી બાદી અસ્માબેન મહેબુબભાઇના દીકરી ડોક્ટર મિરાલબેન એમ. એ પોતાનો જન્મદિવસ જુદી જ રીતે ઉજવ્યો. શાળા સમય બાદ સહ પરિવાર સાથે શાળાએ આવી પોતાના જન્મદિવસે શાળાના બાળકો માટે કીમતી…

બી.આર.સી.ભવન ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

જોધપર, વઘાસિયા, વરડુસર અને લિંબાળા શાળાના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું વાંકાનેર: તા.૧૩/૦૯/૨૦૨૪ ના રોજ બી.આર.સી. ભવન વાંકાનેર ખાતે જી.સી.ઈ.આર.ટી. દ્વારા પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી માર્ગદર્શિત કલા ઉત્સવ યોજાયો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જે.જી. વોરાસાહેબ અને બી.આર.સી.કૉ.ઑ. મયૂરરાજસિંહ…

કણકોટ મુકામે વાનગી સ્પર્ધાનું આયોજન સંપન્ન

સ્પર્ધકોને સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા વાંકાનેર: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. પોષણ માસ સપ્ટેમ્બર 2024 અંતર્ગત વાંકાનેર ઘટક -૧ ના સિંધાવદર સેજામાં આવેલ…

વઘાસીયા શાળાના ૮ વિદ્યાર્થીઓ CET ૫રીક્ષામાં કવોલીફાઇડ

મોરબીમાં તૃતિય અને વાંકાનેરમાં પ્રથમ અને તૃતિય વિદ્યાર્થીઓ વઘાસીયા શાળાના * CET માં વાંકાનેર તાલુકા પ્રથમ નંબર * CET માં મોરબી જિલ્લા તૃતિય નંબર વઘાસીયા પ્રાથમિક શાળાનું ગૌરવ એટલે * જેનિલ જગોદણા CET માં વાંકાનેર તાલુકા તૃતિય નંબર  વઘાસીયા પ્રાથમિક…

શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાશે

રાતીદેવળી, શકિતપરા, લખધીરગઢ, સજનપર અને ભુતકોટડા શાળાના સમાવેશ વાંકાનેર: શિક્ષક દિન નિમિતે તા. ૦૫ સપ્ટેમ્બરને ગુરુવારે (આવતી કાલે) સવારે ૯ : ૩૦ કલાકે વી.સી. ટેક હાઈસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાશે.. શિક્ષક દિનની ઉજવણી નિમિતે જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન…

સપ્ટેમ્બરના પહેલાં રવિવારે પુસ્તક પરબ યોજાયું

વાંકાનેર શહેરમાં માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા દર મહિનાના પહેલાં રવિવારે પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. તા. ૦૨/૦૯/૨૦૨૪, રવિવારના રોજ પુસ્તક પરબની ટીમના સભ્યો જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, અતુલભાઈ…

મધ્યાહ્ન ભોજનના મેનુમાં ફેરફાર થયો

સપ્તાહમાં 5 દિવસ પોષણયુક્ત લીલા શાકભાજી અમદાવાદ: રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના બાળકોને હવે મધ્યાહન ભોજનમાં રોજ શાકભાજી ખાવા મળશે. પી.એમ. પોષણ યોજના અંતર્ગત બાળકોના મેનુમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં શાકભાજીના વધુ ઉપયોગ પર ભાર મૂકાયો હોવાનું જાણવા…

મહારાજકુમાર લિખિત પર્વતિય પ્રાણીઓ પરના પુસ્તકનું વિમોચન

વાંકાનેર: અહીંના રાજવી પરિવારના મહારાજકુમાર શ્રી ડો. એમ.કે રણજીતસિંહજી સાહેબનું પર્વતિય પ્રાણીઓ પરના પુસ્તકનું વિમોચન પદ્મવિભૂષણ ડો. કર્ણસિંહજી સાહેબના હાથે તેમ જ આ પુસ્તકની પ્રસ્તાવના બૌધ્ધ ધર્મના પવિત્ર ધર્મ ગુરૂ દલાઇલામા દ્વારા કરવામાં આવેલી છે !

એસ.એમ.પી.હાઈસ્કૂલે વાંકાનેરનું ગૌરવ વધાર્યું

અંડર 17 બહેનોમાં સિંધાવદરની એસ.એમ.પી.હાઈસ્કૂલ ચેમ્પિયન વાંકાનેર: 68મી અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા 2024 માં જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં તક્ષશીલા વિદ્યાલય હળવદ મુકામે તારીખ 20-08-2024 મંગવારના રોજ યોજાયેલ તેમાં અંડર 17 બહેનોમાં વાંકાનેરના સિંધાવદરની એસ.એમ.પી.હાઈસ્કૂલ ચેમ્પિયન થઈ…સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ…

એસ.એમ.પી.હાઈસ્કૂલ સિંધાવદર/સમગ્ર વાંકાનેરનું ગૌરવ

વાંકાનેર: સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને રમગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત મુખ્ય કોચ SAG ની કચેરી, મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાના રમતોત્સવ જે શનિવારે તારીખ 17-08.2024…

રાજ્યમાં શિક્ષકોની જિલ્લા આંતરિક બદલીઓ તા.1 સપ્ટેમ્બરથી

ગાંધીનગર: રાજ્યમાં શિક્ષકોની બદલીઓને લઈને મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. વધઘટ તથા જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ જિલ્લા આંતરિક બદલીઓ બે તબક્કામાં થશે અને આંતરિક બદલી કેમ્પનો પ્રથમ તબક્કો 1 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી યોજાશે. જ્યારે…

બે વિદ્યાર્થિની રાજ્યકક્ષાએ કબડ્ડી સ્પર્ધામાં પસંદ થઈ

એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની બંને વિદ્યાર્થિનીઓ ક્ષત્રિય સમાજની વાંકાનેર : ગત તારીખ 12 ઓગસ્ટના રોજ મોરબી ખાતે જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોરબીની એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની અંડર-17 અને અંડર-19ની બહેનોની ટીમે સિલ્વર મેડલ જીત્યો છે. ત્યારે આ…

સતત ગેરહાજર રહેતા શિક્ષિકા સામે કાર્યવાહી

વાંકાનેર: ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સરકારી શાળામાં ફરજ બજાવ્યા વગર જ ઘેર બેઠા પગાર ખાતા શિક્ષકોના કિસ્સા સામે આવ્યા છે અને અનેક કિસ્સામાં ડમી શિક્ષકો સરકારી શાળામાં ફરજ બજાવી રહ્યા હોવાનું ભોપાળું સામે આવ્યું છે ત્યારે વાંકાનેરના શિક્ષિકા વાઘેલા ઉર્વશીબેન પિતાંબરભાઈ…

નવોદય વિદ્યાલય પરીક્ષાના ફોર્મ ભરવાના ચાલુ

વાંકાનેર: ધોરણ ૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટેના પરીક્ષાના ફોર્મ ભરવાના નવોદયની ઓફીસીયલ સાઈટ પર ચાલુ થઇ ગયા છે, જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે….☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય…

પોલીસ ભરતી માર્ગદર્શન મુસ્લીમ સમાજનો સેમિનાર

વાંકાનેર: વિસ્તારના મુસ્લીમ સમાજના તમામ વિદ્યાર્થીઓ કે જેઓ આગામી પોલીસ ભરતીમાં કોન્સટેબલ તથા પી.એસ.આઇ.ની પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવેલ છે, તેઓને વિના મૂલ્યે ફીઝીકલ તથા લેખીત પરીક્ષાના વર્ગો દ્રારા સમાજના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય વિકાસમાં પોતાના યોગદાન દ્રારા, સામાજીક ઉત્થાન સાધવાના આ નેક…

તાલુકાને 4 નવી સરકારી માધ્યમિક શાળા મળશે

ભીમગુડા, વરડુસર, લુણસર અને સતાપરનો સમાવેશ વાંકાનેર: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં નવી 160 સરકારી માધ્યમિક શાળાઓ તથા 2 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં વાંકાનેર તાલુકામાં 4 નવી સરકારી માધ્યમિક શાળા આપવામાં…

ગુજરાતમાં કાળો જાદુ અને અઘોરી વિદ્યા સામે લવાશે કાયદો

અઘોરી, ભુવાઓ તથા ઠગબાજો પર લાગશે લગામ ગુજરાતમાં હાલમાં કાળા જાદુ અને તે સંબંધિત ધૃણાસ્પદ ગતિવિધિઓને રોકવા માટેનો કોઈ કાયદો નથી આને પરિણામે ઘણી વાર મહિલાઓ અને બાળકોની બલીની ઘટનાઓ બનતી હોય છે. આવા કાયદાના અભાવનો ભોગ મહિલાઓ અને બાળકોને…

રાતીદેવળી શાળાની વિદ્યાર્થિની યોગ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પસંદ

વાંકાનેર : મોરબીની એલીટ ઈન્ટરનેશનલ સ્કૂલમાં જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર તાલુકાની રાતીદેવળી પ્રાથમિક શાળાના વિદ્યાર્થિની રિદ્ધિ સાકરીયા રાજ્ય કક્ષાએ પસંદગી પામી છે. મોરબી જિલ્લા કક્ષાએ યોજાયેલી આ યોગ સ્પર્ધામાં રાતીદેવળી પ્રાથમિક શાળાના પાંચ વિદ્યાર્થિનીઓએ…

કોળી કેરિયર એકેડેમી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

વાંકાનેર શહેરના ગાયત્રી મંદિરના ઓડિટોરીયમ હોલ ખાતે આજરોજ કોળી કેરિયર એકેડેમી દ્વારા તૃતિય તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં કોળી સમાજના નાગરિકો, સામાજિક…

પુસ્તક પરબને કુલ ૧૫૦૦૦ રૂપિયાનું દાન અર્પણ

વિવિધ દાતાઓ તરફથી બાળ સાહિત્યના નવા પુસ્તકોની ખરીદી માટે અર્પણ કરાયું વાંકાનેર શહેર ખાતે આવેલા પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે દર મહિનાના પ્રથમ રવિવારે માતૃભાષા અભિયાન અમદાવાદના સહયોગથી વાંકાનેરના શિક્ષકો અને યુવકો દ્વારા નિઃશુલ્ક પુસ્તક પરબ વર્ષ- ૨૦૧૮ થી ચાલી રહ્યું…

કાનપર પ્રાથમિક શાળામાં ત્રિવેણી કાર્યક્રમ યોજાયા

વાંકાનેર: આજ રોજ કાનપર પ્રાથમિક શાળામાં વાલી મીટીંગ ધોરણ ૧ થી ૫ નો બાળમેળો તથા ડો.એ.પી.જે. અબ્દુલ કલામ નિર્વાણ દિન  કાર્યક્રમ યોજવામાં આવ્યા. દરેક પ્રાથમિક શાળામાં સરકારના નિયમ મુજબ વર્ષ દરમિયાન 4 વાલી મીટીંગ યોજવામાં આવે છે .એમાંની આ વર્ષની…

દીઘલિયા શાળામાં દાતા તરફથી લોંગ બુકનું વિતરણ

વાંકાનેર: તાલુકાના દીઘલિયા ગામમાં આવેલ દીઘલિયા પ્રાથમિક શાળામાં દાતા તરફથી 90 ડઝન લોંગ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. થાણે ડિસ્ટ્રિક્ટ વિમેન ફોર ચેન્જ પ્રમુખ બિજલબેન જગડ, મહિન્દ્રભાઈ અને એમના સાથીદાર દાતાઓના સહયોગથી 90 ડઝન લોંગ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.…

પોલીસ પરિવારના બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: મોરબી જીલ્લા પોલીસ દ્વારા વેલ્ફેર અંતર્ગત વાંકાનેર પોલીસ લાઈન ખાતે પોલીસ પરિવારના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતોપોલીસ પરિવારના બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકોના કૌશલ્ય વિકાસ થાય સાથે જ અભ્યાસની…

કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થી સન્માનનું આયોજન

નવનિયુકત સરકારી કર્મચારી સમારોહનુ પણ આયોજન વાંકાનેર: વીર માંધાતા કોળી કેરીયર એકેડમી દ્રારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વાંકાનેર વિસ્તારના કોળી સમાજના જ્ઞાતીબંધુઓને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણા વિસ્તારમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન તેમજ નવનિયુકત સરકારી કર્મચારી…

પ્રા. શિક્ષકોને સ્થાવર-જંગમ મિલકતો જાહેર કરવા આદેશ

અમદાવાદ: રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકો અને મુખ્ય શિક્ષકોએ હવે પોતાની તમામ સ્થાવર અને જંગમ મિલકતો સરકાર સમક્ષ જાહેર કરવી પડશે. શિક્ષણ વિભાગ હસ્તકના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકારી પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને જંગમ અને…

૮૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ ગ્રામજનોએ પૂર્ણ કર્યો !!

વઘાસીયા શાળાના આચાર્યનો સંકલ્પ પૂર્ણ થયો આવકારદાયક કદમ: અન્ય ગામોએ પણ અનુસરવું જોઈએ વાંકાનેર: વઘાસીયા મુકામે ગત પ્રવેશોત્સવ-૨૦૨૪ નિમીતે આવેલ ઘારાસભ્યશ્રી જીતુભાઇ સોમાણી, ટી.ડી.ઓ. શ્રી કોંઢીયા સાહેબ અને ટી.પી.ઇ.ઓ. શ્રી વોરા સાહેબની હાજરીમાં વઘાસીયા શાળાના આચાર્ય અલ્પેશ દેશાણીએ સંકલ્પ કર્યો…

તીથવા ગામનું ગૌરવ: રબ્બાની વકાલીયા

વાંકાનેર: (કુરેશી ઈન્ફોટેક દ્વારા) સમગ્ર મોરબી જિલ્લામાંથી જનરલ કેટેગરીની કુલ-૪ જગ્યામાંથી બ્રિલીયન્ટ પ્રાથમિક વિદ્યાલય – તીથવાનો વિદ્યાર્થી ધો.- ૯ માટે લેવાતી જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરીને તેમના માતા-પિતા તેમજ તીથવા ગામનું ગૌરવ વધારેલ છે. આજે બહાર પડેલ રિઝલ્ટમાં…

પંચાસીયામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

વાંકાનેર: જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ મોરબી સંચાલિત શ્રી પંચાસિયા પ્રા. શાળા તા.વાંકાનેરમાં આજરોજ 28-06-2024 “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ -2024” ની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાલવાટિકા અને ધોરણ – 1ના બાળકોને પ્રવેશ અપાવવા રોહિત પ્રજાપતિસાહેબ, સહાયક પ્રાદેશિક વાહન…

ભાટીયા સોસાયટીમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

આજરોજ ભાટીયા સોસાયટી કુમાર અને કન્યા શાળાનો સંયુક્ત પ્રવેશોત્સવ કાર્યક્રમ કન્યાશાળામાં યોજાયો હતો, જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પરસાણીયા સાહેબ, સી.આર.સી.કોડીનેટર માથકીયા સાહેબ, બંને શાળાના એસએમસી અધ્યક્ષ અને સભ્યો ગ્રામજનો વગેરેની ઉપસ્થિતિમાં ખૂબ જ સુંદર રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.…

બોર્ડની પૂરક પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન

આગામી તા.21મીથી હેલ્પલાઇન શરૂ કરાશે વાંકાનેર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024ની ધો.10ની પરીક્ષામાં એક, બે, અથવા ત્રણ વિષયમાં ગેરહાજર રહેનારા અને નાપાસ થયેલા ઉમેદવારો તેમજ સ્ટાન્ડર્ડ ગણિત(12) વિષયના પુથક ઉમેદવારોની પૂરક પરીક્ષા તા.24/6થી શરૂ થનાર છે.…

વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન

મોરબીમાં જિલ્લા સેવા સદન પાછળ આવેલા રેમંડ પાર્ટી પ્લોટ ખાતે ગત તારીખ 15 જૂન ને શનિવારના રોજ મોરબી, માળિયા, ટંકારા, વાંકાનેર અને હળવદમાં વસતા વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ 1 થી કોલેજ સુધીના 82 જેટલાં…

અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં એમ.એ. પાસ થયા

વાંકાનેરના ફાલ્ગુનીબેન ધરોડીયાએ માસ્ટર્સની ડિગ્રી મેળવી વાંકાનેર: અહીંના ફાલ્ગુનીબેન ધરોડિયાએ તાજેતરમાં અમેરિકાની પ્રખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી ડબલ ગ્રજ્યુએટ થયા છે. આ સફળતાનો શ્રેય તેઓ પરિવારજનોને આપે છે. આ સિદ્ધિ બદલ તેઓને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. વાંકાનેરના ફાલ્ગુનીબેન…

ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ શરૂ

વાંકાનેરમાં આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તાલીમાર્થીઓ માટે પ્રવેશ માટેની પ્રકિયા શરૂ થઈ ગઈ છે. પ્રવેશ મેળવવા માટે પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી 13 જૂન,2024 છે તેમજ પ્રવેશ ફોર્મ વિના મૂલ્યે સરકારી આઈ.ટી.આઈ, વાંકાનેર ખાતે ભરી આપવામાં આવશે. કમલ…

ધો.૧૨ સાયન્સના JEE, GUJCET અને બોર્ડના પરિણામમાં પ્રથમ સ્થાને તો મોડર્ન સ્કૂલના જ વિધાર્થીઓ

વાંકાનેરમાં 12 સાયન્સના JEE, GUJCET અને બોર્ડના તમામ પરીણામમાં પ્રથમ સ્થાન મોર્ડન સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવીને મોડર્ન સ્કૂલને વાંકાનેરની બેસ્ટ સાયન્સ સ્કૂલ પ્રસ્થાપિત કરી દીધી… પ્રથમ..પ્રથમ…પ્રથમ ધી મોડર્ન સ્કૂલના વિધાર્થીઓએ ધો. ૧૨ સાયન્સના જાહેર થયેલ તમામ (Board/JEE/GUJCET) પરિણામમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રમા…

ધો. 10 માર્ચ 2024 માં સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં સ્થાન મેળવતા સૌથી વધુ 9 – 9 વિદ્યાર્થીઓ અને A1 ગ્રેડ મેળવતા 48 – 48 વિદ્યાર્થીઓ સાથે બોર્ડના પરિણામમાં ધી મોડર્ન સ્કૂલ No. 1

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ જાહેર કરવામાં આવેલ ધોરણ 10ના પરિણામમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મોડર્ન સ્કુલના વિદ્યાર્થીઓએ ઇતિહાસ રચી દીધો છે. જેમાં વાંકાનેર કેન્દ્રમાં Top-10માં સૌથી વધુ એકમાત્ર મોડર્ન સ્કૂલના 9-9 વિદ્યાર્થીઓનો…

ધો.10નું ચોથી વખત 100 ટકા પરિણામ મેળવતી મદની સ્કૂલ સિંધાવદર

કાર્યક્ષેત્ર: LKG, HKG અને ધો: 1 થી 12 (કોમર્સ) સિંધાવદર કેન્દ્રમાં ટોપ ટેનમાં છ-છ વિદ્યાર્થીઓના ડંકા સાથે ચોથી વખત 100 ટકા પરિણામ મેળવતી મદની સ્કૂલ… વાંકાનેર: આજે ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ 10 ના પરિણામમાં સિંધાવદર કેન્દ્રમાં મદની સ્કૂલ…

ધો: 10 ના પરિણામમાં સંસ્કૃતિ વિદ્યાલયનો ડંકો

શાળાના 98 % પરિણામ સાથે 13-13 વિદ્યાર્થીઓએ મેળવ્યા A-1 ગ્રેડ ધો: 12 કોમર્સના ઝળહળતા પરિણામ બાદ ધોરણ 10 માં પણ સંસ્કૃતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અવ્વલ વાંકાનેર શહેરની નામાંકિત એવી સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા ધોરણ 12 કોમર્સના પરિણામો બાદ ધોરણ 10ના પરિણામોમાં પણ…

દોશી કોલેજના NCC કેડેટનું આર્મીમાં સિલેક્શન

વાંકાનેર: દોશી કોલેજમાં ચાલતા એન.સી.સી. માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસમાં તેમજ આર્મીમાં ‘માં’ ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. હાલ જ આર્મી ની પરીક્ષા ARO જામનગર દ્વારા લેવાયેલી હતી જેમાં એન.સી.સી. કેડેટ સરૈયા લાલાભાઈ જેઠાભાઈ ગામ – કોઠી (વાંકાનેર) જેવો આર્મીનું…

ધો: 12 કોમર્સના પરિણામમાં મોડર્ન સ્કૂલનો દબદબો

એક સાથે 16-16 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો આપણા બાળકની સફળતાની ચાવી એટલે મોડર્ન સ્કૂલ: ધો: 12 કોમર્સમાં TOP-10 માં સૌથી વધુ 3-3 વિદ્યાર્થીઓ માત્ર મોડર્ન સ્કૂલના ધોરણ 12 કોમર્સમાં માર્ચ 2023 માં સમગ્ર ગુજરાત બોર્ડમાં 05-05 વિદ્યાર્થીઓ તથા સમગ્ર વાંકાનેર…

મોડર્ન સ્કૂલના ધો: 12 સાયન્સ તથા ગુજકેટના પરિણામો એટલે મોરપીંછ

કેન્દ્રમાં પ્રથમ સ્થાન સાથે Top 10 માં સ્થાન મેળવતા છ – છ વિદ્યાર્થીઓ ઇતિહાસ રચવો એ મોડર્ન સ્કૂલની પરંપરા…દર વર્ષની જેમ આ વર્ષે પણ સાયન્સ તથા ગુજકેટના પરિણામોમાં પ્રભુત્વ જાળવી રાખતા મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ…

શારદા વિદ્યાલયની વિદ્યાર્થીની ધો. 12 કોમર્સના પરિણામમાં

સમગ્ર ગુજરાત બોર્ડમાં ચોથા અને વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમે નીતા ભાનુશાળી આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ (કોમર્સ)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વાંકાનેરની નામાંકિત શારદા વિદ્યાલયની વિદ્યાર્થિની ભાનુશાળી નીતાએ સમગ્ર ગુજરાત…

વિદ્યાર્થીઓને વધુમાં વધુ હોંશિયાર બનાવતી સ્કૂલ

એટલે સંસ્કૃતિ વિદ્યાલય શ્રેષ્ઠ શિક્ષણ…. શ્રેષ્ઠ પરિણામ….. શ્રેષ્ઠ સર્વાંગી વિકાસ…. સંસ્કૃતિ વિદ્યાલય / વિદ્યા પ્રાથમિક શાળા ધોરણ – 6,7,8, અને 9 માં પ્રવેશ ચાલુ.. પ્રવેશ તારીખ: 25/04/2024 થી શરુ ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે બસ સુવિધા મુસ્તાક સર Mo. 98254 43850…

સ્કૂલ લિવિંગ સર્ટિમાં બાપનું નામ ફેરવી નાખ્યું !

નિયમોને નેવે મૂકીને બાપનું નામ બદલનાર વાંકાનેરની ખાનગી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ વાંકાનેરમાં આવેલ ઇંગ્લીશ મીડીયમની સ્કૂલમાં બાળકના લિવિંગ સર્ટીમાં ગોટાળા કરવામાં આવ્યા છે તેવી માહિતિ પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેથી કરીને શિક્ષણ વિભાગ…

શિક્ષકો/ યુવાનો દ્વારા ચલાવવામાં આવતું પુસ્તક પરબ

વાંકાનેર: માતૃભાષા અભિયાન અમદાવાદના માર્ગદર્શન અને સહકાર દ્વારા વાંકાનેર શહેરમાં શિક્ષકો દ્વારા વર્ષ ૨૦૧૮ થી પુસ્તક પરબનો એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવેલ છે. જેમાં વાંકાનેર શહેરમાં પુલ દરવાજા પાસે ફૂટપાથ પર શિક્ષકોની ટીમ દ્વારા પુસ્તક પરબ ચલાવવામાં આવી રહ્યું…

દીઘલિયા શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ

દીઘલિયા શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ વાંકાનેર: તા. ૦૩/૦૪/૨૦૨૪ના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ કેક કાપીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધોરણ -૮ ના વિદ્યાર્થીઓએ…

ગુલશનમાં કોમ્પ્યુટર તથા શિવણ ક્લાસનું ઉદઘાટન

વાંકાનેર: ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ તથા શ્રી એ. એન. બાદી કોમ્પ્યુટર ક્લાસીસ શ્રીમતી એચ.એ.બાદી શિવણ ક્લાસીસ – ગેલેક્સી મલ્ટિ સ્પેશીયાલીટી હોસ્પિટલ ગુલશન પાર્ક રાહત દરે શરૂ કરવામાં આવેલ. આ તકે ઉદ્ઘાટક બસીર બાપુ, ગેલેક્સી સોસાયટી ના MD/ફાઉન્ડર અબ્દુલરહીમ…

તીથવા: જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી

વાંકાનેર: તીથવા ગામની ધ બ્રિલિયન્ટ વિદ્યાલયની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પ્રાર્થના ગીરીશભાઈ વાઘેલા એ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા પાસ કરી છે. તેને આ સિદ્ધિ હાંસલ કરી શાળા તથા વાઘેલા પરિવારનું ગૌરવ વધારેલ છે. ગીરીશભાઈ ઢુવા ખાતે સિરામિકમાં જોબ કરે છે, અને…

સ્વાતંત્રીય સેનાનીના પૌત્રની દીકરી ડોક્ટર બની

વાંકાનેર: રાજકોટ તાલુકાના સણોસરા ગામના વતની હાલ રહેઠાણ ગુલશન સોસાયટી વાંકાનેર વાળાના શેરસિયા અઝીઝ ઉસ્માનભાઈની દીકરી સિદ્રા અઝીઝ શેરસીયાએ MBBS પૂર્ણ કરી મુસ્લિમ સમાજનુ ગૌરવ વધારેલ છે ઉલ્લેખનીય છે કે સિદ્રા બેનને ધોરણ 10 બોર્ડ ગુજરાતમાં બીજો નંબર મેળવેલ હતો.…

ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં ઉત્તીર્ણ

વાંકાનેર: તાલુકાના મુળ વાંકિયા ગામના બાદી અબ્દુલ હાજીભાઈ, જે ૩૨ વર્ષથી સુરતમાં સ્થાઈ થયા છે અને ટેકસટાઇલના બિઝનેસ સાથે જોડાયેલ છે. એમની દીકરી બાદી ઝૈનબ અબ્દુલભાઈ જે ગઇકાલ સાંજે All India Bar Examination માં સફળ થયા છે. આ બદલ તેમને…

દીઘલિયા શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી

વાંકાનેર: તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં તા. ૨૨ માર્ચ, ૨૦૨૪ ના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ વિશ્વ જળ દિવસ વિશે વક્તવ્ય આપ્યું હતું. શાળાના શિક્ષક સતીશકુમાર સરડવાએ જળની ઉપયોગિતા જણાવી હતી. આ ઉપરાંત…

કાનપર પ્રા. શાળામાં “વિશ્વ વન દિવસની” ઉજવણી

વાંકાનેર: તાલુકાની કાનપર પ્રાથમિક શાળામાં “વિશ્વ વન દિવસની” ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકોએ વનની મુલાકાત લઇ, વનનું માનવ જીવનમાં શું મહત્વ રહ્યું છે તેની સમજ મેળવી. “વન દ્વારા વરસાદ” એ થીમ ઉપર વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કર્યું. “વૃક્ષ…

શિક્ષણ જગતમાં ભારે મોટા ધડાકા ભડાકાના એંધાણ

શિક્ષકો જ શિક્ષકોના દુશ્મન? પત્રકારના નામે ફ્રોડ અરજી ?? મોરબી: જીલ્લા શિક્ષણ અધિકારી મોરબીને મળીને કેટલાક શિક્ષકોએ એક પત્રકારને પર લગાવેલા આક્ષેપો અંગે પત્રકાર દ્વારા શિક્ષણાધિકારીને રુબરુ મળીને ખૂલાસા કરવામાં આવેલ છે અને ચોક્કસ શિક્ષકો આચરેલી વ્યાપક ગેરરીતિની સિલસિલા બંધ…

શિક્ષકો વિરૂધ્ધ ખોટી અરજીઓ કરવાનો સનારીયો

દેશી મળ્યો:ટ્રાફિક નિયમના ભંગ વાંકાનેર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી એક ચોક્કસ સમૂહના અમુક લોકો દ્વારા વાંકાનેરના કેટલાક શિક્ષકો અને શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તા વિરુદ્ધ તથ્ય વગરની આધાર પુરાવા વગરની નામી બેનામી અરજીઓ આરટીઆઈ કરી ડરાવવા ધમકાવવામાં આવે છે. તેવા આરોપ સાથે…

દીઘલિયા શાળામાં કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરાયું

વાંકાનેર: તારીખ ૧૫/૦૩/૨૦૨૪ ના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે દીઘલિયા ગામના સરપંચ રસીદાબેન રસૂલભાઈ ખોરજીયા, એસ.એમ.સી. અધ્યક્ષ પાર્વતીબેન અલ્પેશભાઈ ઝાપડા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.…

ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ

હેલ્પલાઈન નંબર 1095 પોલીસ સ્ટેશનેથી ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આજે સોમવાર (11 માર્ચ 2024) થી શરુ થવા જઈ રહી છે. જે 26 માર્ચ સુધી ચાલશે. આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા માટે 15.20 લાખથી વધારે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું…

વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત રેલી

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર : મતદાન જાગૃતિ અંતર્ગત શ્રી કે કે શાહ માધ્યમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિના ચિત્રો, સુત્રો સાથે રેલી યોજવામાં આવી હતી. લોકશાહી પર્વ લોકસભા ચૂંટણી 2024 માટે 67 વાંકાનેરમાં મતદાન…

મૌલાના આઝાદ ફાઉન્ડેશન રદ કરવાનો નિર્ણય રદ કરો

ગુજરાત પ્રદેશ યુથ કમિટીના પ્રમુખ આબીદ ગઢવારાની રજુઆત વાંકાનેર: અહીંના ગુજરાત પ્રદેશ યુથ કમિટીના પ્રમુખ આબીદ ગઢવારાએ પ્રધાનમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી છે કે ભારત સરકાર મૌલાના આઝાદ ફાઉન્ડેશન રદ કરવાનો નિર્ણય તાત્કાલીક રદ કરવો જોઈએ. તેમણે પત્રમાં જણવ્યું છે કે…

દીઘલિયા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

પ્રદર્શન નિહાળવા ગામલોકોએ પણ શાળાની મુલાકાત લીધી વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં તારીખ ૨૮/૦૨/૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત શાળામાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન પ્રદર્શન…

હસનપરના શિક્ષકને એવોર્ડ એનાયત થયો

ગુજરાતી ભાષાના નવતર પ્રયોગો માટે સન્માન વાંકાનેર: ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪ વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંલગ્ન માતૃભાષા અભિયાન દ્વારા માતૃભાષા ગુજરાતીના વિકાસ માટે નવતર પ્રયોગ કરનાર ગુજરાતના ત્રણ શિક્ષકોનું શિલ્ડ,પ્રમાણપત્ર અને 11,000 રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું……

વેસ્ટ ટૂ રિયુઝ પ્લાસ્ટિક વેસ્ટ કાર્યક્રમ યોજાયો

ગાયત્રી મંદિર ખાતે આયોજન વાંકાનેરમાં ગાયત્રી મંદિર ખાતે ગીર ફાઉન્ડેશન દ્વારા 101 વેસ્ટ ટુ રીયુઝ પ્લાસ્ટિક વેસ્ટ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર ને પણ સાથે રાખીને આ પ્રકારના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું,…

તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં બહેનોના ઘરણા

આંગણવાડી-આશા-ફેસીલીએટરો અને મધ્યાન્હ ભોજન કર્મીઓ જોડાયા વાંકાનેર: સંયુક્ત રાષ્ટ્રિય ટ્રેડ યુનિયનો ઈન્ટુક, એચ.એમ.એસ., આઈટુક, સીટુ, સેવા, સહિતનાં રાષ્ટ્રિય ટ્રેડ યુનિયનો સાથે સંકલીત આંગણવાડી- આશા -ફેસીલીએટર અને મધ્યાન્હ ભોજન કર્મીઓનાં બનેલા રાષ્ટ્રિય મંચ દ્વારા આજના અપાયેલ રાષ્ટ્રવ્યાપી કામબંધમાં ગુજરાતનાં હજારો આંગણવાડી-આશા-ફેસીલીએટરો…

દીઘલિયા પ્રા. શાળામાં વિશ્વ કઠોળ દિવસની ઉજવણી

સ્વાસ્થ્ય માટે કઠોળ ખૂબ જ મહત્ત્વનું વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ કઠોળ દિવસની ઉજવણીમાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. ભાષા શિક્ષક…

ખેલ મહાકુંભમાં ગાંગીયાવદર પ્રથમ- વિઠ્ઠલપર દ્વિત્ય

વાંકાનેર: આજ તારીખ 19/01/2024 ને વાર શુક્રવારના રોજ વાંકાનેર તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગાંગીયાવદર પ્રાથમિક શાળાએ ખો-ખો રમતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને વિઠ્ઠલપર પ્રાથમિક શાળાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલું છે. તેમજ આજરોજ ખોખો…

કાયમી શિક્ષકોની ભરતી કરો ! રજૂઆત કરી

ટેટ પાસ ઉમેદવારોએ મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ માંગ મૂકી 5 સુધીમાં માંગ પૂરી નહિ થાય તો ૨૨/૧/૨૪ ના રોજ ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં માંગણીની રજુઆત કરાશે વાંકાનેર : તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સરકારી દરેક માધ્યમની શાળાઓમાં શિક્ષકોની…

ભાટીયા સોસાયટી કન્યાશાળાની વિદ્યાર્થીનીઓએ પ્રવાસ યાત્રા કરી

કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા આ સૂત્રને સાર્થક કર્યું વાંકાનેર: તારીખ 9 જાન્યુઆરી 2024 ના રોજ ભાટિયા સોસાયટી કન્યા પ્રા. શાળા નો કચ્છ(ભુજ)નો શૈક્ષણિક પ્રવાસ ધોરણ 4 થી 8 ના વિદ્યાર્થીઓનો કરવામાં આવ્યો. જેમાં બાળકોએ મોગલ ધામ કબરાઉ…

આંગણવાડી બહેનો ! મૂકો લાપસીનાં આંધણ !!

આંગણવાડીની લાખો બહેનો કર્મચારી જ ગણાશે, આંગણવાડી વર્કરને મળશે ગ્રેચ્યુઈટી સુપ્રીમકોર્ટમાં હારી ગઈ સરકાર! ગુજરાત સહિત દેશભરમાં આંગણવાડી વર્કર તરીકે કામ કરતી બહેનોની સૌથી મોટી જીત થઈ છે સુપ્રીમકોર્ટે તેમનાં હકમાં ખુબ મોટો ફેંસલો સંભળાવ્યો છે. જેને કારણે હવે તેમનું…

તાલુકા શિક્ષણ અધિકારી તરીકે વોરાસાહેબ

વાંકાનેર: રાજ્યમાં બદલી અને બઢતીની મોસમ ચાલી રહી હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-2 સંવર્ગના અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. 27 જેટલા અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે. વાંકાનેરમાં શ્રી જે. ગઈ. વોરાની નિમણુંક થઇ છે.…

ગુજરાત ગૌણ સેવા મંડળની ભરતીની જાહેરાત

ગુજરાતમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવાલય ક્લાર્ક ની ભરતી કરાશે ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફીમાં વધારો કરવાનો…

ગર્લ્સ હાઇસ્કુલ ખાતે સાયબર/ટ્રાફિક માર્ગદર્શન

વાંકાનેર પોલીસ ખાતાએ યોગ્ય શિખામણ આપી વાંકાનેર: આજના આધુનિક યુગમાં મહિલાઓ આત્મા નિર્ભર બને તેવા પ્રયાસો સરકારના રહ્યા છે, જેના ભાગરૂપે મહિલાઓને 33% અનામત મળી છે; ત્યારે સરકારના પ્રયાસોને સફળ બનાવવા માટે સરકારી બાબુઓ પણ જુદા જુદા કાર્યક્રમો પરિસ્થિતિને ધ્યાને…

મોહંમદી લોકશાળા ખાતે પ્રતિભાશોધ સ્પર્ધા યોજાશે

બાળ સ્પર્ધકોએ તા.૦૭/૦૧/૨૦૨૪ ના હાજર રહેવું વાંકાનેર: રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ…

જિલ્લામાં નવા શિક્ષણ અને પ્રા. શિક્ષણ અધિકારી

વાંકાનેર આચાર્યની શિક્ષણ અધિકારીના પ્રમોશન સાથે બદલી મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું વાંકાનેર: મોરબી જિલ્લાના નવા શિક્ષણ અધિકારી તરીકે કમલેશકુમાર મોતા અને પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે નમ્રતા મહેતાને મુકવામાં આવ્યા છે. સાથે જિલ્લાના બે આચાર્યને શિક્ષણ અધિકારીની બઢતી…

આંગણવાડી બહેનો લોહીના આંસુએ રડે છે

લઘુત્તમ વેતન મુદ્દે આશા વર્કર બહેનોનું સરકારને અલટીમેટમ સરકાર સામે પણ જોતી નથી. વાયદા પર વાયદા કરે રાખે છે અમદાવાદ: આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, પણ સરકાર સામે અમુક વર્ગના કર્મચારીઓ નારાજ છે. ઘણા સમયથી કર્મચારીઓ તેમની માગોને…

સરધારકા શાળાના સૂર્યનમસ્કાર સ્પર્ધામાં પ્રથમ

સરધારકા તાલુકા શાળાની વિદ્યાર્થીની તાલુકા કક્ષાએ સૂર્યનમસ્કારમાં પ્રથમ આવી શાળાનું નામ રોશન કર્યું છે. સરધારકા તાલુકા શાળાની ધો. 7 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઝાલા વિશ્વાબા સજ્જનસિંહએ વાંકાનેર તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલ. જેને શાળા અને પરીવારનું નામ…

પ્રા. શિક્ષક સંઘ દ્રારા ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન

ગારિયાનો શખ્સ પાસા હેઠળ જેલ હવાલે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક આયોજીત ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામા આવ્યું હતું.જેનું ઉદ્દઘાટન વાંકાનેર તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી હરુભા ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.. તેમની સાથે મોરબી જિલ્લા ભાજપના મંત્રી જસદણ સિરામિક…

ભાટિયા સોસાયટીમાં ઉર્જા સંરક્ષણની ઉજવણી

કન્યાશાળાની વિદ્યાર્થીનીઓએ પીજીવીસીએલ દ્વારા આયોજિત સલામતી દિનની ઉજવણી કરાઈ વાંકાનેર: અહીંની PGVCL વાંકાનેર કચેરી દ્વારા રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ અને સલામતી દિન ની ઉજવણી રૂપે આજરોજ શ્રી ભાટિયા સોસાયટી કન્યાશાળામાં નિબંધ લેખન ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં…

એસ.એમ.પી.હાઈસ્કૂલ વિદ્યાર્થીઓએ શિબિરનો લાભ લીધો

રામપરા વન્ય અભ્યારણમાં બે દિવસ નિવાસી પ્રકૃતિ શિબિર યોજાઈ વાંકાનેર: ગુજરાત વન વિભાગ દ્વારા દર વર્ષે રામપરા વન્ય અભ્યારણને વિદ્યાર્થીઓ માટે શિબિરની ફાળવણી કરવામાં આવે છે, જેથી નવી પેઢીના બાળકો પ્રકૃતિના સાનિધ્યમાં રહીને વન્ય જીવ અને વાતાવરણને સમજી શકે. રામપરા…

તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

એક પાત્રીય અભિનય, નિબંધ, ચિત્ર, વકૃત્વ, લગ્નગીત, સુગમ, તબલા, હાર્મોનિયમ વાદન, લોકનૃત્ય ગરબા, રાસ સ્પર્ધા વાંકાનેર : રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી મોરબી દ્વારા સંચાલિત વાંકાનેર તાલુકા કક્ષા કલા…

પંચાસિયાની સહયોગ વિદ્યાલયના ડો.શકીલએહમદ પીએચડી

એક જ પરિવારના ત્રીજા સભ્યે પીએચડી કરી ઇતિહાસ સર્જ્યો વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આવેલ સહયોગ વિદ્યાલયના સંચાલક શકિલએહમદ બાદીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનમાંથી એજ્યુકેશન વિષયમાં “મોરાલિટી ઓફ પ્રાઈમરી સ્કૂલ ટીચર્સ ફોર મોરબી ડિસ્ટ્રિકટ” વિષય પર પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી…

આંગણવાડી કાર્યકર-તેડાગરની ભરતી શરૂ

તા.૩૦/૧૧/૨૦૨૩ ઓનલાઈન અરજી કરી શકાશે વાંકાનેર: મોરબી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર-તેડાગરની ખાલી જગ્યા માટે મહિલા ઉમેદવારો તા. ૩૦/૧૧ સુધી ઓનલાઈન અરજી કરી ભરતી પ્રક્રિયામાં પોતાનું નામ નોંધાવી શકશે. મોરબી જિલ્લામાં આંગણવાડી કાર્યકર- તેડાગરની પસંદગી માટે ઓનલાઈન ભરતી પ્રક્રિયા શરૂ…

શેરસીયા પરિવારના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

કાલે તીથવા મુકામે પ્રોગ્રામ વાંકાનેર વિસ્તારમાં વસતા શેરસીયા પરિવાર (નારેદા વારા) ના તેજસ્વી વિદ્યાર્થીને સન્માનવાનો એક કાર્યક્રમનું આયોજન કુટુંબ તરફથી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કાલે એટલે કે ૧૫-૧૧-૨૦૨૩ બુધવારના સવારે : ૮-૩૦ થી ૧૨-૦૦ કલાક સુધી હઝરત લાલાશાહપીર રહેમતુલ્લાહની…

UPSC/GPSC માટેનો સેમીનાર યોજાયો

કિશ્વા એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાંકાનેર આશિયાના જમાતખાના ખાતે આયોજન સંપન્ન વાંકાનેર: કિશ્વા એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાંકાનેર આશિયાના જમાતખાના ખાતે UPSC/GPSC માટેનો સેમીનાર યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત તાહિરભાઈ મેસાણીયા દ્વારા કુરાન શરીફની તિલાવત દ્વારા કરવામાં આવી…

આંગણવાડીમાં 10,000 થી વધુ ભરતીની જાહેરાત

ઓનલાઇન અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે ગાંધીનગર: રાજ્યમાં આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ભરતીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે.   જે અનુસાર રાજ્યમાં 10,000 થી વધુ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે. એટલે કે 10,000 થી વધુ જગ્યા…

તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી નિમાયા

વાંકાનેર તાલુકા શિક્ષક સંઘની કારોબારી મિટિંગ યોજાઈ હતી જેમાં સર્વાનુમતે મહામંત્રીની નિમણુક કરવામાં આવી છે ગઈ કાલે વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક સંઘ પ્રમુખ યુવરાજસિંહ વાળાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં પૂર્વ મહામંત્રી આબીદઅલી કોવડીયાની જીલ્લા ફેર બદલી થતાં…

પગાર વિના શિક્ષકોની દિવાળી નહીં બગડે

વેરિફિકેશન બાકી હોય તેવા શિક્ષકોના પગાર બિલની પ્રિશા દ્વારા ચૂકવણીમાંથી મુક્તિ અમદાવાદ: શિક્ષકોના પગાર માટે પ્રિશા (PRISHA) સોફ્ટવેરમાં હજુ પણ મુશ્કેલીઓ આવતી હોવાથી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ચાલુ માસનો પગાર પણ જૂની પદ્ધતિથી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. રજૂઆતના…

ધોરણ 3 થી 9 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ

9 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ માટે કેલેન્ડર જાહેર આજથી ધોરણ ત્રણ થી પાંચ ના ટાબરીયાઓની પરીક્ષા ચાલુ થાય છે, જોકે તેમની સાથે ધોરણ 5 થી 9 સુધીના વિદ્યાર્થીઓની પણ પરીક્ષા…

ગેલેક્સી રત્ન માટે સન્માનના રજીસ્ટ્રેશન શરુ

વાંકાનેર: ગેલેક્સી ક્રેડીટ કો. ઓ. સો. લી.-વાંકાનેર તથા આકાશગંગા એજ્યુકેશન ટ્રસ્ટ-કેરાળા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ગેલેક્સી રત્ન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વાંકાનેર વિસ્તારના ગત શૈક્ષણિક વર્ષ માર્ચ – 2023 માં પાસ થયેલ S.S.Cપ્લોમાં/ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ…

જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં વિદ્યાર્થીની વિજેતા

વણઝારા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનું ચિત્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન વાંકાનેર: જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરીત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ આયોજિત તથા બીઆરસી ટંકારા સંચાલિત મોરબી જિલ્લા કક્ષા કલા ઉત્સવ 2023 નું આયોજન તા.17/10/2023 ના રોજ કરવામાં આવ્યું હતું. કલા ઉત્સવમાં ચિત્ર,બાળકવિ,…

શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચાર મુદ્દે હજુ નાટક !

તપાસમાં માત્ર દેખાડો જ થતો હોવાની છાપ ઉપસી રહી છે આગેવાનોએ સીવી લીધેલા મોઢા લોકોને અકળાવનારા છે વાંકાનેરમાં છેલ્લા બે ત્રણ વર્ષથી શિક્ષણ શાખામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવેલ છે. ગરીબ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ, આરટીઈ મુજબ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને…

સ્પર્ધામાં ઘીયાવડ શાળાની વિદ્યાર્થિનીઓ ઝળકી

રાજ્યકક્ષાએ કરાટેમાં જુના કણકોટની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મેડલ મેળવ્યા વાંકાનેર : ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોતોકાન કરાટે યુનાઇટેડ ગુજરાત દ્વારા 5th ISKU ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન ટેક્નોફાઈટ માર્શલઆર્ટ એકેડમી દ્વારા સંકલિત રાજકોટ ખાતે કરાયું હતું. જેમાં કરાટેની કુમેત ઈવેન્ટમાં વાંકાનેરની…

કાયમી ભરતી કરવા માટે મુ.મંત્રીશ્રીને રજુઆત

યુવા કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવારાની જ્ઞાન સહાય ભરતી રદ કરવા રજુઆત વાંકાનેર વિસ્તારના યુવાનો હોય કે ખેડુતો હોય માટે હર હંમેશ લડતા વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવારા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્ભાઈ પટેલ સાહેબને જ્ઞાન સહાય ભરતી રદ…

માટેલ પ્રા. શાળાના વિદ્યાર્થીઓની પ્રામાણિકતા

9 હજાર જેટલા રૂપિયા ભરેલા પાકીટ મળતા આચાર્યને સોંપ્યું દેશી દારૂ સાથે ત્રણની ધરપકડ વાંકાનેર : તાલુકાની માટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રામાણિકતા દાખવીને તેઓને મળેલું એક પાકીટ શાળાના આચાર્યને સોંપ્યું છે. લોકો રૂપિયા મેળવવા અવળા રસ્તે પણ જતાં હોય છે.…

જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ કરવા માંગ

TET અને TAT ઉમેદવારો વતી આવેદનપત્ર અપાયું કાયમી ધોરણે નિમણુંક મળતી ના હોઈઉમેદવારોનું અને પરિવારનું ભવિષ્ય જોખમાય છે વાંકાનેર: જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ કરી TET અને TAT ઉમેદવારોની કાયમી ભરતી કરવા અંગે અકીલ સિપાઈ, સોહેલ બાદી અને ગુલનાઝ શેરસીયાએ…

નિવૃત શિક્ષકનું નેશનલ એવોર્ડથી સન્માન

મોહંમદી હાઇસ્કુલના નિવૃત્ત આચાર્ય અબ્દુલભાઇ શેરસીયાનું નેશનલ એવોર્ડ ફોર એક્સલન્સ ઈન એજ્યુકેશન – 23 થી સન્માન વાંકાનેર: કર્ણાટકના બેંગ્લોરમાં તાજેતરમાં શિક્ષક દિને વાંકાનેરની મોહંમદી હાઇસ્કુલના નિવૃત્ત આચાર્ય અબ્દુલભાઇ શેરસીયા (98983 65990)નું નેશનલ એવોર્ડ ફોર એક્સલન્સ ઈન એજ્યુકેશન – 23 થી…

શિક્ષક દંપતીની બદલીથી સ્ટાફ-બાળકો ભાવવિભોર

વાંકાનેર તાલુકામાં પંચાસર ગામે 2009 થી સતત કાર્યરત એવા શિક્ષક દંપતી કોવડિયા આબિદઅલી અને તેમના પત્ની પટેલ સાબેરાબાનુ પોતાની કર્મનિષ્ઠતાના સતત દર્શન કરાવતા. આબિદઅલી વાંકાનેર તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી તરીકે સરાહનીય કામગીરી કરતા. તે આ અગાઉ શિક્ષક અને સીઆરસીની પદવી…

વાર્તા કથન સ્પર્ધામાં દ્વિતીય સ્થાને

જિલ્લા કક્ષાની રાણેકપર ગામની વિધાર્થીનીનો ઉત્કર્ષ દેખાવ વાંકાનેર : શિક્ષણ વિભાગ- ગાંધીનગર તેમજ જીસીઇઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન આયોજિત નિપુણ ભારત મિશન અંતર્ગત દેસાદયા માધ્યમિક શાળા લજાઈ ખાતે મોરબી જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રારંભિક…

શૈક્ષિક મહાસંઘ દ્વારા તા.પંચા.ના હોદેદારોનું સન્માન

શિક્ષકોના પ્રશ્નો હર હમેશા સાથે રહીને ઉકેલ લાવવા માટે સહકારની હૈયાધારણ અખીલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકા આયોજિત વાંકાનેર તાલુકા પંચાયતની નવ નિયુક્ત પ્રમુખ અને પૂર્વ પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારે સંગઠનની કાર્ય પ્રણાલી સંગઠન…

જવાહર નવોદય વિધાલય સમિતિની બેઠક મળી

ઘટતી સુવિધાઓની આપૂર્તિ કરવા માટે બંને સાંસદશ્રીઓનું આશ્વાસન વાંકાનેર: આજરોજ કોઠારિયા ખાતે આવેલ મોરબી જીલ્લાની જવાહર નવોદય વિધાલય પ્રબંધન તથા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, કલેકટર તથા નવોદય વિદ્યાલય વિદ્યાલય…

સહેબાઝ કડીવાર જીપીએસસી ક્લાસ 2 માં ઉત્તિર્ણ

પીપળીયારાજના હાલ સુરત સ્થાઈ થયેલા અને કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના સુપુત્ર વાંકાનેર: ગઈ કાલે જાહેર થયેલ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ક્લાસ- 2 આસીસ્ટન્ટ ઈન્જિનીયર સિવિલ નર્મદા કલ્પસર વોટર રીસોસ માટે પરીક્ષા યોજાઈ હતી, જેમાં વાકાનેર તાલુકાના પીપળીયારાજના વતની અને…

આઈ.ટી.આઈ.માં પ્રવેશની અંતિમ તારીખ લંબાવાઈ

૨૩/૦૯/૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે વાંકાનેર: આઈ.ટી.આઈ વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના વ્યવસાયોમાં પ્રવેશવર્ષ-૨૦૨3 ત્રીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી રહેલ બેઠકો માટે ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રીયા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી મેરીટ આધારીત પ્ર્રવેશ આપવાની પ્રક્રીયાની અંતિમ તારીખ –…

આંગણવાડીઓમાં છ મહિનાથી ગ્રાન્ટ બંધ

કેન્દ્રની ગ્રાન્ટ ન આવતા રાજ્ય સરકારે પણ ચુકવણું બંધ કર્યું ગરમ નાસ્તો, ફળ અને ચણાદાળના બિલ આંગણવાડી વર્કરોએ પોતાના પગારમાંથી ચૂકવી દેતા મૂંઝાયા મકાન ભાડાના, પોષણ સુધા પ્રોજેકટના અને ગેસના બાટલાના પૈસા બાકી હોવાની ફરિયાદ વાંકાનેર: રાજ્યભરમાં પથરાયેલી હજારો આંગણવાડીઓનું…

યુનીવર્સીટીમાં પ્રથમ આવ્યા દર્શનકુમાર મેર

વાંકાનેરના દર્શનકુમાર મેર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર ગુજરાતમાં શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન મેડિકલ લેબ ટેકનોલોજી વિભાગમાં દર્શનકુમાર રાજેશકુમાર મેરે યુનિવર્સીટીમાં પ્રથમ નંબર લાવી સમગ્ર મોરબી જિલ્લાનું અને કોળી સમાજનું નામ…

આજે સાંસ્કૃતિક વિદ્યાલયની તિરંગા રેલી

અંદાજે 350 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે વાંકાનેર: ચંદ્રપુર હાઇવે સ્થિત સાંસ્કૃતિક વિદ્યાલયના વિદ્યાર્થીઓની આજે સવારે નવ વાગે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક વિદ્યાલયના આચાર્યશ્રી મુસ્તાક બાદીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આઝાદી પર્વની ઉજવણીના ભાગરૂપે શાળા દ્વારા…

નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

નિર્મલા કોન્વેન્ટ સ્કુલના વિદ્યાર્થી આર્ય પરમારની સિદ્ધિ વાંકાનેર: નેશનલ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરાટે & સ્પોટ્સ એસોશિએશન, નિર્ભયા એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ શિહાન પ્રવિણકુમાર ચૌહાણના નેજા હેઠળ ઉદયપુર (રાજસ્થાન) ખાતે યોજાયેલી હતી. જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર અને બીજા અનેક રાજ્યોના…

શિક્ષણખાતામાં ઉચાપતના કાંડમાં નવો વળાંક

હાઈકોર્ટે આપ્યો વચ્ચગાળાનો સ્ટે ટીડીઓ, ટીપીઇઓ અને એકાઉન્ટ સામે કાર્યવાહીના સંકેત વાંકાનેર તાલુકામાં ફરજ બજાવતા ત્રણ સરકારી શિક્ષકોની સામે ડીપીઇઓ દ્વારા સરકારી નાણાની ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેની સામે આગોતરા જામીન માટે ત્રણેય શિક્ષક દ્વારા હાઇકોર્ટમાં વકીલ મારફતે આગોતરા…

ખેરવા શાળાના વિદ્યાર્થીઓનો ઝળહળતો દેખાવ

વાંકાનેર : તાલુકાની જુના કણકોટ તાલુકા શાળા ખાતે G 20 “વસુધૈવ કુટુંબકમ”ની થીમ આધારિત સી.આર.સી.કક્ષાના કલા મહોત્સવ અને “નિપુણ ભારત” અંતર્ગત વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 10 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ખેરવા પ્રાથમિક શાળાના…

ભ્રષ્ટાચારના આરોપીઓનો વાળ પણ વાંકો નથી થયો

વાંકાનેરની શિક્ષણ શાખાના ભ્રષ્ટાચારીઓ FRI નોંધાયા બાદથી ગુમ વાંકાનેર શિક્ષણ શાખાના ભ્રષ્ટાચારીઓ આરોપીઓને હજુ સુધી કેમ ફરજ મોકૂફ નથી કરાયા? વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખાના ચાલુ વર્ષના ઓડિટ દરમ્યાન બેનામી નાણાંકીય વ્યવહારોના ઓડિટ પેરા નીકળતા વર્ષ – ૨૦૧૭ થી ૨૦૨૦ સુધી…

રાજપૂત સમાજ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ

રાજપૂત સમાજના અગ્રણીઓ મોરબી ખાતે ઉપસ્થિત રહેશે મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા તા. ૩૦ ને રવિવારના રોજ બપોરે ૦૩ : ૩૦ કલાકે કેશવ બેન્કવેટ હોલ, લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાશે ૫૧ વર્ષથી નિરંતર યોજાતા સરસ્વતી સન્માન…

રાણેકપર શાળાના બાળકોને ગુરુજનો દ્વારા બોટલની ભેટ

વાંકાનેરની રાણેકપર પ્રાથમિક શાળાના બાળકોને ગુરુજનોએ પાણીની બોટલની ભેટ અર્પણ કરી હતી જે સુંદર ભેટ મેળવીને બાળકો ખુશખુશાલ થયા હતા. વાંકાનેર રાણેકપર પ્રાથમિક શાળામાં વિવિધ દિવસોની ખાસ ઉજવણી કરવામાં આવે છે બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા પ્રયત્નો શાળાના શિક્ષકો…

વાંકાનેરમાં શિક્ષક બદલી અરજીમાં પણ ભ્રષ્ટાચાર ?

સરકાર દ્વારા બોન્ડ હેઠળ નોકરી કરતા કર્મચારીની દશ વર્ષ સુધી બદલીની અરજી પણ ન કરી શકે છતાં અરજી રાજકોટ કોર્પોરેશનમાં પહોંચી ગઈ ! વાંકાનેર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો તેમ એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે. હાલમાં મળતી વિગત…

ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને મળશે 25 હજાર

કોઈપણ વિદ્યાર્થી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના હેઠળ અરજી કરી શકે છે આ રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ યોજના છે, જેના હેઠળ ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા આપવામાં આવે છે. આનો લાભ લેવા માટે તમારે અરજી કરવી પડશે, જેના માટે…

પ્લેગ્રાઉન્ડ વગરની સ્કૂલો સામે કાર્યવાહીની શરૂઆત

શિક્ષણ વિભાગે સ્કૂલો પાસેથી મેદાન અંગેની માહિતી મંગાવાઈ રાજ્યમાં અનેક સ્કૂલો મેદાન વગર જ ચાલતી હોવાની અવારનવાર વિગતો સામે આવે છે, ત્યારે તમામ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાઓમાં આવેલી શાળાઓ પાસેથી તાત્કાલીક મેદાન અંગેની વિગતો મંગાવાઇ છે. જેમાં સ્કૂલ પાસે પોતાનું…

વાંકાનેરમાં મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023ની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના આઈસીડીએસ વિભાગ ઘટક એક અને બે દ્વારા મિલેટ વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં વાંકાનેર તાલુકાના આંગણવાડી કેન્દ્રના વર્કર બહેનો દ્વારા વાનગી લાવવામાં આવી હતી. આ વાનગીઓ મિલેટમાંથી…

સમસ્ત કોળી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ

માંધાતા પરિવાર તળપદા કોળી જ્ઞાતિ મંડળ તથા તળપદા કોળી જ્ઞાતિ કર્મચારી મંડળ રાજકોટના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાશે. બેડીપરા શ્રમજીવી સોસાયટી સહકારી મંડળીના પ્રમુખશ્રી રણછોડભાઈ કોબીયાએ એક યાદીમાં જણાવ્યું છે કે સમસ્ત કોળી સમાજના વિદ્યાર્થી મિત્રો તથા સ્વજનોને જણાવવાનું…

રેશનિંગ અનાજ ઓનલાઈન પદ્ધતિથી મુશ્કેલી

મધ્યાહન ભોજન કર્મચારી સંઘની રજૂઆત રેશનિંગના અનાજ માટે ઓનલાઈન પરમિટ પદ્ધતિને લીધે મધ્યાહન ભોજન યોજનાને મુશ્કેલી પડી રહી છે અમદાવાદઃ રાજ્ય સરકારે રેશનિંગના અનાજ માટે ઓનલાઈન પદ્ધતિ લાગુ કરતા મધ્યાહન ભોજન યોજનાને રેશનિંગનું અનાજ મેળવવા ભારે મુશ્કેલી પડી રહી છે.…

શાળાની સામે જ ધમધમે છે દારૂના હાટડાં

નિર્મળા કોન્વેન્ટ સ્કૂલના પ્રિન્સિપાલની SPને રજૂઆત જડેશ્વર રોડ પરની સ્કૂલ સામે દારૂના વેપાર થતો હોવાની વાતે ખળભળાટ વાંકાનેર: જડેશ્વર રોડ પર ખાનગી શાળા સામે 2 વર્ષથી ચાલતા દેશી દારૂના હાટડા બંધ કરાવવા જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરવી પડી, સ્થાનિક પોલીસની…

રાજ્ય કારોબારીમાં શિક્ષકોના ચોવીસ પ્રશ્નો રજુ

ગાંધીનગરની રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પ્રશ્નો રજુ કરાયા ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાયેલી રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના નીચે મુજબના 24 જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા. (1)જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવા બાબત,…

જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં જિલ્લામાં ત્રીજા ક્રમે

કાશીપર પ્રા. શાળાનો ધોરીયા ઋત્વિક જિલ્લામાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થતા આનંદ વાંકાનેર તાલુકાના શ્રી કાશીપર પ્રા. શાળાના વિદ્યાર્થીએ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ફરી એક વાર શાળાનું ગૌરવ વધારેલ છે. ધોરીયા ઋત્વિક દિનેશભાઇએ જવાહર નવોદય વિદ્યાલયની વર્ષ: 2023/24 ની પરીક્ષામાં કોઈ…

નવીકલાવડી શાળામાં રોપાઓનું વિતરણ/વાવેતર

નવરંગ નેચર ક્લબ દ્વારા 2000 જેટલા વિવિધ રોપાનું વિતરણ વાંકાનેર: બિપરજોય વાવાઝોડાને કારણે ઠેર ઠેર હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે વાંકાનેરની નવી કલાવડી પ્રાથમિક શાળામાં નવરંગ નેચર ક્લબ દ્વારા 2000 જેટલા વિવિધ રોપાનું વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું છે.…

શિષ્યવૃતિ કૌભાંડના આરોપીઓ પકડાતા નથી

ધારાસભ્ય આગળ આવે: લોકલાગણી એફઆરઆઈ નોંધાયાના પંદર પંદર દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર વાંકાનેર: શિક્ષણ જગતને કલંકિત કરનાર શિષ્યવૃતિ કૌભાંડના ભ્રષ્ટાચારી આરોપીઓ વિરુદ્ધ એફઆરઆઈ નોંધાયાના પંદર દિવસ બાદ પણ સરકારી કર્મચારી એવા આરોપીઓ પોલીસ પકડથી દુર રહેતા શિક્ષક…

NEET-2023ના પરિણામમાં વાંકાનેરની મોડર્ન સ્કૂલના 15-15 વિદ્યાર્થીઓએ મેળવ્યા 400 કરતા વધુ ગુણ

વાંકાનેર વિસ્તારમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને M.B.B.S.માં પ્રવેશ અપાવતી ઘી મોડર્ન સ્કૂલ વાંકાનેર વિસ્તારમાં અવિરત રીતે શ્રેષ્ઠ પરિણામની હારમાળા સર્જી મોડર્ન સ્કૂલે ઇતિહાસ રચી દીધો છે, જેમાં દર વર્ષની માફક આ વર્ષે પણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ NEET-2023 માં સર્વશ્રેષ્ઠ પરિણામ…

ભ્રષ્ટાચારના આરોપી ત્રણેય શિક્ષકોને શોધતી પોલીસ

શાળાઓ શરૂ થવા છતાં હાજર નહીં થતા અનેક તર્કવિતર્ક રજા રિપોર્ટ મુક્યા તો કોણ આપી ગયું? રજા મંજૂર કરી કે નહીં? વગેરે યક્ષ પ્રશ્નો છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખાના ચાલુ વર્ષના ઓડિટ દરમ્યાન બેનામી નાણાંકીય વ્યવહારોના ઓડિટ પેરા…

શિક્ષણ વિભાગના કૌભાંડની તપાસ ACB ને સોંપો

વિશ્વાસઘાત કે ફરજ પ્રત્યેની બેદરકારી? તો જ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગના કૌભાંડના મૂળિયા સુધી પહોંચી શકાશે લાખ મણનો સવાલ: કૌભાંડ વર્ષ 2017 થી 2020 સુધી ચાલતું રહ્યું તેમ છતાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું ધ્યાન આ તરફ ગયું નહિ? શિષ્યવૃતિ…

વાલીઓનું બજેટ ખોરવશે મોંઘુ બનેલું શિક્ષણ

સ્‍ટેશનરીમાં રપ ટકા અને પાઠયપુસ્‍તકોની કિમતોમાં સરેરાશ ૪૦ ટકાનો વધારો વાંકાનેર: શિક્ષણ પર મોઘવારીના મારના લીધે સંતાનોને ભણાવવું આ વર્ષે વાલીઓ માટે ખુબજ મોઘું સાબિત થશે, કારણ કે સ્‍ટેશનરીની કિમતોમાં રપ ટકાનો સીધો વધારો થતા વાલીઓને માટે માત્ર નોટબુક, પુસ્‍તક,…

માલધારીનેશ શાળામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

નોકરીના 32 બત્રીસ વર્ષ પૂર્ણ થયા હોય બત્રીસ વૃક્ષ વાવ્યા હતા એ આ વર્ષે તમામ ઉછેરી ગયા છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની નાની પણ રમ્ય એવી લીંબાળા પાસે આવેલી માલધારી નેશ પ્રાથમિક શાળામાં *સાંસે હો રહી હૈ કમ,આઓ પેડ લગાયે…

એ ત્રણ શિક્ષક ભૂગર્ભમાં ઉતરી ગયા

પોલીસ ગિરફ્તની બહાર નીકળી ગયા અને તેમના ફોન પણ સતત બંધ આવે છે વાંકાનેર તાલુકા શિક્ષણ વિભાગમાં હિસાબી શાખાની કામગીરી કરતા શિક્ષક એક બીઆર સી કોર્ડીનેટર સહિત ત્રણ લોકો વિરૂદ્ધ અંતે જિલ્લા પંચાયતની તપાસ સમિતિએ તપાસ પૂર્ણ કરી હતી અને…

કોળી કેરિયર એકેડમી દ્વારા તેજસ્વી વિદ્યાર્થી/કર્મચારી સન્માન સમારોહ

તારીખ: 21સુધીમાં અરજદારોએ પોતાની ધોરણની માર્કશીટની ઝેરોક્ષ નકલ પાછળ પોતાનું નામ-સરનામું મોબાઇલ નંબર જોડી જમાકરાવવા અનુરોધ વાંકાનેર વિસ્તારના કોળી સમાજના જ્ઞાતીબંધુઓને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણા વાંકાનેર વિસ્તારમાં તેજસ્વી વિધાર્થી તેમજ કર્મચારી સન્માન સમારોહનુ આયોજન કરેલ હોય…

ઉચાપત કાંડમાં શિક્ષકો સામે ફરિયાદની તજવીજ

શિક્ષણ વિભાગમાં થયેલ ૫૩ લાખ રૂપિયાનું કૌભાંડની ફરિયાદ માટે ડીપીઇઓને અધિકૃત કરવામાં આવ્યા બીજા કોઈના પણ તેને આશીર્વાદ હતા કે કેમ; તે હવે પોલીસ તપાસમાં સામે આવશે? વાંકાનેર: વાંકાનેર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગમાં થયેલ કૌભાંડની માહિતી સામે આવી…

સામાન્ય પ્રવાહ: વાંકાનેર ટોપ-10 વિદ્યાર્થીઓ

ગુજરાત બોર્ડ રિઝલ્ટ 73.27 % જયારે વાંકાનેર કેન્દ્રનું 84.82 % ઘી મોડર્ન સ્કૂલના 10 અને બોર્ડમાં 5 વિધાર્થીનો સમાવેશ: વાંકાનેરમાં પ્રથમ સ્થાને આજરોજ જાહેર થયેલ ધો. 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં સમગ્ર વાંકાનેર ટોપ – 10 માં સૌથી વધુ 10-10 વિદ્યાર્થીઓ…

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ માર્કસ સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્ર તથા ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવતો વાંકાનેરની ફૈઝ સ્કુલનો વિદ્યાર્થી આલ ભરત

આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 કોમર્સની પરિક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે વાંકાનેરનની ફૈઝ સ્કુલના વિદ્યાર્થી આલ ભરતએ રેકોર્ડ બ્રેક પરિણામ સાથે સમગ્ર ગુજરાતમાં બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે… આલ ભરત અમરાભાઈ…

ધો. 12 કોમર્સ માર્ચ – 2023 માં સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન સાથે 5-5 વિદ્યાર્થી ટોપ 10 માં સ્થાન મેળવી ઘી મોડર્ન સ્કૂલે વાંકાનેરને સમગ્ર ગુજરાતમાં ગૌરવ અપાવેલ છે

સમગ્ર ગુજરાત બોર્ડમા પ્રથમ માથકીયા સાજેદાબાનુ નજરૂદીન- પંચાશીયા PR. 99.99     Per. 95.00 %  પ્રથમ વખત વાંકાનેર વિસ્તારના પાંચ-પાંચ વિધાર્થીઓએ સમગ્ર ગુજરાત બોર્ડના ટોપ-૧૦માં સ્થાન મેળવીને વાંકાનેરનુ ગૌરવ વધારેલ છે. સમગ્ર ગુજરાત બોર્ડમા દ્રિતીય ચારોલીયા તેસીન શાહિદ- અરણીટીબા PR. 99.98 …

રૂ. 53 લાખનું કૌભાંડ થયાનું સ્વિકારતા ડીડીઓ

ભ્રષ્ટાચારનું ઘર એટલે વાંકાનેર? અત્યાર સુધી કેમ ખબર ન પડી ? અંદાજે 25થી 30 લાખની રિકવરી : અન્ય વિભાગોમાં પણ કૌભાંડ થતા અલાયદી તપાસ મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ તેમજ અન્ય ગ્રાન્ટ હડપ કરી જવાના કિસ્સામાં…

ગુજરાતમાં પ્રવાસી શિક્ષકોની વાસ્તવિકતા: ડરામણી

ધો.૫ ના ૧૪.૮ ટકા વિદ્યાર્થીઓને વાંચતા નથી આવડતું,માત્ર ૧૬.૧ ટકા ભાગાકાર કરી શકે છે ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનું પરિણામ ખરાબ આવવા પાછળનું મુખ્ય કારણ ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ છે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (એએસઇઆર)પ્રમાણે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ધો.૫માં અભ્યાસ…

ગોટાળા અગાઉના માહિતી પછીની મંગાઈ !

શિક્ષણ જેવા અગત્યના વિભાગના થાબડભાણા સામે આગેવાનોની ચૂપકીદી કેમ? મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ સમય ગાળાને બદલે ચાલુ વર્ષના પ્રવાસી શિક્ષકની માહિતી માંગતો શિક્ષણ વિભાગ ! છે ને અજાયબી? મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચારની અનેક માહિતી સામે…

એસ એસ સી માર્ચ -૨૦૨૩ મા સમગ્ર ગુજરાત બોર્ડમા છઠ્ઠા નંબરમા સ્થાન મેળવતી બે-બે વિધાર્થીનીઓ ધી મોડર્ન સ્કૂલની

સમગ્ર ગુજરાત બોર્ડમા છઠ્ઠા શેખ તન્વીર અબ્દુલરઝાકભાઇ- વાંકાનેર PR.99.94 સમગ્ર ગુજરાત બોર્ડમા છઠ્ઠા બાદી આરમીન ઇકબાલ- મહિકા PR.99.94 બાદી આરમીન ઇકબાલ ધી મોડર્ન હાઇસ્કૂલ વિભાગના આચાર્યની પુત્રી છે જેમને ગણિત અને સંસ્કૃત વિષયમા 100-100 ગુણ મેળવેલ છે સમગ્ર વાંકાનેર કેન્દ્રમા ચોથો…

મોરબી જિલ્લાનું 75.43% ટકા પરિણામ

પીપળીયા રાજનું સૌથી ઊંચું- ચંદ્રપુર કેન્દ્રનું સૌથી નીચું પરિણામ આવ્યું વાંકાનેર તાલુકાના કેન્દ્ર મુજબ પરિણામ જોઈએ તો વાંકાનેર કેન્દ્રનું 72.28 ટકા, સિંધાવદર કેન્દ્રનું 78.28 ટકા, ચંદ્રપુર કેન્દ્રનું 67.03 ટકા, અને સૌથી ઉંચુ પીપળીયા રાજ કેન્દ્રનું 83.60 ટકા પરિણામ જાહેર થયું…

વાંકાનેરના સિંધાવદર કેન્દ્રમાં મદની સ્કુલનો ડંકો, કેન્દ્રમાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ મદની હાઈસ્કૂલના….

દર વર્ષની માફક આ વર્ષે પણ ધોરણ 10ના પરિણામમાં સિંધાવદર કેન્દ્રમાં મદની સ્કુલનો દબદબો.. ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરિક્ષાના આજરોજ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં દર વર્ષની માફક આ વર્ષે પણ સિંધાવદર કેન્દ્રમાં મદની હાઇસ્કૂલનો દબદબો…

ધો.10માં વાંકાનેરનો વિધાર્થી આવ્યો બોર્ડ ફર્સ્ટ

જ્ઞાનગંગા સ્કૂલના વિધાર્થી પટેલ મિત સમગ્ર બોર્ડમાં પ્રથમ નંબર મેળવ્યો. વાંકાનેર: આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ ધો.10ના પરિણામમાં 99.99 PR સાથે જ્ઞાનગંગા સ્કુલનો વિદ્યાર્થી પટેલ મીત શૈલેષભાઈ સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે આવેલ છે.…

વાંકાનેરમાં ITIમાં સમર સ્કિલ વર્કશોપ

તા.૨૨ થી પાંચ દિવસ માટે નિ:શુલ્ક સમર સ્કીલ વર્કશોપ યોજશે વાંકાનેર ખાતે સરકારી આઈ.ટી.આઈ દ્વારા ધોરણ ૮ પછીના વિદ્યાર્થી માટે તા.૨૨/૦૫/૨૦૨૩ થી પાંચ દિવસ માટે નિ:શુલ્ક સમર સ્કીલ વર્કશોપ યોજશે. સમર સ્કીલ વર્કશોપમાં એક અઠવાડિયાના પાંચ દિવસ માટે રોજના બે…

નિવૃત્ત થયેલ શિક્ષકોના રોકડ રજા રૂપાંતરમાં પણ ભ્રષ્ટાચાર !

બે બે વખત બીલ જમા કર્યા બાદ શિક્ષકોની સહી કરાવી લેતા હતા: અંગત ખાતામાં રકમ જતા કરવાનું કારસ્તાન વાંકાનેર શિક્ષણ શાખામાં એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં મળી રહેલી માહિતી મુજબ નિવૃત્ત થયેલ શિક્ષકોના રોકડ રજા…

કૌભાંડોમાં ભીનું સંકેલી લેવાનો પ્રયાસ !

આર.ટી.ઈ.માં ડ્રોપ આઉટ બાદના હિસાબનું શું? વાંકાનેર શિક્ષણ શાખાના કૌભાંડોની તપાસ ક્યારે થશે? વર્ષના અંતે વિદ્યાર્થીઓ શાળા છોડીને અન્ય શાળામાં જતા રહે, ત્યારે પૂરેપૂરા વિદ્યાર્થીઓના રૂપિયા દશ હજાર અને સ્ટેશનરી યુનિફોર્મના ત્રણ હજાર લેખે જમા કરે અને બાકીના વધારાના રૂપિયાની…

વાંકાનેર શિક્ષણ શાખામાં વધુ એક કાંડ

નિવૃત-મૃત્યુ પામેલ શિક્ષકોને આપેલ સિલેક્શન ગ્રેડના એરિયર્સમાં કટકી વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખા જાણે ભ્રષ્ટાચારનો પર્યાયી બની ગઈ હોય એમ એક પછી એક ભયંકર ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં વધુ એક ભ્રષ્ટાચાર સામે આવેલ છે. જે સાંભળીને હૈયું હચમચી…

…અને હવે વિદ્યાલક્ષ્મી બોન્ડમાં પણ કૌભાંડ !

રાજકારણીઓના પગ નીચે પણ રેલો આવે તેવી શક્યતા 32થી વધુ વિદ્યાર્થીઓને બોન્ડના નાણા ચુકવવાના બદલે ગોલમાલ કરી હજમ કરી જતા ખળભળાટ વાંકાનેર: રાજ્યભરમાં નબળા પરિવારના વિદ્યાર્થીઓને સારામાં સારી શિક્ષણ વ્યવસ્થા મળે તેના માટે તેને સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ અમલમાં…

વાંકાનેર શિક્ષણ શાખામાં કૌભાંડોની હારમાળા?

શિક્ષકોમાં ગરમાગરમ ચર્ચા: પ્રમુખ, ડીડીઓ અને કલેક્ટર કેમ મૌન? નાણાકીય ઉચાપત કરનારાઓની સામે ફરિયાદ કેમ કરવામાં આવતી નથી? બાળકોના નામે સરકારી ચોપડે રાશનના બિલ ચડાવીને લાગુ પડતા અધિકારી અને કર્મચારી દ્વારા તે પૈસા હજમ કરી જવામાં આવ્યા હોવાની ચર્ચા બીઆરસી…

જીનિયસ સ્કૂલના ઓનર અયાઝભાઇ બાદીનો જન્મ દિવસ

વાંકાનેર તાલુકાના મહીકા ગામમાં આવેલ જીનિયસ સ્કૂલ મેનેજમેન્ટના સંચાલક અયાઝભાઇ બાદીનો આજે જન્મ દિવસ છે. તેઓની ઉમર ૨૭ વર્ષ અને અભ્યાસ m.com બીએડ છે. તેમના મોબાઈલ નંબર 8511979751 ઉપર તેમના શુભેચ્છકો તરફથી તેમને શુભેચ્છા મળી રહી છે.

ડીડીઓએ નિવેદન લીધા બાદ શિક્ષણ અધિકારી રજા પર !

દિનેશભાઈ ગરચર ૧૫ દિવસની રજા પર ઉતરી જતા અનેક તર્કવિતર્ક: તપાસ સમિતિએ ૧૩ લોકોને નિવેદન માટે બોલાવેલા વાંકાનેર તાલુકામાં શિષ્યવૃત્તિ સહિતની લાખોની રકમ ચાઉં કરી જવાના પ્રકરણમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને ગાંધીનગરથી આદેશ છુટ્યા બાદ ડીડીઓના અધ્યક્ષસ્થાને…

પ્રવાસી શિક્ષકોની નિમણૂક વગર જ પગારની ચુકવણી !?

વાંકાનેર શિક્ષણશાખામાં કૌભાંડોના અજગર ઘૂમી રહ્યા હોવાની છાપ ઉભી થઇ રહી છે રાજકીય આશીર્વાદ કે પછી અન્ય કોઈ કારણોસર શિક્ષણ શાખામાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારી અને શિક્ષકો દ્વારા સાથે મળીને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે વાંકાનેરમાં શિક્ષકોના પગારમાં મોટા…

પ્રતાપગઢના સોહીલખાને પ્રોજેક્ટમાં શિલ્ડ મેળવ્યું

પ્રોજેક્ટમાં ભાગ લેનાર 45 વિધાર્થીઓમાં સોહીલખાન પઠાણનો પ્રસંશનિય દેખાવ વાંકાનેર: તાજેતરમાં જ રાજકોટ ખાતે ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે પ્રોજેક્ટમા 45 વિધાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં પ્રતાપગઢના સોહીલખાનનો પ્રસંશનિય દેખાવ રહ્યો હતો. એન્જિનિયરિંગમાં છેલ્લા પ્રોજેક્ટમાં પ્રથમ ગ્રુપમા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી…

દાવતે ઇસ્લામી દ્રારા મોડર્ન સ્કુલમાં સ્ટુડન્ટ કોર્ષ સંપન્ન

તમામ વિદ્યાર્થીને ‘નમાજ કે અહકામ’ કિતાબ તોહફામાં આપવામાં આવી વાંકાનેર: દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્રારા મોડર્ન સ્કુલમાં,સાત દિવસનો સ્ટુડન્ટ કોર્સ (ફર્ઝ ઉલુમ કોર્સ)નું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળાતા પૂર્વક પૂર્ણ થયો છે. દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્રારા ૭૯ જેટલા અલગ અલગ…

ઉચાપતના બનાવમાં પગલાં કેમ નહીં ?

૨૧.૪૪ લાખની નાણાકીય ઉચાપત બાબતનો ડીડીઓ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વાંકાનેર તાલુકામાં આવેલ જુદી જુદી ૨૧ જેટલી શાળાઓના પગાર બિલમાં યેનકેન પ્રકારે ગેરરીતિ કરવામાં આવી હોય અને નાણાકીય ઉચાપત કરવામાં આવી છે તેવી…

માટેલ ગામે હાઇસ્કુલની મંજૂરી આપવામાં ઠાગાઠૈયા

આજુબાજુના ૧૦ ગામના વિદ્યાર્થીઓની શિક્ષણ માટે રઝળપાટ વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ-વિરપર સંયુક્ત ગ્રામ પંચાયત દ્વારા એવી ફરિયાદ ઉઠી છે કે માટેલ ગામમાં હાઈસ્કૂલ શરૂ કરવામાં આવે. જેથી ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને શિક્ષણ મળી શકે. વાંકાનેર તાલુકાના માટેલ ગામની…

12 સાયન્સના રિઝલ્ટમાં વાંકાનેર ટોપ 10 વિધાર્થીઓ

ગુજકેટ વાંકાનેર ટોપ-૧૦માં મોર્ડન સ્કૂલના 7, જ્ઞાનગંગા સ્કૂલના 5, વી.એસ.શાહ સ્કૂલના 1 વિધાર્થીને મળ્યું સ્થાન… વાંકાનેર: આજે 12 સાયન્સ અને ગુજકેટનની ગુજરાત બોર્ડ દ્રારા લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. 12 સાયન્સના 2023 ના પરિણામમાં મોરબી જિલ્લાએ મેદાન માર્યું છે મોરબી…

ધો.12 સાયન્સનાં ગુજકેટનાં પરિણામમાં વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવતી “મોડર્ન સ્કૂલ”

ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી 12 સાયન્સની ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ગુજકેટની પરીક્ષાના પરિણામમાં વાંકાનેરની મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. વાંકાનેર ટોપ-૧૦માં મોડર્ન સ્કૂલના ૭-૭ વિદ્યાર્થીઓને સ્થાન મળેલ છે. ….ગુજકેટમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રના Top-10 વિદ્યાર્થીઓ…. જેમા સૌથી વધુ…

BREAKING:ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરિણામ

રાજ્યના વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવી ગયો છે. આજે ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. બોર્ડના પરિણામની સાથે-સાથે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર થયું છે. બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ gseb.org…

વાંકાનેર તાલુકાના મ. ભો. કેન્દ્રોમાં ભરતી જાહેર

સંચાલક, રસોયા અને મદદનીશ માટે ઉમેદવારોએ અરજી મોકલી આપવાની રહેશે વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારે નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં સંચાલક તરીકે ૨૧, રસોઇયા તરીકે…

ગોલ્ડ મેડલ વિજેતા બે વિદ્યાર્થીનીઓનું સન્માન થશે

૪૦ જેટલા વિદ્યાર્થી ભાઇઓ-બહેનોને પદવી અને વિવિધ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવનાર ૧૫ વિદ્યાર્થી ભાઇઓ-બહેનોનું પણ સન્માન થશે વાંકાનેર: ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલીત ડો. આંબેડકર ઓન યુનિવર્સિટી અંતર્ગત શ્રીમતી કુમુદબેન પ્રવિણચંદ્ર મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની બે વિદ્યાર્થીનીઓને યુનિવર્સિટીમાં કોમર્સ…

આરટીઇ હેઠળ પ્રવેશમાં આંગણવાડી સર્ટિફિકેટનું નવુ કૌભાંડ

જો જો ! વાંકાનેરની આંગણવાડીમાં પણ પોલીસ તપાસનો રેલો ન આવી જાય ! વ્યાપ એટલો મોટો છે કે સૂરત પછી જો રાજ્ય કક્ષાએ સરકાર તપાસનો નિર્ણય કરે તો નવાઈ નહિ ‘ગુજરાત સમાચાર’નો અહેવાલ જણાવે છે કે રાઇટ ટુ એજયુકેશન એકટ…

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. આઠમા દિક્ષાંત સમારોહમાં વાંકાનેરની બે વિધાર્થીનીઓને ગોલ્ડ મેડલ એનાયત

રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં અબ્દુલભાઇ ગેલેક્સીની દિકરી બાદી રીઝવાનાબેન અને ચાવડા રસીલાબેનને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિતે ગઇકાલે ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. (A++)નો આઠમા દીક્ષાંત સમારોહ(પદવીદાન સમારોહ) યોજાયો હતો, જેમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી…

મદની પ્રાયમરી સ્કૂલ & હાઇસ્કૂલને શિક્ષકો જોઈએ છે

વાંકાનેર તાલુકાની સિંધાવદર ખાતે આવેલી મદની પ્રાયમરી સ્કૂલ & હાઇસ્કૂલને અંગ્રેજી તથા ગણિતના શિક્ષકોની જરૂર છે. આ માટે ઓફિસ ટાઈમ સવારે 10 થી 5 વાગ્યા સુધી 99093 54614 ઉપર સંપર્ક કરી રૂબરૂ આવવા જણાવાયું છે. વધુ વિગત એમના ઉપરના પત્રમાં…

રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત મોરબી જીલ્લામાં ૮૯૪૧ વિદ્યાર્થીઓએ ફ્રી શિક્ષણનો લાભ લીધો

વાંકાનેરની ૩૦ શાળાઓનો સમાવેશ: ૧૦.૨૭ કરોડ જેટલી ફી શાળાઓને ચૂકવી અંદાજિત ૨.૭૦ કરોડ રૂપિયા ગણવેશ તથા અન્ય સહાય રૂપે વિદ્યાર્થીઓને ચૂકવ્યા વાંકાનેર: શિક્ષણને વધુ પ્રાધાન્ય આપી રાજ્ય સરકાર દ્વારા વર્તમાન બજેટમાં રૂ.૪૩,૬૫૧ કરોડની સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે. ગરીબ…

કેરાળામાં શાળાના આચાર્યની બદલી થતા વિધાર્થિનીઓ રડી પડી

કર્મનિષ્ઠ આચાર્ય બોસિયાની બદલી થતા વિદ્યાર્થીઓએ ભીની આંખે વિદાય આપી વાંકાનેર તાલુકાના કેરાળા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા શાળાના વિદ્યાર્થીઓએ ભીની આંખે પોતાના પ્રિન્સીપાલને વિદાય આપી હતી, કેટલીક વિદ્યાર્થીનીઓ ચોધાર આંસુએ રડી પડી હતી.  વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામે ૫ વર્ષ…

ઘીયાવડ શાળામાં સ્વર્ગસ્થના સ્મરણાર્થે દાનની સરવાણી

સ્વર્ગસ્થ માતાના સ્મરણાર્થે ખુરશી અને ડ્રોઅરટેબલ ભેટ આપતા ગિરિરાજસિંહ ઝાલા વાંકાનેર : વાંકાનેરના ઘીયાવડમાં પોતાના સ્વર્ગસ્થ માતાના સ્મરણાર્થે સીઆરસી જુના કણકોટની ઘીયાવડ પ્રાથમિક શાળામાં 16 ખુરશી અને 4 ડ્રોઅરટેબલ ભેટમાં આપવામાં આવ્યા હતા. વાંકાનેરની ઘીયાવડ શાળામાં ગિરિરાજસિંહ ભૂપતસિંહ ઝાલાએ સ્વર્ગસ્થ…

આવતી કાલથી ધો. 10 અને 12 ની પરીક્ષા શરુ થશે

ધો.10ના સિધાવદર, ચંદ્રપુર, પીપળીયારાજ, વાંકાનેર આદર્શ સેન્ટરનો અને ઘો.12 સામાન્ય પ્રવાહમાં વાંકાનેરનો સમાવેશ મોરબી જિલ્લામાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં કુલ 80 સ્થળો, 17 સેન્ટર અને 825 બ્લોકમાં 23587 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે -કુલ 1647નો સ્ટાફ પરીક્ષા કાર્ય માટે ફાળાવ્યો છે…

તીથવા હાઈસ્કૂલમાં બોર્ડ પર દિન વિશેષના શિર્ષક હેઠળ લખાણ લખીને માહિતી સંચાર કરવાનો સ્તુત્ય પ્રયાસ

શાળામાં સુવિચાર લખવાથી શરૂઆત કરી હતી પણ આજે દિન વિશેષ લખવું એ પ્રણાલિકા બની ગઈ છે. નાના નાના સ્કેચ/ચિત્રો બનાવીએ તો એ જોવાની વિદ્યાર્થીઓને ખૂબ મઝા આવે છે: ભરતભાઈ ગોપાણી વાંકાનેર : પુસ્તકોના બે પુઠ્ઠાની વચ્ચેનું શિક્ષણ દરેક શાળા આપતી…

સંસ્કૃતિ વિધાલયમાં હેલ્થ અવેરનેસ અંતર્ગત “મુજવણમાં માર્ગદર્શન” સેમિનાર યોજાયો

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર કોઠી ના સહયોગથી ચંદ્ર્પુર ગામમાં આવેલ સંસ્ક્રુતિ વિધ્યાલય ખાતે આરોગ્ય વિભાગ દ્રારા હેલ્થ અવેરનેશ હેતુથી શાળાની વિધ્યાર્થીનીઓને શારિરીક શિશણ બાબતે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ““મુજવણમાં માર્ગદર્શન” કાર્યક્રમ યોજાયો હતો. …

વાંકાનેરની કોલેજમાં 3D પ્રિન્ટર બાંધણીની બનાવટ તથા રોકેટ સાયન્સનો કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થિનીઓ દ્વારા મટીરીયલમાંથી જાતે રોકેટ બનાવી રોકેટ સાયન્સની વિસ્તૃત જાણકારી અપાઈ વાંકાનેર : આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-23ની ઉજવણીનાં ભાગરૂપે એચ એન દોશી આર્ટ્સ એન્ડ આર એન દોશી કોમર્સ કોલેજ વાંકાનેર ખાતે 3 D પ્રિન્ટર બાંધણીની…

વિદ્યાર્થી – શિક્ષક રેસિયોમા ગુજરાત છેક પંદરમા ક્રમે 

પ્રાથમિક શાળામાં દર 30 વિદ્યાર્થી પર એક અને માધ્યમિકમાં દર 35 વિદ્યાર્થીએ એક શિક્ષક હોવા જોઈએ અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સમયે ‘શિક્ષણ’ એ મુદ્દો બની ગયો હતો અને આમઆદમી પાર્ટી ‘ભીસ’ પાડી દેશે તેવા સંકેત હતા પણ પોલીટીકસ આગળ એજયુકેશન…

જામિઆ ફૈઝાને દાવલશાહ મુસ્લિમ શૈક્ષણીક ભવનને પાટીદાર અગ્રણીના હસ્તે ખુલ્લું મૂકાયું

નવનિર્મિત શૈક્ષણીક ભવનને હિન્દુ આગેવાનોના હસ્તે ખુલ્લુ મુકી હિન્દુ મુસ્લીમ એકતાનો સંદેશો પાઠવાયો આમરણ: આમરણ ખાતે હઝરત દાવલશા એજયુકેશન ટ્રસ્ટ અને સુન્ની મુસ્લીમ અને સાદાત જમાતના ઉપક્રમે સમુહશાદી મહોત્સવ હિન્દુ મુસ્લીમ આગેવાનોની હાજરીમાં સંપન્ન થયો હતો. આ તકે રૂ.૬૦ લાખના…

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ

આ યોજનામાં 25હજારથી અઢી લાખ સુધીની સ્કોલરશીપ મળે છે: અરજી કરવાની છેલ્લી તારીખ 31 January 2023 છે  MYSY Scholarship 2022-23 શું છે?  આ એક પ્રકાર ની શિષ્યવૃત્તિની યોજના છે. જેની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રીએ કરી છે. આ શિષ્યવૃત્તિ માટે એજ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.…

ક્વિઝ સ્પર્ધામાં સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની પ્રથમ

વાંકાનેરની એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ રાજ્ય સ્તરીય વિવેકાનંદ લેખિત ક્વિઝ સ્પર્ધામાં મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. 

પંચાસિયા ગામે પ્રા. શાળાના નવા બિલ્ડીંગનું લોકાર્પણ

નવી શાળાના લોકપર્ણના આયોજનના ભાગરૂપે ગામમાં ભવ્ય રેલીનું આયોજન કરાયું વાંકાનેર : વાંકાનેરના પંચાસિયા ગામે યુ.કે. નિવાસી મૂળ ભારતીય એવા દાતા કુસુમબેન મનસુખભાઈ કામદાર તેમજ તેમના પરિવારનો સહયોગ મેળવી લાઇફ સંસ્થા(રાજકોટ) દ્વારા બનાવેલ સરકારી પ્રાથમિક શાળાનું પંચાસીયા ગામ તેમજ શાળા…

ઘીયાવડ પ્રા.શાળાના નમ્રતાબા બ્લેક બેલ્ટ કરાટેની પરીક્ષામાં ઉત્તીર્ણ 

વાંકાનેર: ઘીયાવડ પ્રાથમિક શાળાના શિક્ષિકાએ ફર્સ્ટ ડિગ્રી શો ડાન બ્લેક બેલ્ટ કરાટેની પરીક્ષા ઉત્તીર્ણ કરી સમગ્ર તાલુકામાં નામ રોશન કર્યું છે.  ઘીયાવડ પ્રાથમિક શાળાના શિક્ષકા નમ્રતાબા વિરેન્દ્રસિંહ પરમાર (C.P.ed. B.A. M.A.) બ્રુસ લી માર્શલ આર્ટ્સ એકેડમી, કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ…

પીપળિયારાજની ખાનગી શાળા બંધ થતા વિદ્યાર્થીઓ પરેશાન

આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય: શિક્ષણાધિકારી મૌન વાંકાનેર : પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે આવેલી યુનિક નામની ખાનગી શાળા છેલ્લા અઢાર મહિનાથી કોઈપણ જાતની કાયદેસરની પ્રક્રિયા કર્યા વગર જ બંધ કરી દેવામાં આવતા આ શાળામાં આરટીઇ હેઠળ…

વાંકાનેર સહિત રાજકોટ, જામનગર, મોરબી, ધોરાજી કોલેજમાં નવા કોર્સની મંજૂરી મંગાશે

વાંકાનેરમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજને પ્રથમ વર્ષ બીએસસી. કોર્સની મંજુરી માટે નિર્ણય લેવાશે  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે  એકેડમિક કાઉન્સિલની બેઠક મળવાની છે. જેમાં રાજકોટ, જામનગર, ધોરાજી મોરબી વાંકાનેરમાં 25 નવા કોર્સ શરું કરવા માટે મંજૂરી માગવામાં આવશે. આ સાથે જ ચાલુ,…

મોરબી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાએ ન જતા બાળકોનો સર્વે થશે

        ધો. 1 થી 12 સુધી શિક્ષણ જ મેળવનાર, અધવચ્ચે શાળા છોડી દેનાર અને દિવ્યાંગ બાળકોની તા.01 થી તા.10 જાન્યુઆરી સુધીમાં ગણતરી કરાશે         મોરબી : મોરબી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાએ ન જતા બાળકોનો સર્વે થશે. જેમાં ધોરણ…

આવતા ગુરૂવારના વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે         આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક/ એસએસસી/ એચએચસી/…

દીકરીને મળશે એક લાખ તેતાલીસ હજાર રૂપિયા

દીકરીના તમામ દસ્તાવેજો આંગણવાડી કાર્યકરને જમા કરાવવાના રહેશે         નવા ભારતના નિર્માણમાં મહિલાઓનો સહયોગ પણ જરૂરી છે. આવી સ્થિતિમાં, સરકાર તમારી પુત્રીના શિક્ષણ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેવી જ રીતે, આ યોજના હેઠળ, સરકાર દ્વારા તમારી પુત્રીને 1 લાખ…

સરકારી યોજના  ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ મેળવવાની છેલ્લી તારીખ 10/12/2022 છે

લઘુમતીઓ માટે ટેકનિકલ અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.         ગુજરાત સરકાર દ્વારા વર્ગ પ્રી-મેટ્રિક, પોસ્ટ-મેટ્રિકના વંચિત વિદ્યાર્થીઓ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓને તેમનો ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખવા માટે ગુજરાત શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ શાળા તેમજ કોલેજ સ્તર…

મ. ભો. માં હલકી ખાદ્ય સામગ્રી સામે પગલા?

બાળકોનો કોળિયો ઝુંટનાર સંસ્થાઓ સામે સંબંધિત અધિકારીઓ પગલા કેમ લેતા નથી? વાંકાનેરઃ નામદાર સુપ્રિમ કોર્ટના આદેશથી સમગ્ર ભારતમાં અમલી બનેલી મધ્યાહન ભોજન (મ.ભો.) યોજનાનો મૂળ હેતુ વધુ બાળકો શાળાએ આવવા પ્રેરાય અને તેમને સારો પૌષ્ટીક નાસ્તો આપવામાં આવે, જેથી કુપોષણનો…

Content Copying Forbidden !!

error: Content is protected !!