કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

ઉમરાહ/ હજ માટે સાઉદી અરબે નિયમ બનાવ્યા

ઉમરાહ અને હજ માટે સાઉદી અરબ જનારા માટે ત્યાંની સરકારે નિયમ બનાવ્યા છે અને ઈન્ફલ્યુએન્ઝા રસીકરણ ફરજિયાત જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આરોગ્ય અને નિવારણ મંત્રાલયે રસીકરણ પ્રોટોકોલ અને સ્વાસ્થ્ય સાવચેતીઓનું પાલન કરવા પર પણ ભાર મૂક્યો છે.…

પરષોત્તમ રૂપાલાના બંગલે સુરક્ષા વધારાઇ

કોંગ્રેસના ઉમેદવારના નામની આજે જાહેરાતની શક્યતા વાંકાનેર: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અમીન માર્ગ પરના તેમના બંગલા પર સ્ટેટ રિઝર્વ પોલીસ (એસઆરપી)ના જવાનો અને અંગત સુરક્ષાકર્મીઓ દ્વારા પણ રક્ષિત જોઈ શકાય છે. સ્થાનિક…

રાજકોટ લોકસભાના કોંગ્રસના ઉમેદવાર વિક્રમ સોરાણી?

વાંકાનેર: રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર જાહેર થઇ ચુક્યા છે, પણ કોંગ્રસના ઉમેદવાર હજી સુધી જાહેર થયા નથી. સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ ગત ધારાસભામાં વાંકાનેર વિસ્તારમાં આપ માંથી લડેલા કોળી સમાજના વિક્રમ સોરાણી આજે કોંગ્રેસમાં પ્રવેશ કરનાર છે. આથી તે…

ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં ઉત્તીર્ણ

વાંકાનેર: તાલુકાના મુળ વાંકિયા ગામના બાદી અબ્દુલ હાજીભાઈ, જે ૩૨ વર્ષથી સુરતમાં સ્થાઈ થયા છે અને ટેકસટાઇલના બિઝનેસ સાથે જોડાયેલ છે. એમની દીકરી બાદી ઝૈનબ અબ્દુલભાઈ જે ગઇકાલ સાંજે All India Bar Examination માં સફળ થયા છે. આ બદલ તેમને…

ઢુવા સહકારી મંડળીએ દસ લાખનો વીમો ચુકવ્યો

વાંકાનેર: તાલુકાની ઢુવા જૂથ સેવા સહકારી મંડળીએ પોતાના સભાસદને વીમાની સહાય આજે ચૂકવી હતી મંડળીના મંત્રી રામદેવસિંહે એક યાદીમાં જણાવ્યું છે કે ગામ લાકડધારના મંડળીના મંડળીના સભાસદ શ્રી સ્વર્ગવાસ કરમશીભાઈ ખોડાભાઈ ડાભી, જેઓનું માર્ગ અકસ્માત થયેલ તેઓનો અકસ્માત વીમો તેમના…

સણોસરા હુમલાની પોલીસ ફરિયાદ લેતી નથી

રાજકોટ તાલુકાના સણોસરા ગામે એક ખેડૂત પર તાલુકા પંચાયતના પ્રમુખ અને તેના ભાઈ દ્વારા હુમલો કરવાની ઘટનાને દિવસો વીત્યા પછી પણ કુવાડવા પોલીસખાતું ફરિયાદ નોધતું નથી, એ મતલબની ભોગ બનનારે રાજકોટના પોલીસ કમિશ્નરને અરજી કરેલ છે. અરજીમાં સણોસરાના ઈલ્યાસ રહીમભાઈ…

કોટડાનાયાણીના વિક્રમસિંહ જાડેજાનું થશે સન્માન

વાંકાનેર તાલુકાનું ગૌરવ છે વિક્રમસિંહ જાડેજા વાંકાનેર: તાલુકાના કોટડાનાયાણીના વતની પાઘડી કલાને જીવંત રાખનાર મહાનુભાવનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ માટે મહાનુભાવને વારસો આઈડેન્ટેટી એવોર્ડ પણ આપવામાં આવશે. ટીમ અતુલ્ય વારસો દ્વારા થોડા માસ અગાઉ અતુલ્ય વારસો આઈડેન્ટેટી એવોર્ડની જાહેરાત…

રૂપાલાને ક્ષત્રિય સમાજની માફી માંગવાની ફરજ પડી

માફીમાં પણ વિધર્મીઓને વચ્ચે લાવવા માટે સોશિયલ મીડિયામાં તેમની ટીકા થઇ રહી છે વાંકાનેર: લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાના ચૂંટણી પ્રચારમાં મગ્ન છે. આ ઉપરાંત જે નેતાઓને ટિકિટ ફાળવી દેવામાં…

હોળીની જવાળા મુજબ ઓણ વરસાદ વહેલો

ઓક્ટોબર મહિનામાં પાછોતરો વરસાદ પણ ભરપૂર રહેવાની શક્યતા વાંકાનેર: વર્ષોથી હોળીની જ્વાળાઓ જોઈને આગામી ચોમાસાનું અનુમાન કરવામાં આવે છે ત્યારે ગઈ કાલે હોળી પ્રાગટય સાથે પશ્ચિમનો પવન રહેવાની સાથે જ્વાળાઓ નૈઋત્ય દિશામાં ઘુમાવ રહેતા ઓણ સાલ વરસાદ વહેલો હોવાનું અનુમાન…

દીઘલિયા શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી

વાંકાનેર: તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં તા. ૨૨ માર્ચ, ૨૦૨૪ ના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ વિશ્વ જળ દિવસ વિશે વક્તવ્ય આપ્યું હતું. શાળાના શિક્ષક સતીશકુમાર સરડવાએ જળની ઉપયોગિતા જણાવી હતી. આ ઉપરાંત…

Content Copying Forbidden !!

error: Content is protected !!