કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

ગુજરાતમાં જંત્રીના ભાવ વધારવાની કવાયત શરૂ

નવા નાણાકીય વર્ષ દરમિયાન નવી જંત્રી અમલમાં મુકાય તેવી શક્યતા  ગુજરાત સરકાર 31 માર્ચ 2011થી અમલમાં રહેલી જંત્રીના દરોમાં વધારો કરવાની દિશામાં આગળ વધી રહી છે. સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ જેનું દેવને શુક્રવારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ…

ભાજપ યુવા મોરચા દ્વારા સોમવારે રક્તદાન કેમ્પનું આયોજન 

રક્તદાન મહાદાન કહેવામાં આવે છે રક્તદાન કરીને અન્યને નવજીવન આપી સકાય છે ત્યારે સમાજ સેવાની ઉક્તિના ચરિતાર્થ કરવા વાંકાનેર ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે  ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો વાંકાનેર દ્વારા તા. ૨૩ ને સોમવારે મહા…

મોરબીમાં ખુટિયાઓનું ખસીકરણ : વાંકાનેરમાં ક્યારે? 

સરકારી યોજનાનો લાભ વાંકાનેરને પણ મળે એવું નગરજનો ઈચ્છી રહ્યા છે  રાજ્યમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ નિવારવા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે આખલાઓના ખસીકરણની રાજ્યવ્યાપી ઝુંબેશનો મોરબી યદુનંદન ગૌશાળા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.  રાજ્ય સરકાર દ્વારા જન હિતમાં અન્ય એક અગત્યનો…

વાંકાનેરથી રાજકોટ જવા માટે એસટીનું ટાઈમટેબલ 

વાંકાનેરથી રાજકોટ જવા માટે 24 કલાકમાં કુલ 47 એસટી જાય છે. જેમાંથી 45 એસટી કુવાડવા ચોકડી થઈને જાય છે. પહેલી બસ સવારના સવા પાંચ વાગે ઉપડે છે, વાંકાનેરથી રાતના આઠ પછી એકેય એસટી રાજકોટ જતી નથી.  5-15 રાજકોટ 5-30 રાજકોટ…

મેસરીયાની વાડીની ઓરડીમાં  છ જુગારી ઝડપાયા 

રાજકોટ/ જુનાગઢની જુગાર રમતી ત્રણ મહિલાનો સમાવેશ  વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ મહિલા સહિત કુલ મળીને છ જુગારીઓ ત્યાંથી મળી આવ્યા હતા જેથી કરીને…

વાંકાનેરની મનમંદિર સોસાયટીમાં  અમુબેનનો ગળેફાંસો

વાંકાનેર : વાંકાનેર શહેરના મનમંદિર સોસાયટીમાં રહેતા અમુબેન દિલીપભાઈ લામકા ઉ.28 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

મુખ્યમંત્રી કાર્યાલયનો whatsapp નંબર જાહેર કરવામાં આવ્યો

ગાંધીનગર: દરેક નાગરિક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડાઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડવા માટે whatsapp નંબર 7030930344 જાહેર કરવામાં આવ્યો છે કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ whatsapp નંબર પર અરજી કરીને ફરિયાદ કરી શકાશે. આ નિર્ણય પછી વિવિધ રજૂઆતો,અરજી, ફરિયાદ સહિતની બાબતી મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકારી મુખ્યમંત્રી કાર્યાલયના whatsappનંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે. જેનો મુખ્ય હેતુ સમસ્યાઓની સમજવાની અને સિસ્ટમને વધુ સરળ બનાવવાનો જણાવવામાં આવી રહ્યો છે. હવે નાગરિકો સાથે સીધી જ સંપર્ક સાધવા માટે કાર્યાલય દ્વારા આ whatsapp નંબર જાહેર કરાયો છે.

માટેલ વચ્ચેથી પસાર થતા ભારે વાહનો પર પ્રતિબંધ ની માંગ

માટેલગ્રામ પંચાયત દ્વારા નાયબ કલેકટરને રજૂઆત કરાઈ વાંકાનેર તાલુકાના સુપ્રસિદ્ધ માટેલ ગામમાં ગામ વચ્ચેથી પસાર થતા ભારે વાહનોની અવરજવર બંધ કરાવવાની માંગ સાથે ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કલેકટરને રજૂઆત કરી છે. શ્રી માટેલ વીરપર સંયુક્ત ગ્રામ પંચાયતના સરપંચ જયાબેન હર્ષદભાઈ…

ભાટીયા સોસાયટીમાં થયેલી ચોરીનો આરોપી જામનગરથી ઝડપાયો

થોડા સમય અગાઉ વાંકાનેરની ભાટિયા સોસાયટીના રહેણાકના એક મકાનમાં એંસી હજાર જેટલી મત્તા ચોરાયાની ફરિયાદ થઇ હતી. જામનગર જિલ્લાના રામપર ગામમાં એક વાડીમાંથી ચોરી થઈ હતી. જે અંગે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ ચલાવી રહી હતી, દરમિયાન મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરનો વતની અને હાલ જામનગર જિલ્લામાં મજૂરી કામ માટે આવેલા વૈસતિયા ભીલસિંગ ડામરા નામના પરપ્રાંતિય શખ્સની અટકાયત કરી લીધી હતી. જેની પાસેથી રોકડ રકમ મોબાઈલ ફોન ઉપરાંત સોના ચાંદીના દાગીના સહિત સવા લાખની માલમતા મળી આવી હતી, જે કબજે કરી લઈ આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ રારૂ કરી હતી. આ દરમિયાન અન્ય ત્રણ સાગરીત મધ્યપ્રદેશના વતની નારસિંગ મીનાવા, જીતનભાઇ જાલીયાભાઈ બામણીયા અને સાલુભાઇ ભીલ પણ જોડાયા હતા. જે તસ્કર ત્રિપુટી હાલ ફરાર થયેલી હોવાથી પોલીસની ટીમ તેને શોધી રહી છે. દરમિયાન વાંકાનેર હાઇવે રોડ પર સોસાયટીમાં આવેલા એક મકાનમાંથી 80,000 રૂપિયાની રોકડની ચોરી કરી હોવાની પણ કબુલાત કરી છે. જેથી મોરબી પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

23થી 29 જાન્યુ. દરમિયાન માવઠાની શક્યતા

ખેડૂતો માટે પણ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ : ગુજરાત સહિત હાલ ઉત્તરપશ્ચિમ ભારતમાં ભારે ઠંડી પડી રહી છે ત્યારે હજુ ઠંડીથી રાહત મળવાની કોઈ સંભાવના નથી, ત્યારે હવે ખેડૂતો માટે પણ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે અને કાપણીમાં થોડો જ સમય બચ્યો છે ત્યારે માવઠાની ખબરે ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે કમોસમી વરસાદ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં પણ માવઠું જોવા મળશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 23થી 29 જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. જો રાજ્યમાં કમોસમી વરસાદ થશે, તો જીરૂ સહિતના શિયાળુ પાકને મોટુ નુકસાન થઇ શકે છે. ચોમાસાના છેલ્લા ભાગમાં ભારે વરસાદને કારણે રાજ્યમાં ખેડૂતોને મોટું નુકસાન ભોગવવુ પડ્યુ હતુ ત્યારે હવે જો આ કમોસમી વરસાદ પડે તો આ વખતે પણ ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઇ શકે છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!