કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધીનો વરસાદ

ટંકારામાં 3.5 ઇંચ અને વાંકાનેરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો વાંકાનેર: જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે 27 ઓગષ્ટ રાત્રીના 10 વાગ્યાથી 28 ઓગષ્ટ સવારે 6 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદની વિગત નીચે મુજબ છે. રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા…

કેરાળામાં રેકોર્ડ બ્રેક 32 ઇંચ વરસાદ ખાબક્યો

ચંદ્રપુર અને વાંકાનેર ફળેશ્વર મંદિરમાં પતાળિયા વોંકળાના પાણી વાંકાનેર તાલુકાના કેરાળા ગામે તા 28.8.24 સવારના 8.00 વાગ્યા સુધી 32 ઇંચ વરસાદ પડેલ છે, એવું નુરમામદભાઈ બાદી જણાવે છે. છેલ્લા ઘણા વરસોથી આટલો બધો વરસાદ સતત પડયાનો આ રેકોર્ડ છે. ખેતી…

પાંચદ્વારકાના વાડી વિસ્તારમાં આરોગ્ય સ્ટાફે પ્રસુતિ કરાવી

CHO અને FHW ની સરાહનીય કામગીરી વાંકાનેર: આયુષ્માન આરોગ્ય મંદિર પાંચદ્વારકાના વાડી વિસ્તારમાં રહી મજુરી કામ કરતા ફુલબાઈ સુગરીયા પચાયા (ઉમર વર્ષ-૨૪) ને ગઈ કાલે વહેલી સવારે પ્રસુતિનો દુ:ખાવો ઉપડતા આયુષ્માન આરોગ્ય મંદિર પાંચદ્વારકાના CHO અને FHW ની મદદથી આયુષ્માન…

કાનપર સીમમાં રેસ્ક્યુ કરી ફસાયેલા મજૂરોને બચાવાયા

ખેતીની જમીન પણ ધોવાઈ વાંકાનેર: તાલુકાના કાનપર ગામે મજૂરીએ ગયેલા પરપ્રાંતીય મજુર તેમની પત્ની અને ત્રણ બાળકો સાથે બે વોંકળા વચ્ચે આવેલી વાડીએ ફસાયા હતા. જે વાડી પર તેઓ મજૂરી માટે ગયા હતા ત્યાં રહેવા જમવાની કોઈ વ્યવસ્થા નહોતી. વરસાદને…

સહાયતા માટે મોરબી જિલ્લામાં આર્મી મૂકવામાં આવી

વાંકાનેર: રાજ્યભરમાં ભારે વરસાદને પગલે રાહત બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે મોરબી સહિત અનેક જિલ્લામાં આર્મી મૂકવામાં આવી છે. અતિ ભારે વરસાદને પગલે કેન્દ્ર સરકારે ગુજરાતને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે આર્મીની 6 કોલમ ફાળવી છે. વરસાદથી વધુ અસરગ્રસ્ત મોરબી…

મહાનદીના જળ સ્તરમાં વધારો: આસોઇ નદી પુલ ધોવાયો

વાંકાનેર: મહા નદીના જળ સ્તરમાં હજી પણ વધારો થઇ રહ્યો છે. ભાયાતી જાંબુડિયાના મયૂરધ્વજસિંહ ઝાલા જણાવે છે કે કાંઠાના ગામો-વિસ્તારોના લોકોએ જાગૃત રહેવું. પાંચદ્વારકા પાસેનો આસોઇ નદીનો પુલ કે જેના પરથી પીપળિયારાજ, વાલાસણ, કોટડા, તીથવા જવાનો રસ્તો છે, તે ધોવાઈ…

મોરબી – કચ્છ હાઇવે આગામી 36 કલાક માટે બંધ કરાયો

આમરણ – જામનગર અને લતીપર-સાવડી રોડ બંધ મચ્છુ-1 છલકાઈ જતા મચ્છુ-2 ડેમના તમામ દરવાજા ખોલાયા વાંકાનેર: મોરબી – કચ્છને જોડતા હાઇવે ઉપર માળીયા મિયાણા નજીક મચ્છુ નદીના પાણી ફરી વળતા કચ્છ નેશનલ હાઇવેને સામખીયારીથી બંધ કરી દેવામાં આવ્યો છે, કચ્છ…

બપોરે 2 વાગ્યે : જિલ્લાના 10 ડેમોની સ્થિતિ જાણો

મચ્છુ 1 ડેમ 4.5 ફૂટે ઓવરફ્લો મચ્છુ 2 ડેમનાં હવે માત્ર 16 દરવાજા જ ખુલ્લા, મચ્છુ 3નાં 15 દરવાજા ખુલ્લા બપોરે 12 થી 2 વાગ્યા વચ્ચે વાંકાનેરમાં અડધો ઇંચ વાંકાનેર: મોરબી જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે…

માટેલ મંદિર દ્વારા 2000 ફૂડ પેકેટ તૈયાર કરાયા

વાંકાનેર તાલુકાના સુપ્રસિદ્ધ માટેલ મંદિર દ્વારા પૂરગ્રસ્તો માટે આજે 2000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. માટેલ ગામે આવેલ ખોડીયારમાના મંદિર દ્વારા આજે કલેકટરની સૂચના અનુસાર 2000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરાયા છે. આ ફૂડ પેકેટ કલેક્ટર તંત્રને પહોંચતા…

વરસાદથી ક્ષતિગ્રસ્ત જિલ્લાના નવ રોડ બંધ થયા

દિઘલીયા ગામથી મુખ્ય રસ્તા સુધીનો રસ્તો બંધ (૧)માળીયા એપ્રોચ રોડ (માળિયા મિ.તાલુકો)કારણ : મચ્છુ ૩ ડેમનું પાણી છોડતા નીચાણવાળા વિસ્તારનો કોઝવે ઓવર ટોપ થવાથી (2) હળવદ-વેગડવાવ-ધણાડ- રણમલપુર રોડ (હળવદ તાલુકો)ધણાદ પાસેના કોઝવેમાં પાણી ઓવર ટોપિંગ થવાથી(3) વેગડવાવ -ઇશનપુર રોડ (હળવદ…

Content Copying Forbidden !!

error: Content is protected !!