કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

201.61 લાખના ખર્ચે તાલુકાના રોડ રીપેર થશે

(૧) વાંકાનેર-અમરસર—મિતાણા રોડ (૨) વાંકાનેર-જડેશ્વર લજાઇ રોડ (૩) વાંકાનેર-કુવાડવા રોડ (૪) વાંકાનેર-પલાસ માથક રોડ (પ) વાંકાનેર-દલડી- થાન રોડ અને (૬) વાંકાનેર બાયપાસ રોડનો સમાવેશ વાંકાનેર: ઉપર મુજબના કામો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અંદાજીત રકમ રૂા. લાખમાં 201.61 ના…

26 હજાર આરોગ્ય કર્મચારીઓનો પગાર વધ્યો

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ કર્મચારીઓને ભેટ મળી છે. નેશનલ હેલ્થ મિશન હસ્તકના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. કરાર આધારિત કર્મચારીઓના પગારમાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ટેક્નિકલ અને નોનટેક્નિકલ કર્મચારીઓના પગાર આ નિર્ણય બાદ વધી જશે. 26…

લુણસર નજીક કારખાનામાં પટ્ટામાં માથું આવી જતા મોત

આરોગ્યનગરમાં થયેલ ઝઘડામાં સામી ફરિયાદ પણ થઇ છે વાંકાનેર: તાલુકાના લુણસર પાસે આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન મશીનના પટ્ટામાં માથું આવી જવાના કારણે યુવાનને ગંભીર ઇજા થવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના બોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ…

આરોગ્યનગરમાં પાંચ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ

વાંકાનેર: આરોગ્યનગરમાં રહેતા ગિરિરાજસિંહ નામના શખ્સે ઉંચા અવાજમા રાડો પાડતા અને ફરીયાદી નાઈટ સ્વીફટ કરી ઘરે સુતા હોય જેથી તેની ઉંઘમાં ખલેલ પહોચતા રાડો પાડવાની ના પાડતા પાંચ શખ્સોએ હુમલો કર્યાની અને એક શખ્સે તો તમંચા જેવા હથિયારના લાકડાનો હાથો…

દીઘલિયા શાળામાં કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરાયું

વાંકાનેર: તારીખ ૧૫/૦૩/૨૦૨૪ ના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે દીઘલિયા ગામના સરપંચ રસીદાબેન રસૂલભાઈ ખોરજીયા, એસ.એમ.સી. અધ્યક્ષ પાર્વતીબેન અલ્પેશભાઈ ઝાપડા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.…

વાડીમાંથી રૂ.૨૫૨૮૦ ની ૫૬ વિદેશી બોટલો કબ્જે

વાંકાનેર દિવાનપરા પુજાપાન સામેની શેરીમાં રહેતા એક શખ્સની નિર્મલા કોન્વેટ સ્કુલની પાછળ આવેલી વાડીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પ્લોટ્સ ખાતાએ પકડેલ છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ દિવાનપરા પુજાપાન સામેની શેરીમાં રહેતા વિશાલભાઈ રાજેશભાઈ સોલંકી જાતે-કોળી (ઉ.વ.૨૩) ની જડેશ્વર…

પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી ચપ્પુ વડે હુમલો

વાંકાનેર: તાલુકાના ખીજડીયા ગામે પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિ દ્વારા ચપ્પુ વડે હુમલો કરવાનો બનાવ પોલીસ ખાતામાં નોંધાયો છે. આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેતા દયાબેન કમલેશ ગોવિંદભાઇ ગોગીયા (ઉ.વ.૪૦) એ પોતાના પતિ પર કરેલ…

નવનિર્મિત એસ.ટી બસ સ્ટેશનનું લોકાપર્ણ

વાંકાનેરમાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 422.76 લાખના ખર્ચે આત્યાધુનિક અને સુવિધાસભર એસ.ટી બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવેલ છે જેનું આજે સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણમાં વાંકાનેર શહેર,તાલુકાના આગેવાનો, લોકો અને એસ.ટી…

લેબર ક્વાર્ટરમાં દાઝેલ પાંચ પૈકી કુલ ત્રણના મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ક્રેવીટા સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં ગત તા. ૯/૩ ના રોજ સવારે સાત વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી અને જે ઘટનામાં બે સગા ભાઈ સહિત કુલ મળીને પાંચ વ્યક્તિઓ દાજી ગયા હતા જેથી…

સિંધાવદરના માલધારી અગ્રણીનું હાર્ટ એટેકથી અવસાન

વાંકાનેર તાલુકા ભાજપના મહામંત્રી, માલધારી સમાજના અગ્રણી તેમજ ગોપાલક સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ હીરાભાઈ નોંઘાભાઈ બાંભવાનું હાર્ટ એટેકના કારણે અવસાન થયેલ છે. સેવા કાર્યો થકી સમાજમાં સુવાસ પ્રસરાવી લોકચાહના મેળવનારનાં અવસાનથી કદી ન પૂરાય તેવી સમાજને ખોટ પડી છે. જન્મ…

Content Copying Forbidden !!

error: Content is protected !!