કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વાંકાનેરના પાંચ ટંકારા તાલુકાના ત્રણ રોડ બંધ

વાંકાનેર: પડેલા ભારે વરસાદને કારણે વાંકાનેર તાલુકાના હજુ પણ રોડ બંધ છે. જેને લીધે જિલ્લાના અનેક રૂટ ઉપર વાહન વ્યવહારને અસર પહોંચી છે. બીજી તરફ આ બંધ રોડ શરૂ કરવા તંત્ર દ્વારા પણ મથામણ કરવામાં આવી રહી છે. માર્ગ અને…

ગઢની રાંગ જર્જરિત: સ્થાનિકો ઉપર જોખમ

વાંકાનેર: અહીં જુનવાણી ગઢની રાંગની પૂર સરંક્ષક દીવાલ જર્જરિત હાલતમાં ઉભી છે, જે મચ્છુ નદીના પાણીને રોકે છે, દીવાલની એકદમ સમાંતર હજારો લોકોની વસાહત હોવા છતાં તંત્ર આ મામલે ગંભીર નથી. કોઈ દુર્ઘટના સર્જાઈ તે પૂર્વે તંત્ર દ્વારા તાત્કાલીક કાર્યવાહી…

વેલનાથપરા ચોકમાં જુગાર રમતા છ જણા પકડાયા

વર્લીફીચરના આંકડા સબબ બે પકડાયા છરી સાથે અને પીધેલ હાલતમાં સર્પાકાર રીતે બાઈક ચલાવતા પકડાયા વાંકાનેર: વેલનાથપરા ચોકમાં જાહેરમાં ગેરકાયદેસર જુગાર રમતા છ જણા પકડાયા છે, જેમાં એક રાજકોટનો શખ્સ પણ છે… મળેલ માહિતી મુજબ વાંકાનેર વેલનાથપરા ચોકમાં જાહેરમાં ગેરકાયદેસર…

વાંકાનેર મા. યાર્ડ શુક્ર, શનિ અને રવિ બંધ રહેશે

વાંકાનેર: વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ચૌધરીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે વરસાદની આગાહી હોવાના કારણે આગામી શુક્ર, શનિ અને રવિવારે માર્કેટિંગ યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે. જ્યારે તારીખ 2/9/2024 ને સોમવારથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે. જેમની વેપારીભાઈઓ, દલાલભાઈઓ…

ભારે વરસાદને કારણે રફાળેશ્વરનો મેળો રદ

તરણેતર અને રફાળેશ્વર સંબંધિત પંચાયતે ઠરાવ કર્યો વાંકાનેર: ભારે વરસાદને કારણે સાતમ – આઠમના મેળા રદ થયા બાદ મોરબીના પ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિરે યોજાતો લોકમેળો પણ બંધ રાખવામાં આવશે તેવી સતાવાર જાહેરાત અયોજક જાંબુડિયા ગ્રામ દ્વારા કરવામાં આવી છે ઉપરાંત…

જીલ્લામાં વરસાદથી ખેડૂતોના પાક નુકસાનીનો સર્વે

આગામી બે દિવસમાં શરૂ કરવામાં આવશેઃ પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા સર્વે વખતે ખેડૂતો સજાગ રહે મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે જેથી કરીને ખેડૂતોના ખેતરોની અંદર જે પાકની વાવેતર કરવામાં આવ્યુ છે તેમાં વરસાદી પાણી ભરાઈ…

લુણસરમાં ઝેરી જનાવર કરડતા નિંદ્રાધીનનું મોત

સગીરા ઘરની અંદર પથારીમાં સૂતી હતી વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતી સગીરા પોતે પોતાના ઘરની અંદર પથારીમાં સૂતી હતી ત્યારે કોઈ ઝેરી જનાવર તેને કરડી જતા ઝેરી અસર થવાથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે…

શિવાજી પાર્ક સોસાયટીની સમસ્યાનો કાયમી ઉકેલ જરૂરી

વાંકાનેર: અહીં રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલી શિવાજી પાર્ક સોસાયટીના રહીશો માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે સમગ્ર સોસાયટીમાં પાણી ભરાય છે અને મોટાભાગના ઘરોમાં અથવા તો ઘરના ફળીયામાં પાણી ઘૂસી જાય છે તંત્રને રજૂઆત કરી પણ તંત્રે ધ્યાન ન આપ્યું,…

આસોઇ નદી પર ઊંચો પુલ બનાવવા રજુઆત

જિલ્લા પંચાયતના સદસ્ય હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદીની માંગ અગાઉ પણ રજુઆત કરેલી વાંકાનેર: છેલ્લા ચાર દિવસથી વાંકાનેર વિસ્તારમાં પડતા અતિભારે વરસાદના કારણે વાંકાનેર-મીતાણા મેઇન રોડ પર તિથવા ગામના બોર્ડ પાસે આસોઇ નદી પર ઘોડાપૂર આવતા કોઝવે તૂટી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે…

દલડીમાં ડોક્ટર અને સ્ટાફ દ્વારા સફળ પ્રસૂતિ કરાઈ

વાંકાનેર: આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને મોરબી જિલ્લા સી. ડી.એચ.ઓ સાહેબના માર્ગદર્શન હેથળ દલડી પ્રા.આ. કેન્દ્રમાં ચાલુ વરસાદી સીઝનમાં કયાંય જઈ શકાય ન હોય અને હાલની વરસાદી કપરી પરિસ્થિતિમાં ગામ કાશીપરના લાભાર્થીની પ્રસૂતિ દલડી પીએચસીના ડો. સાહીના અન્સારી…

Content Copying Forbidden !!

error: Content is protected !!