મૈત્રી કરાર કર્યા
માટેલ મંદિર નજીક પડી જતા માથામાં ઇજા
વાંકાનેર: મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા અશોકભાઇ રાઠોડ કોળી (ઉ.વ. 45)એ જાહેર કર્યું હતું કે ગત તા.17-6-2026 ના તેઓની દિકરી જાન્વી અશોકભાઇ ઘરેથી કોઇને કહ્યા વગર ગુમ થઇ ગયેલ છે જે અંગે 



મોરબી તાલુકા પોલીસે ગુમશુધા નોંધ દાખલ કરી હતી. જેની તપાસ સ્ટાફના એમ.પી. ઝાલા ચલાવી રહ્યા હોય તેઓના જણાવ્યા મુજબ ગુમ થયેલ જાન્વી વાંકાનેરના નિલેશ ટીડાળી (કોળી) સાથે મૈત્રી કરાર કર્યા છે અને તેની સાથે રહેવા માંગે છે.
માટેલ મંદિર નજીક પડી જતા માથામાં ઇજા
પ્રાથમિક મળેલ માહિતી મુજબ ભરૂચ જિલ્લાના રહેવાસી ગુલાબ અમરશીભાઈ વસાવા (ઉ.37) નામનો યુવાન માટેલ મંદિર નજીક પડી ગયો હતો જેથી તેને માથાના ભાગ ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી…

