કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

આ વર્ષે જડેશ્વર ખાતે ત્રણ દિવસનો મેળો યોજાશે

આ વર્ષે જડેશ્વર ખાતે ત્રણ દિવસનો મેળો યોજાશે

આવતો શનિવાર પહેલો દિવસ

વાંકાનેર નજીક રતન ટેકરી પર આવેલા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે 22 થી 24 ઓગસ્ટ દરમિયાન ત્રિદિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે યોજાતો આ મેળો સૌરાષ્ટ્રનો પ્રથમ સાંસ્કૃતિક મેળો ગણાય છે. 24 ઓગસ્ટના રોજ મહાદેવનો પ્રાગટ્ય દિવસ છે, જેની ઉજવણીના ભાગરૂપે આ મેળો યોજાશે.

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કિડ્સ પેલેસ- રાજકોટ તરફથી શુભેચ્છા

પ્રાગટ્ય દિવસે મંદિર પરિસરમાંથી શોભાયાત્રા કાઢવામાં આવશે. ત્યારબાદ મંદિરના મહંત તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા મેળાને ખુલ્લો મુકવામાં આવશે. અગાઉ આ મેળો બે દિવસનો હતો, પરંતુ દૂર દૂરથી આવતા દર્શનાર્થીઓ અને મુલાકાતીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ વર્ષથી તેને ત્રિદિવસીય કરવામાં આવ્યો છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!