કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ગારીડા નાની સિંચાઇના તળાવનો પાઇપ લીકેજ થયો

મહીકા અને ગારીડાના ખેડૂતોને નુકશાનીની ભીતિ વાંકાનેર: તાલુકાના ગારીડા ગામની નાની સિંચાઈ યોજનાનો પાઇપ રાત્રે પોણા ત્રણ વાગે લીકેજ થવો શરુ થયો છે. ગારીડાના માથકીયા જાફરભાઈ અબ્દુલભાઈએ ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું છે કે આ પાણી મેંદીયા વોંકળામાંથી મચ્છુ નદીમાં જાય…

જિલ્લામાં ખેતીવાડીમાં થયેલ નુકશાન અંગે સર્વે શરૂ

તમારા ગામના સર્વે ટીમના સભ્યનું નામ અને મોબાઇલ નંબર જાણો વાંકાનેર: મોરબી જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી વરસેલા ભારે વરસાદને કારણે ખેતીની જમીનને વ્યાપક નુકશાન થવાની સાથે કપાસ અને મગફળી સહિતના ખરીફ પાકોમાં પણ વ્યાપક નુકશાન થઇ હોવાથી જિલ્લા ખેતીવાડી…

જુગાર રમવાના કેસમાં કેટલી સજા થાય?

24 કલાકમાં પોલીસ સ્ટેશનથી જ જામીન મળી શકે છે પૈસા વગર રમતા હોય તો પણ એ જુગાર તરીકે ગણી શકાય છે વાંકાનેર: અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. અવારનવાર છાપામાં જુગાર રમવા અંગેના ગુનાઓ વિશે સમાચાર આવે છે. જુગાર રમવાના…

બોકળથંભા અને માટેલમાં જુગાર રમતા કુલ નવ પકડાયા

ચંદ્રપુર નાળા પાસેથી ઈંગ્લીશ દારૂ પકડાયો: નશો કરી મોટર સાયકલ ચલાવતા વાંકાનેર: તાલુકાના બોકળથંભા રામાપીરના મંદીર પાસે કુલ પાંચ અને શીતળાધાર માટેલ ગામેથી ચાર જણા એમ કુલ નવ ને જાહેરમાં જુગાર રમતા પોલીસ ખાતાએ પકડેલ છે…વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ…

તીથવા સીમમાંથી અંદાજે 15 હજારની ચોરી

વાંકાનેર: તાલુકાના તીથવા ગામથી ટોળના સીમાડે આવેલ દેણિયા વિસ્તારમાં વરસાદી માહોલમાં ચાર ખેડૂતોની વાડીએ ઓરડીનો નકુચો તોડી નાની- મોટી વસ્તુઓની અંદાજે 15 હજારની ચોરી થઈ છે. પ્રાથમિક અહેવાલ મુજબ તીથવાના ખોરજીયા ઇસ્માઇલ ઇબ્રાહિમે આપેલ માહિતી પ્રમાણે આ અંગેની પોલીસ ફરિયાદ…

પાણીજન્ય/ વાહકજન્ય રોગચાળા અટકાયતી કામગીરી શરુ

વાંકાનેર: તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે વાંકાનેરના તાલુકા હેલ્થ ઓફીસર ડો.એમ.એ. શેરસીયા તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝરની સુચનાથી વાંકાનેર તાલુકાના ૧૦૨ ગામોમાં ૧૩૪ ટીંમ બનાવી કલોરીનેશન, ડસ્ટીંગ અને એન્ટીલાર્વલ કામગીરી કરાવવામાં આવેલ તેમજ…

વાંકાનેરના પાંચ ટંકારા તાલુકાના ત્રણ રોડ બંધ

વાંકાનેર: પડેલા ભારે વરસાદને કારણે વાંકાનેર તાલુકાના હજુ પણ રોડ બંધ છે. જેને લીધે જિલ્લાના અનેક રૂટ ઉપર વાહન વ્યવહારને અસર પહોંચી છે. બીજી તરફ આ બંધ રોડ શરૂ કરવા તંત્ર દ્વારા પણ મથામણ કરવામાં આવી રહી છે. માર્ગ અને…

ગઢની રાંગ જર્જરિત: સ્થાનિકો ઉપર જોખમ

વાંકાનેર: અહીં જુનવાણી ગઢની રાંગની પૂર સરંક્ષક દીવાલ જર્જરિત હાલતમાં ઉભી છે, જે મચ્છુ નદીના પાણીને રોકે છે, દીવાલની એકદમ સમાંતર હજારો લોકોની વસાહત હોવા છતાં તંત્ર આ મામલે ગંભીર નથી. કોઈ દુર્ઘટના સર્જાઈ તે પૂર્વે તંત્ર દ્વારા તાત્કાલીક કાર્યવાહી…

વેલનાથપરા ચોકમાં જુગાર રમતા છ જણા પકડાયા

વર્લીફીચરના આંકડા સબબ બે પકડાયા છરી સાથે અને પીધેલ હાલતમાં સર્પાકાર રીતે બાઈક ચલાવતા પકડાયા વાંકાનેર: વેલનાથપરા ચોકમાં જાહેરમાં ગેરકાયદેસર જુગાર રમતા છ જણા પકડાયા છે, જેમાં એક રાજકોટનો શખ્સ પણ છે… મળેલ માહિતી મુજબ વાંકાનેર વેલનાથપરા ચોકમાં જાહેરમાં ગેરકાયદેસર…

વાંકાનેર મા. યાર્ડ શુક્ર, શનિ અને રવિ બંધ રહેશે

વાંકાનેર: વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ચૌધરીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે વરસાદની આગાહી હોવાના કારણે આગામી શુક્ર, શનિ અને રવિવારે માર્કેટિંગ યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે. જ્યારે તારીખ 2/9/2024 ને સોમવારથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે. જેમની વેપારીભાઈઓ, દલાલભાઈઓ…

Content Copying Forbidden !!

error: Content is protected !!