કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વાંકાનેર મા. યાર્ડ શુક્ર, શનિ અને રવિ બંધ રહેશે

વાંકાનેર: વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ચૌધરીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે વરસાદની આગાહી હોવાના કારણે આગામી શુક્ર, શનિ અને રવિવારે માર્કેટિંગ યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે. જ્યારે તારીખ 2/9/2024 ને સોમવારથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે. જેમની વેપારીભાઈઓ, દલાલભાઈઓ…

ભારે વરસાદને કારણે રફાળેશ્વરનો મેળો રદ

તરણેતર અને રફાળેશ્વર સંબંધિત પંચાયતે ઠરાવ કર્યો વાંકાનેર: ભારે વરસાદને કારણે સાતમ – આઠમના મેળા રદ થયા બાદ મોરબીના પ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિરે યોજાતો લોકમેળો પણ બંધ રાખવામાં આવશે તેવી સતાવાર જાહેરાત અયોજક જાંબુડિયા ગ્રામ દ્વારા કરવામાં આવી છે ઉપરાંત…

જીલ્લામાં વરસાદથી ખેડૂતોના પાક નુકસાનીનો સર્વે

આગામી બે દિવસમાં શરૂ કરવામાં આવશેઃ પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા સર્વે વખતે ખેડૂતો સજાગ રહે મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે જેથી કરીને ખેડૂતોના ખેતરોની અંદર જે પાકની વાવેતર કરવામાં આવ્યુ છે તેમાં વરસાદી પાણી ભરાઈ…

લુણસરમાં ઝેરી જનાવર કરડતા નિંદ્રાધીનનું મોત

સગીરા ઘરની અંદર પથારીમાં સૂતી હતી વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતી સગીરા પોતે પોતાના ઘરની અંદર પથારીમાં સૂતી હતી ત્યારે કોઈ ઝેરી જનાવર તેને કરડી જતા ઝેરી અસર થવાથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે…

શિવાજી પાર્ક સોસાયટીની સમસ્યાનો કાયમી ઉકેલ જરૂરી

વાંકાનેર: અહીં રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલી શિવાજી પાર્ક સોસાયટીના રહીશો માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે સમગ્ર સોસાયટીમાં પાણી ભરાય છે અને મોટાભાગના ઘરોમાં અથવા તો ઘરના ફળીયામાં પાણી ઘૂસી જાય છે તંત્રને રજૂઆત કરી પણ તંત્રે ધ્યાન ન આપ્યું,…

આસોઇ નદી પર ઊંચો પુલ બનાવવા રજુઆત

જિલ્લા પંચાયતના સદસ્ય હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદીની માંગ અગાઉ પણ રજુઆત કરેલી વાંકાનેર: છેલ્લા ચાર દિવસથી વાંકાનેર વિસ્તારમાં પડતા અતિભારે વરસાદના કારણે વાંકાનેર-મીતાણા મેઇન રોડ પર તિથવા ગામના બોર્ડ પાસે આસોઇ નદી પર ઘોડાપૂર આવતા કોઝવે તૂટી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે…

દલડીમાં ડોક્ટર અને સ્ટાફ દ્વારા સફળ પ્રસૂતિ કરાઈ

વાંકાનેર: આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને મોરબી જિલ્લા સી. ડી.એચ.ઓ સાહેબના માર્ગદર્શન હેથળ દલડી પ્રા.આ. કેન્દ્રમાં ચાલુ વરસાદી સીઝનમાં કયાંય જઈ શકાય ન હોય અને હાલની વરસાદી કપરી પરિસ્થિતિમાં ગામ કાશીપરના લાભાર્થીની પ્રસૂતિ દલડી પીએચસીના ડો. સાહીના અન્સારી…

મેઘતાંડવના કારણે ટ્રેનોના રૂટમાં ફેરફાર

વડોદરામાં ભારે વરસાદને પગલે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થઈ છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, વાંકાનેર માટે અસરગ્રસ્ત ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે: શોર્ટ ઓરિજિનેટેડ…

ઠીકરીયાળા નાલુ તૂટ્યું: જાત મહેનત ઝિંદાબાદ

અધિકારીઓ કે નેતાઓ કોઈ ફોન ઉપાડતા નથી વાંકાનેર: તાલુકાના છેવાડાનુ ઠીકરીયાળા ગામની નદીનું નાલુ ભારે વરસાદને પગલે તૂટી ગયું હતું. નાલુ તૂટી પડતા ગ્રામજનોએ જાત મહેનતે જેસીબી બોલાવી ક્વાયત હાથ ધરી હતી. આ અંગે ગ્રામજનોનું કહેવું છે કે નાલુ તૂટી…

ચેકડેમના પાણી ફરી વળતા પંચાસીયાનો સંપર્ક તૂટ્યો

પંચાસીયાથી મોરબી તરફનો રસ્તો બંધ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામથી રાણેકપર અને વાંકિયાને જોડતા માર્ગ ઉપર મચ્છુ નદી ઉપરના ચેકડેમમાં ધસમસતા પ્રવાહોને કારણે હાલમાં પંચાસીયા ગામથી અવરજવર બંધ થઇ હોવાનું સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે. ખાસ કરીને વાંકાનેરના પંચાસીયાથી રાણેકપર અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!