કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

સિંધાવદરના માલધારી અગ્રણીનું હાર્ટ એટેકથી અવસાન

વાંકાનેર તાલુકા ભાજપના મહામંત્રી, માલધારી સમાજના અગ્રણી તેમજ ગોપાલક સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ હીરાભાઈ નોંઘાભાઈ બાંભવાનું હાર્ટ એટેકના કારણે અવસાન થયેલ છે. સેવા કાર્યો થકી સમાજમાં સુવાસ પ્રસરાવી લોકચાહના મેળવનારનાં અવસાનથી કદી ન પૂરાય તેવી સમાજને ખોટ પડી છે. જન્મ…

વાંકાનેરમાં ત્રણ ટ્રેનોને મળ્યા સ્ટોપેજ

ગેસ લીકેજથી દાઝેલા શ્રમિકનું મૃત્યુ: પોલીસ સ્ટેશનેથી વાંકાનેર : રેલવે સ્ટેશનમાં ત્રણ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યા છે. જેમાં હવેથી ટ્રેન નં.12905 પોરબંદર – શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ, ટ્રેન નં.22905 ઓખા શાલીમાર શપર ફાસ્ટ એક્સપ્રેસ અને 12949 પોરબંદર સાંત્રાગાંચી કવીગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ…

બાગાયતની યોજનાઓઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૪-૨૫ માટે જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓના લાભ લેવા I-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ સહાય હેઠળ વિવિધ યોજનાઓ જેવી કે પ્લાસ્ટીક મલ્ચીંગ, છુટા ફુલો, ટીસ્યુ કેળ, પપૈયા, ફળપાક વાવેતર, ટીસ્યુકલ્ચર ખારેક, કમલમ વાવેતર,…

પંચાસરના સસ્તા અનાજના વિક્રેતાને દંડ

મામલતદારના ચેકિંગમાં ઘઉં, ચોખા અને ખાંડના જથ્થામાં ઘટ આવતા કલેકટરે ફટકાર્યો રૂ.1.61 લાખનો દંડ વાંકાનેર તાલુકાના પંચાસર ગામે મામલતદાર દ્વારા સસ્તા અનાજના વિક્રેતાને ત્યાં દરોડો પાડી ગેરરીતિ સબબ તપાસણી કરવામાં આવતા સસ્તા અંજના વિક્રેતાને ત્યાંથી હાજર સ્ટોક અને હિસાબી સાહિત્ય…

પેપર મિલમાં ઉંચાઈએથી પડી જતા શ્રમિકનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ એક શખ્સનું પેપર મિલમાં ઉંચાઈએથી પડી જતા મૃત્યુ થયાનો બનાવ બન્યો છે. વાંકાનેરના માટેલ રોડ ઉપર જાણવા મળ્યા મુજબ રહેતા મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી આસ મોહમદ શૈાકીન સૈફી ઉ.25 નામનો યુવાન ગઈકાલે પેપર મીલમા…

પત્નીના ઠપકે એસીડ પી જનારનું સારવારમાં મોત

ધમલપરની ઘટના: મૃતક વધુ પડતી ઉંઘની દવા પીતો હોય, પત્નીએ ના પાડતા ઝઘડો થયેલો વાંકાનેરના ધમલપર-2 ગામે રહેતા વિજય દાનજી માનસુરીયા (ઉ.વ.35)એ તા.27/2ના રોજ એસીડની પી લીધું હતું. તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. અહીં સારવારમાં તેમણે…

વર્લી-ફીચરના આંકડા રમતા બે શખ્સ ઝડપાયા

ઢુવા નજીક ટ્રેન હડફેટે રાજસ્થાની યુવાનનું મૃત્યુ વાંકાનેર: મિલ પ્લોટ રેલ્વે સ્ટેશન રોડ પર સરકારી વસાહત પાસે વર્લી-ફીચરના આંકડાનો જુગાર રમતા- રમાડતા બે શખ્સને એલ.સી.બી.એ પકડી પડેલ છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. ભરતભાઈ ધેલાભાઈ જીલરીયા તથા…

કોઠારીયાનો શખ્સ બોલેરો ગાડીના હડફેટે: ઇજા

વાંકાનેર: મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે બોલેરો ગાડીના ચાલકે બે વ્યક્તિઓને હડફેટે લીધા હતા… જેથી કરીને જાદવજીભાઈ પોપટભાઈ ઉભડિયા (૬૫) રહે જડેશ્વર કોઠારીયા વાંકાનેર અને કમલસિંગ રઘુવરદયાલ ભીલચંદવા (૪૩) રહે માર્કેટયાર્ડ મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને…

મર્હુમ ખુરશીદહૈદર ઉર્ફે મીરસાહેબનું પેઢીનામું

પીર મશાયખ (રહે.) થી પહેલાનું પેઢીનામું તથા નિચે આપેલ નોંધ ૧ અને ર અમોએ ‘પીર મશાયખ (રહ.)નો મઝહબ‘ નામની પુસ્તિકામાંથી સાભાર લીધેલ છે. પીર મશાયખ (રહે.) થી પછીનું પેઢીનામું તથા નિચે આપેલ નોંધ ૩ થી ૬ અમોએ પીર વિઝારતહુસૈન વલ્દ…

મીર સાહેબની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ મંગળવારના

વાંકાનેર: મોમીન મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને વાંકાનેરના પુર્વ ધારાસભ્ય શ્રી ખુરશીદ હૈદર એ. પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું તા. 9/3/2024 શનિવારની સાંજે દુઃખદ અવસાન થયું છે. તા. 12/3/2024 મંગળવારના રોજ સર્વ સમાજ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ છે. એક પણ સમાચાર નહીં…

Content Copying Forbidden !!

error: Content is protected !!