વાંકાનેર: અહીંના માટેલ રોડ ઉપર આવેલ કારખાનાના ટ્રક પાર્કિંગમાં એક ડ્રાઇવર ટ્રક ખાલી કરવા માટે કારખાનામાં ગયો હતો જ્યાં યુવાનને હાર્ટ એટેક આવી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું



જાણવા મળ્યા મુજબ વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ બેંજો સિરામિક કારખાનાના ટ્રક પાર્કિંગમાં મૂળ રાજસ્થાનના રહેવાસી ટ્રક ડ્રાઇવર વિજેન્દ્રસિંહ જ્ઞાનસિંહ રાજપુત (ઉ.32) નામનો યુવાન ટ્રક ખાલી કરવા માટે કારખાનામાં ગયો હતો જ્યાં કોઈ કારણોસર યુવાનને હાર્ટ એટેક આવી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

