કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

રાતીદેવરી કારખાનામાં સાપ કરડતા બાળકનું મોત

વાંકાનેર: રાતીદેવરી ગામની સીમમાં આવેલ કારખાનામાં સાડા ત્રણ વર્ષના પુત્રને સાપ કરડી જતાં મૃત્યુ નીપજ્યું છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેર નજીક આવેલા તાલુકાના રાતીદેવરી ગામની સીમમાં આવેલ અરમાનભાઈ કડીવારના જેબીએસ રિફ્રેક્ટરી કારખાનામાં રહી કામ કરતાં મધ્યપ્રદેશના વતની રાહુલભાઇ મંગલસીંગ…

વાંકાનેર, ટંકારા પોલીસ સ્ટેશનમાં પીઆઇ મુકાશે

વાંકાનેર અને ટંકારાના નાના-મોટા સમાચાર વાંકાનેર અને ટંકારા પોલીસ સ્ટેશનમાં જ્યાં હાલ પીએસઆઈ સુકાન સંભાળી રહ્યા છે ત્યાં હવે પીઆઇ મુકાશે. આ માટે ગૃહ વિભાગે જરૂરી કાર્યવાહી સાથે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં…

કાગદળી ગામે કોઝ – વેમાં તણાતા યુવકનું મોત

રાજકોટ: કાગદળી ગામે રહેતો ખેતમજૂર યુવક ગઈ કાલે કાગદળીના કોઝવેમાં તણાય જતાં મોત નિપજ્યું હતું. યુવક તેના સબંધીને ત્યાં ગયો હતો. અને ગઈ કાલ રાત્રિના કાગદળી ગામે પરત આવતો હતો ત્યારે કાળ આંબી ગયો હતો. બનાવની વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના…

પાજની વાડીએ ચાલીને પહોંચીને પ્રસુતાને ડિલિવરી કરાવી

વાંકાનેર તાલુકાનાં પાજ ગામના વાડી વિસ્તારમાં સગર્ભા મહિલાને અડધી રાતે પ્રસુતિની પીડા ઉપડી હતી, જેથી ૧૦૮ની ટીમને બોલાવવામાં આવી હતી. રસ્તો જોખમી અને કાદવ કીચડવાળો હોવાથી વાડીમાં એમ્બ્યુલન્સ જઈ શકે તેમ ન હતી જેથી ૧૦૮ ના સ્ટાફે વાડીમાં જ મહિલાની…

વિજ પ્રશ્નો નહીં ઉકેલાય તો જલદ આંદોલનની ચિમકી

વાંકાનેર શહેર અને તાલુકાના નાગરિકો તથા ખેડૂતોને પીજીવીસીએલ તરફથી પડતી હાલાકી તેમજ વિવિધ વિજ પ્રશ્નો બાબતે વાંકાનેર કોંગ્રેસ ટીમ દ્વારા પીજીવીસીએલની વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરી આ તમામ સમસ્યાઓનો તાત્કાલિક નિકાલ નહીં કરાય તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી…

વાંકાનેર તાલુકાના ત્રણ રસ્તા માટે 89 કરોડ ખર્ચાશે

મેસરીયા-અદેપર-વિનયગઢ રોડનો પણ સમાવેશ ગુજરાત – સૌરાષ્ટ્રમાં માળખાકીય વિકાસ સાથે રોડ નેટવર્ક મજબૂત કરવાના પ્રયાસો થઈ જ રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વાંકાનેર તાલુકાના નીચેના ત્રણ કામો પાછળ થનાર 89 કરોડના કામોને મંજુરી આપી છે. (1) થાનગઢ-મોરથાળા-કાછીયાગાળા રોડ માટે…

વાંકાનેરના બે માનવોનુ એવોર્ડ અર્પણ કરી સન્માન

નકલંકધામ હડમતિયા ગુર પુર્ણીમા મહોત્સવ દરમિયાન જીવણ સ્વામી એવોર્ડ અને પ્રેમદાસ એવોર્ડ અર્પણ વાંકાનેરનુ વિરલ વ્યક્તિત્વ અને મહામુલુ રતન એટલે મનજીભાઈ ગોવિંદભાઈ ધરોડીયા. લોકલાડીલુ નામ મનજીભાઈ માસ્તર એમણે વાંકાનેરની પ્રગતીમા સિંહ ફાળો આપ્યો છે. પ્રજાપતિ સમાજ માટે એમણે ખુબ ઉમદા…

મેસરીયા મંડળી: ડખ્ખામાં બીજી ફરિયાદ લખાઈ

વાંકાનેર: મેસરીયાના દેવકુભાઇ જગુભાઇ ધાધલ (ઉ.વ.૪૪) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે મેસરીયા જુથ સેવા સહકારી મંડળીના ચુંટાયેલ સભ્યોની પ્રમુખ તથા ઉપ-પ્રમુખની વરણી થવાની હોય પોતે પ્રમુખ પદનો ઉમેદવાર હોય તેમજ સામા પક્ષે ધીરૂભાઈ વશરામભાઈ રાઠોડ પ્રમુખ થવાના હોય અને બંન્ને…

માટેલ ગામની સીમમાં અજાણ્યા પુરુષનું મોત

ઓળખ મેળવવા તજવીજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન અકસ્માત મોત નંબર-૪૧/૨૦૨૪ બી.એન.એસ.એસ. ની કલમ-૧૯૪ મુજબનો બનાવ ગઇ તા.૨૨/૦૭/૨૦૨૪ ના કલાક-૧૩/૩૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમા આવેલ માટેલ-૨, ૬૬ કે.વી. પાવર હાઉસ સામે ખરાબામા એક અજાણ્યો પુરૂષ ઉ.વ.આશરે…

મેસરીયા મંડળી: ડખ્ખામાં પહેલી ફરિયાદ લખાઈ

વાંકાનેર: તાલુકાભરમાં સહકારી ક્ષેત્રે ચર્ચા જગાવનાર મેસરીયા મંડળીના પ્રમુખની ચૂંટણીમાં થયેલ ડખ્ખામાં સામસામી ફરિયાદો થઇ છે, જેમાં પહેલી ફરિયાદમાં મેસરીયાના અશ્વીનભાઈ ધીરુભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) એ લખાવેલ છે કે તા-૨૨/૦૭/૨૦૨૪ ના મેસરીયા જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ તથા ઉપ-પ્રમુખની વરણી થવાની…

Content Copying Forbidden !!

error: Content is protected !!