કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

હોટલનું ‘પથિક’ સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવી લેજો

નહીં તો દંડાશો છરી સાથે પકડાયા વાંકાનેર: મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરીયાઈ માર્ગથી કોલસા તથા મીઠાની મોટા પાયે આયાત તથા નિકાસ થાય છે. તેમજ મોરબી જિલ્લો ઔધોગિક દ્રષ્ટીએ ખુબજ મહત્વનો છે. જેમાં દેશ વિદેશથી મોટા પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ ખરીદી માટે…

એસ.ટી. ડેપો ખાતે ઓટોમેટિક ક્લિનીંગ મૂકાયું

વાંકાનેર: અહીંના એસ.ટી. ડેપો ખાતે એસ.ટી. બસની માત્ર પંદર મિનિટમાં ઝડપથી સફાઈ કરી સ્વચ્છ રાખી શકાય તે માટે ઓટોમેટિક ક્લિનીંગ તથા વોશિંગ મશીન મુકવામાં આવ્યું છે, જેને એટીએસ મશીન મેનેજર સંજયભાઈ અને તેમની ટીમ દ્વારા એસટી કર્મચારી મંડળના પ્રમુખ જયુભા…

ટંકારા પાલિકાની વોર્ડની રચના અંગેનો પ્રાથમિક આદેશ રદ

ગાંધીનગર: રાજ્ય ચુંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ટંકારા નગરપાલિકાના વોર્ડના સીમાંકન, અનામત બેઠકોની ફાળવણીના તા. ૧૩-૧૧ ના રોજ પ્રાથમિક આદેશને રદ કરતો હુકમ કરવામાં આવ્યો છે… ટંકારા નગરપાલિકાની રચના સરકારના શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના તા. ૧૩-૦૩૦૨૦૨૪…

UPSC પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

વાંકાનેર: તા. ૧૯/૧૧/૨૦૨૪, મંગળવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે યુ.પી.એસ.સી. પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ. પ્રજાપતિ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીસાહેબશ્રી દ્વારા યુ.પી.એસ.સી. શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓ તથા…

સિંધાવદર પાસેનો જર્જરિત બ્રિજ રીપેર ક્યારે થશે?

શુક્રવારે ઔદ્યોગિક ભરતીમેળો વાંકાનેર: સિંધાવદર પાસે જર્જરિત બ્રિજના સમારકામમાં વિલંબથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે. જે બ્રિજ ઉપરથી ડાયવર્ઝન અપાયું ત્યાં સતત ટ્રાફિક રહે છે. જેથી જર્જરીત બ્રિજનું રિપેરીંગ કામ વહેલાસર શરૂ થાય તેવી લોકમાંગ ઉઠી છે. વાંકાનેરના સિંધાવદર પાસે…

કાલે જામનગર-વડોદરા એક્સપ્રેસ ટ્રેન રદ

રાજકોટ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના વટવા-ગેરતપુર સેક્શનમાં બ્રિજ નંબર 711 પર એન્જિનિયરિંગ કામ માટે બ્લોકને કારણે 20 નવેમ્બર, 2024 ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે,…

ડીએપી ખાતર પૂરૂ પાડવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત

વાંકાનેર: હાલમાં વાંકાનેર વિસ્તારમાં ખેડૂતો શિયાળું પાક લેવાની તૈયારી કરી રહ્યા હોય, ત્યારે આવી તાતી જરૂરીયાતનાં સમયે જ સમગ્ર વિસ્તારમાં ડીએપી ખાતરની અછત સર્જાયેલ છે, જેથી આ બાબતે વાંકાનેર વિધાનસભા કોંગ્રેસ પ્રમુખ આબિદભાઈ ગઢવારા દ્વારા ખેડુતનાં વિશાળ હિતમાં ગુજરાત રાજ્યનાં…

તીથવા/ પાંચદ્વારકા સીમમાં સૌથી વધુ પવનચક્કીઓ

વાંકાનેર તાલુકામાં 72 પવનચક્કીઓ 3 મેગાવોટ 18 કરોડ 2 મેગાવોટ પવનચક્કીમાં 12 કરોડનું ખર્ચ પવનચક્કીની ઊંચાઈ 78 મીટર/ પાંખડા 65 મીટરના કોટડાનાયાણી પાસે 250 એકરમાં 100 મેગાવોલ્ટનો સોલાર પ્લાન્ટ હવે પછી સરધારકા, દલડી, પલાંસ, વાંકિયા, પંચાસિયામાં નિર્માણ થશે: ટોળમાં 5…

વાણંદ સમાજની જનરલ મીટીંગમાં હોદેદારોની વરણી

વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજની ગઈ કાલે તા.16/11/24 ને શનિવારનાં રોજ વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજ ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની જનરલ મીટીંગનું આયોજન વાંકાનેર વાણંદ સમાજના મંદિરે કરવામાં આવ્યું હતું.. આ જનરલ મિટિંગમાં તમાંમ સભ્યોની હાજરીમાં…

હડમતીયા (પાલનપીર ) ખાતે આજે નાટક/ કોમિક યોજાશે

વાંકાનેર: હડમતીયા (પાલનપીર )ખાતે તારીખ 16-11-2024 ને શનિવારના રોજ (આજે) રાત્રે 9:30 કલાકે શ્રી હડમતીયા સાંસ્ક્રુતિક યુવક મંડળ દ્વારા નાટક અને કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં… દુશ્મનોની ખાનદાની યાને જોગીદાસ ખુમાણ અને કોમિક ડાયાના દોઢ ડાયા રજૂ કરવામાં આવશે,…

Content Copying Forbidden !!

error: Content is protected !!