કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

કાનપર શાળાને ડોકટરના જન્મદિવસે ભેટ

સરપંચના દીકરી ડોક્ટર મિરાલ એમ. બાદીએ ભેટ આપી વાંકાનેર: કાનપર ગામના સરપંચશ્રી બાદી અસ્માબેન મહેબુબભાઇના દીકરી ડોક્ટર મિરાલબેન એમ. એ પોતાનો જન્મદિવસ જુદી જ રીતે ઉજવ્યો. શાળા સમય બાદ સહ પરિવાર સાથે શાળાએ આવી પોતાના જન્મદિવસે શાળાના બાળકો માટે કીમતી…

બી.આર.સી.ભવન ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

જોધપર, વઘાસિયા, વરડુસર અને લિંબાળા શાળાના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું વાંકાનેર: તા.૧૩/૦૯/૨૦૨૪ ના રોજ બી.આર.સી. ભવન વાંકાનેર ખાતે જી.સી.ઈ.આર.ટી. દ્વારા પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી માર્ગદર્શિત કલા ઉત્સવ યોજાયો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જે.જી. વોરાસાહેબ અને બી.આર.સી.કૉ.ઑ. મયૂરરાજસિંહ…

હવેથી 1951થી ખેડૂત ખાતેદારની ખરાઈ નહિ થાય

બિનખેતીમાં પણ હેરાનગતિ બંધ થશે જમીનના વેચાણની નોંધ દાખલ અને પ્રમાણિત કરવી સરળ બનશે વાંકાનેર: રાજ્ય સરકારે ખેતીની જમીનના વેચાણની નોંધ દાખલ કરવા અને પ્રમાણિત કરવાની કાર્યવાહી વધુ સરળ બને તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેના થકી જમીનના વેચાણના…

કણકોટ મુકામે વાનગી સ્પર્ધાનું આયોજન સંપન્ન

સ્પર્ધકોને સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા વાંકાનેર: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. પોષણ માસ સપ્ટેમ્બર 2024 અંતર્ગત વાંકાનેર ઘટક -૧ ના સિંધાવદર સેજામાં આવેલ…

વાંકાનેરના વીશીપરામાં ગટર જામ: પાલિકાને અર્પણ

નજીકની આંગણવાડીના ભૂલકાંઓના સ્વાસ્થ્યનું શું ?! દૂષિત પાણીનો રસ્તા પર જમેલો થઇ જતાં રોગચાળાની દહેશત વાંકાનેરમાં જ્યારથી વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી શહેરીજનોની માઠી દશા બેઠી છે. ધણીધોરી વગરની પાલિકામાં કોઈ પણ પ્રજાહિતના કામો કરવામાં તંત્રને જાણે કોઈ…

વાંકાનેર રાજપરિવાર ગજાનન મહારાજના દર્શને

રાજાશાહી ગયે તો સાત દાયકાથી વધુ સમય વીતી ગયો છતાં રાજાશાહીમાં જે રાજા પ્રજાવત્સલ રાજવીની છાપ છોડી ગયા તે રાજવીઓના વંશજોને પ્રજા આજે પણ પૂરું માન સન્માન આપે છે… આમ તો વાંકાનેરના પૂર્વ મહારાજ કુમાર શ્રી રણજીતસિંહજી (IAS, નિવૃત્ત) વર્ષોથી…

કડીવાર કુટુંબ (દાદી વાળા) ના તારલાઓના સન્માનનો કાર્યક્રમ

વાંકાનેર: વિસ્તારમાં વસતા કડીવાર કુટુંબ (દાદી વાળા) ના તેજસ્વી વિદ્યાર્થીઓ, નવી સરકારી નોકરી મેળવતા કર્મચારીઓ, નિવૃત્ત થતા સરકારી કર્મચારીઓ તેમજ હાજી સાહેબોનો સન્માન કાર્યક્રમ યોજવાનું નક્કી થયેલ છે, વધુ વિગત નીચે મુજબ છે…. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કડીવાર…

ઈદે મિલાદ અને ગણેશોત્સવ નિમિતે પોલીસતંત્ર એલર્ટ

SBI બેંકના કેશીયર જાડેજાને નિવૃત્તિ વિદાયમાન વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના અને નાયબ પોલીસ અધ્યક્ષકના માર્ગદર્શનથી વાંકાનેર શહેરના સીટી પીઆઈ એચવી ઘેલાની સૂચનાથી વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં પીએસઆઈ ડી.વી.કાનાણી સહિત સમગ્ર પોલીસ સ્ટાફ પરિસ્થિતિને ધ્યાન રાખી વિવિધ વિસ્તારોમાં…

VCE દ્વારા એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો બહિષ્કાર

DDO કામગીરી કરવા દબાણ આપતા હોવાનો આરોપ વાંકાનેર: મોરબી જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લાના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ એટલે કે VCE દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને…

ગણપતિ વિસર્જન જડેશ્વર મેળાના ગ્રાઉન્ડ પાસે જ કરવું

વાંકાનેર: હાલ સમગ્ર વાંકાનેર પંથકમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે ઠેર ઠેર જગ્યાએ પંડાલોમાં ગણેશ સ્થાપના કરી પુજન-અર્ચન કરવામાં આવી રહ્યા હોય, ત્યારે આગામી દિવસોમાં ગણપતિ વિસર્જન માટે મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય, જે અનુસંધાને વાંકાનેર નગરપાલિકા દ્વારા…

Content Copying Forbidden !!

error: Content is protected !!