કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

અડધા ફૂટથી વધારે લાંબો નખ ધરાવતો એક વાંકાનેરવાસી

વાંકાનેર: અહીંના એક વણિક આઘેડના ડાબા હાથના અંગૂઠાના નખની લંબાઈ અડધા ફૂટથી વધારે છે. વાંકાનેર વ્હરોવાડ શેરી નં 4 માં રહેતા 69 વર્ષના શાહ કપિલચંદ્ર રતિલાલને 1970 થી જ નખ વધારવાનો શોખ હતો, તેઓ આઠ ધોરણ પાસ છે અને હાલ…

મહારાણી સાહેબાના જન્મદિવસની ઉજવણી કરાઈ

વાંકાનેર: ગઈ કાલે વાંકાનેર મહારાણી સાહેબા શ્રીમતી કલ્પનાકુમારી રણજીતસિંહ ઝાલાનો 80 મો જન્મદિવસ ગાયત્રી હવન કરીને ઉજવણી કરી ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો દ્વારા રૂબરૂમાં શુભકામનાઓ પાઠવી હતી એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા…

મંદિર તોડવા બાબતે આંખનો ડોળો ફોડી નાખ્યો

ભોજપરા વાદી વસાહતમાં મદારીઓ વચ્ચે જામી પડી વાંકાનેર: ભોજપરા વાદી વસાહતમાં રહેતા એક શખ્સ પર મંદિર તોડી પડાયાનો ખાર રાખી પથ્થર-મારાથી આંખનો ડોળો ફોડી નાખ્યાની ફરિયાદ થઇ છે ફરિયાદી જાલમનાથ બાકનાથ બાંભણીયા / વાદી (મદારી) (ઉ.વ. ૨૮) રહે. વાદી વસાહત…

છોકરીની લેતી-દેતી બાબતે ઝઘડામાં માર પડયો

વાંકાનેર: ભોજપરા વાદી વસાહતમાં બે પ્રાઈવરો વચ્ચે છોકરીની લેતી-દેતી બાબતે ઘણા સમયથી ચાલતા ઝઘડાને કારણે શખ્સને માર માર્યાની ફરિયાદ થઇ છે ભોજપરા વાદી વસાહતમાં રહેતા અને ઈકો ડ્રાઇવિંગ કરતા ખોડુનાથ ગોરખનાથ ભાઠી / વાદી (મદારી) (ઉ.વ. ૩૧) વાળાએ ફરીયાદમાં લખાવેલ…

વિદ્યાર્થીઓને વધુમાં વધુ હોંશિયાર બનાવતી સ્કૂલ

એટલે સંસ્કૃતિ વિદ્યાલય શ્રેષ્ઠ શિક્ષણ…. શ્રેષ્ઠ પરિણામ….. શ્રેષ્ઠ સર્વાંગી વિકાસ…. સંસ્કૃતિ વિદ્યાલય / વિદ્યા પ્રાથમિક શાળા ધોરણ – 6,7,8, અને 9 માં પ્રવેશ ચાલુ.. પ્રવેશ તારીખ: 25/04/2024 થી શરુ ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે બસ સુવિધા મુસ્તાક સર Mo. 98254 43850…

વેપારી વર્ગના ત્રણ શખ્સો જુગાર રમતા પકડાયા

વાંકાનેર: નેશનલ હાઈવે જીનપરા જકાતનાકા પાસે જાહેરમાં નોટ નંબરીનો નશીબ આધારીત રૂપીયાની હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસ ખાતાએ પકડેલ છે આ અંગે પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ વાંકાનેર નેશનલ હાઈવે જીનપરા જકાતનાકા રાજ એન્ટરપ્રાઈઝ પાસેથી ત્રણ ઇસમો જાહેરમાં સામસામા…

મોદીનું બેનર રાતો રાત ઉતરી ગયું !

અર્જુનસિંહ વાળાની રજૂઆતની અસર વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલા રેલવે બ્રિજ પાસે એક વોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું. આ વોર્ડિંગ પર નરેન્દ્ર મોદીનું પ્રચાર કરતો બેનર લગાવવામાં આવ્યું હતું જેની સામે આમ આદમી પાર્ટીના યુવા કાર્યકર અર્જુનસિંહ વાળાએ આચારસંહિતાનો ભંગ થતો…

અરણીટીંબાના બે વ્યાજખોર પાસામાં પુરાયા

વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફાયરિંગ કરનાર બન્ને શખ્સને અલગ અલગ જેલમાં મોકલી આપાયા વાંકાનેર: તાલુકાના અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફાયરિંગ કરનાર બે શખ્સો વિરુદ્ધ લોકસભા ચૂંટણી અનુસંધાને પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટે બન્નેની દરખાસ્ત મંજુર કરતા વાંકાનેર…

ખૂનકેસના આરોપીને શરતી જામીન મળ્યા

વિઠ્ઠલપરના યુવાનનો અકસ્માત વાંકાનેર: સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચીને મરણજનાર મજુરને ચોર સમજીને તા.૧૨-૫-૨૩ ના રોજ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં દશામાઁ ના મંદિરે તેમજ ઈકો ગાડીમાં બેસાડી અલગ-અલગ જગ્યાઓએ તેમજ મચ્છુ નદીના પટમાં તેમજ…

શાંતિપૂર્ણ મતદાન કરવા ક્ષત્રિયોને અપીલ

રાજેન્દ્રસિંહ જાડેજા અને વજુભા ઝાલાનો પત્ર વાંકાનેર: હાલમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવે છે તેને લઈને અખિલ ગુજરાત યુવા સંઘ વાંકાનેર તાલુકાના પ્રમુખ અને વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા વાંકાનેર તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા માટેની આપીલ કરવામાં આવેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!