કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

આનંદો! વાંકાનેરને મળશે વંદે ભારત એક્સપ્રેસ

સપ્તાહમાં 6 દિવસ ચાલશે આ ટ્રેનના નંબર 22925/22926 રહેશે કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવશે વાંકાનેર: જામનગર, રાજકોટ, મોરબી અને વાંકાનેરના યાત્રિકોની સુવિધા માટે આગામી તા.24ને રવિવારના રોજ (કાલેથી) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ રહી છે. રેલ યાત્રાના…

દાણાપીઠ નજીક ઉઘરાણીના પૈસાની લૂંટ !

ભરબપોરે અંદાજીત 50થી 60 હજાર જેટલી રકમ લૂંટાઈ વાંકાનેરમાં ટ્રાફિકથી ધમધમતા દાણાપીઠ વિસ્તારમાં આજે ભરબપોરે દિન દહાડે ઉઘરાણી પતાવી આવી રહેલા વેપારી પેઢીના કર્મચારીના થેલામાં રહેલા પાકીટ છીનવી લૂંટારું લૂંટ કરી નાસી જતા સનસનાટી મચી જવા પામી છે. મળેલ માહિતી…

વાર્તા કથન સ્પર્ધામાં દ્વિતીય સ્થાને

જિલ્લા કક્ષાની રાણેકપર ગામની વિધાર્થીનીનો ઉત્કર્ષ દેખાવ વાંકાનેર : શિક્ષણ વિભાગ- ગાંધીનગર તેમજ જીસીઇઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન આયોજિત નિપુણ ભારત મિશન અંતર્ગત દેસાદયા માધ્યમિક શાળા લજાઈ ખાતે મોરબી જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રારંભિક…

ક્લાર્કની બદલીના ઓર્ડર કરતા કલેકટર

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા ક્લાર્કની જિલ્લા કલેકટર દ્વારા બદલીઓ કરવામાં આવી છે. જેમાં કલેકટર કચેરી, પ્રાંત તેમજ મામલતદાર કચેરીઓ ખાતે ફરજ બજાવતા 18 ક્લાર્કના બદલીના ઓર્ડર થયા છે, જેમાં વાંકાનેરના નીચે મુજબનો…

તાલુકાના વિકાસકામોના ટેન્ડર બહાર પડયા

જામસર ચોકડી-વીરપુર પાટિયા રોડ, મેસરીયા અને ઠીકરીયાળા નાની સિંચાઈ યોજના અને ઘીયાવડ (ઈશ્વરીયા નેશ) ખાતે પંપ રૂમના બાંધકામનો સમાવેશ વાંકાનેર તાલુકાના નીચે મુજબના ચાર વિકાસકામોના ટેન્ડર બહાર પડ્યા છે. એસ્ટીમેન્ટ, ટેન્ડર ભરવાની છેલ્લી તારીખની વિગત નીચે મુજબ છે. જામસર ચોકડી-વીરપુર…

આપઘાત કેસમાં પતિ વિરુદ્ધ ફરિયાદ

એક મહિના પૂર્વે બનેલ બનાવ મામલે તાલુકા પોલીસ મથકમાં માતાએ ફરિયાદ કરી વાંકાનેર : તાલુકાના લાકડધાર ઢુવા માટેલ રોડ ઉપર આવેલ સેન્ટોસા કારખાનાની લેબર કોલોનીમાં એકાદ માસ પૂર્વે ઓરિસ્સાની વતની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવ અંગે મૃતકના…

નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે

જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા ૨૭ સુધીમાં ફોર્મ પહોંચાડવું વાંકાનેર: રમત – ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી , ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી…

આલીમોની હાજરીમાં મસ્‍જીદે રઝાનું ઉદ્‌ઘાટન

કાલે જુમ્‍માની નમાઝના સમયે આ મસ્‍જીદે રઝાનું ઉદ્‌ઘાટન થશે વાંકાનેર: વાંકાનેર ભાટીયા સોસાયટી કેજીએનનગરમાં નવી મસ્‍જીદ બનતા આ નવી મસ્‍જીદ મસ્‍જીદે રઝાના ઉદ્‌ઘાટન પ્રસંગે આજે સાંજે ન્‍યાઝ અને રાત્રે તકરીરનો પ્રોગ્રામ રખાયેલ છે. જ્‍યારે આવતીકાલે મસ્‍જીદે રઝાના ઉદ્‌ઘાટન પ્રસંગે જામનગરના…

મારામારીમાં ઇજા થતા વૃદ્ધા સારવારમાં

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાને મારામારીમાં ઇજા થવાનો બનાવ બન્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી મુજબ હંસાબેન બલુભાઈ ભોજવીયા નામના ૫૦ વર્ષના વૃદ્ધાને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.…

ઇકો ચાલકને માઝા પીવડાવી લૂંટી લેવાયો

મોરબી બહેનને તેડવા આવતા મુસાફરના સ્વાંગમાં બેઠેલા બે ગઠિયા ભેટી ગયા વઘાસીયા ટોલનાકા નજીકથી બેભાન હાલતમાં મળી આવ્યા બાદ ભાનમાં આવતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ચકચારી બનાવ અંગે ફરિયાદ વાંકાનેર : સુરેન્દ્રનગરથી લીમડી વચ્ચે મુસાફરોના ફેરા કરતો ઇકો ચાલક મોરબી…

Content Copying Forbidden !!

error: Content is protected !!