કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

સંસ્કૃતિ વિદ્યાલયમાં નશાકારક બાબતો/ રોડ સેફટી અંગે સેમિનાર

વાંકાનેર: આજ રોજ સંસ્કૃતિ વિદ્યાલય – વાંકાનેર ખાતે નશાકારક બાબતો અને રોડ સેફટી અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું… જીલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી થી AEI બાદી સાહેબ દ્વારા વાંકાનેર વિસ્તારમાં નશાકારક અને રોડ સેફટી અંગેની વિદ્યાર્થીઓને જ્ઞાન અને સમજણ…

વાંકાનેર પો.સ્ટે.ના ગુનાનો ફરાર આરોપી પકડાયો

ઘુનડા ગામે શેરીમાંથી નીકળવું નહીં તેવું કહીને યુવાનને મારી નાખવાની ધમકી વઢવાણ: પોલીસ અધિક્ષક ડો. ગીરીશ પંડ્યાએ જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુરેન્દ્રનગર જીલ્લામાં પેટ્રોલીંગ કરી નાસતા ફરતા આરોપીઓ બાબતે હકીકતો મેળવી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરીને જરુરી સુચના…

તીથવાનો શખ્સ જામનગરમાંથી ઝડપાયો: ચોરીની કબૂલાત

જામનગર: શહેરમા દિજામ સર્કલ, અંધાશ્રમ પુલ નીચેથી આરોપી મહેબુબભાઈ અલાઉદીન રહે. કોઠારીયા સોલવન્ટ, બરકતનગર, શેરી નંબર-૧૩, સુંદરમ સ્કુલની બાજુમાં રાજકોટ મુળ- તીથવા ગામ તા.વાકાનેર વાળાના કબ્જાની ઇકો કારમાંથી ચોરાઉ અલગ અલગ કંપનીની બેટરી નંગ-૧૦ કિ.રૂ. ૫૦,૦૦૦/- તથા ઇકો કાર કિ.રૂ.…

નગમાની લાશના ટુકડા નાખ્યા તેની પોલીસને ભાળ મળી

12 હત્યા કરનાર સિરિયલ કિલર આરોપીની બહેન અને તેના પુત્ર શક્તિએ લાશના ટુકડા વાંકાનેરમાં દાટ્યા હતા પોલીસ બુધવારના રોજ તે સ્થળ પર તપાસ કરશે વાંકાનેર: નગમા નામની યુવતીની હત્યા બાદ વાંકાનેરમાં લાશના ટુકડા નાખ્યા હતા તે કેસમાં સિરિયલ કિલર નવલસિંહને…

તૂટેલો પંચાસર પુલ: આગેવાનો ક્યાં સુતા છે?

સાડા ત્રણ મહિને ટેન્ડર નીકળ્યું ! વાંકાનેર: વાંકાનેર બાયપાસ રોડ પર પંચાસર પાસે મચ્છુ નદી ઉપરનો પુલ ઓગષ્ટના છેલ્લા અઠવાડિયામાં તૂટેલો, આ ઘટનાને સાડા ત્રણ મહિના થઇ ગયા, ત્યારથી ભારે મોટા તોતિંગ વાહનો વાંકાનેર શહેરમાંથી પસાર થઇ રહ્યા છે, જેના…

અરુણોદય સોસાયટી/ હસનપરમાં પોલીસનું માર્ગદર્શન

વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા અરુણોદય સોસાયટી અને હસનપર ગ્રામ્ય વિસ્તારમાં વાંકાનેર સીટી પોલીસ ટીમના પીએસઆઇ ડી.વી. કાનાણી અને પીએસઆઇ કે.વી. મહેશ્વરીએ વિઝીટ કરી હતી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને કોમ્પ્યુટર મોબાઇલ યુગમાં ફ્રોડ ચીટીંગ હનીટ્રેપ જેવા ગુનાઓથી સતત સાવધાન રહેવા…

પલાંસના બે શખ્સો સામે માર માર્યાની ફરિયાદ

રીક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે માથાકૂટ વાંકાનેર: જાણવા મળતી માહિતી મુજબ મૂળ ચોટીલામાં આવેલ ઘાંચીવાડાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છુનગરમાં રહેતા ભીખાભાઈ નાજાભાઈ ચૌહાણ (52)એ હાલમાં કાળુ પરબતભાઈ ભરવાડ અને ભુરા પરબતભાઈ ભરવાડ રહે. બંને પલાસ…

રાતીદેવરીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં માર

વાંકાનેર: રાતીદેવરી ગામના ઘર પાસે ગાળો બોલતા શખ્સને ગાળો બોલવાની ના પાડી હતી જે તેને સારું ન લાગતાં યુવાન તથા અન્ય લોકોને ગાળો આપીને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ…

મોરબી જિલ્લામાં પોલીસ ખાતામાં મોટા પાયે બદલીઓ

વાંકાનેર તાલુકામાંથી 20 અને ટંકારામાંથી 18 કાર્મચારીઓનો સમાવેશ મોરબીમાં સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા લજાઈ પાસેના હાઈપ્રોફાઈલ જુગારધામમાં ગેરરીતિની તપાસ કર્યા બાદ બે સ્થળોએ દરોડા પાડયા હોય, સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. તેવામાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ…

ગુંદાખડાની પરણીતાએ ઝેરી દવા પી લેતા મોત

હડમતીયામાં મહિલાને માર વાંકાનેર: તાલુકાના ગુંદાખડા ગામે રહેતી પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની પોલીસને જાણ…

Content Copying Forbidden !!

error: Content is protected !!