અમદાવાદ શહેરમાં વર્ષ 2022માં નાગરિકોને શ્વાન કરડવાના કુલ 58668 કેસ નોંધાયા હતા જે વર્ષ 2021ની સરખામણીમાં 7457 વધારે હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2022માં સૌથી વધારે કેસ ડિસેમ્બરમાં 5880 નોંધાયા
હતા. જ્યારે વર્ષ 2020-21માં લોકડાઉનને કારણે કેસ માં ઘટાડો જોવા મળ્યો હતા. વર્ષ 2019માં 65,881 કેસો નોંધાયા હતા. જ્યારે વર્ષ 2020માં 51,224 અને વર્ષ 2021માં 50, 668 કેસો નોંધાયા હતા. જોકે, વર્ષ 2022 સામાન્ય વર્ષ રહેતા શ્વાન કરડવાના કેસમાં વધારો
જોવા મળ્યો હતો. મોટાભાગે નવેમ્બરથી ફેબ્રુઆરીમાં શ્વાન કરડવાના કેસ વધે છે કારણકે ત્યારે શ્વાન બચ્ચાને જન્મ આપતી હોવાથી પોતાના બચ્ચાની રક્ષા કરવા માટે તે સતેજ બનતી હોય છે.
Menu Close
Latest News
Menu Close
Latest News
Menu Close