કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ધોરણ 6 થી 8 ના શિક્ષકોના પડતર પ્રશ્નો સ્નેહમિલન યોજાયું

ધોરણ 6 થી 8 ના શિક્ષકોના પડતર પ્રશ્નો સ્નેહમિલન યોજાયું

₹ 4200 ગ્રેડ પેની માંગને વધુ બળ આપવાનો હેતુ

મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8 માં ફરજ બજાવતા શિક્ષકોના પડતર પ્રશ્નો અને ₹4200 ગ્રેડ પેની લાંબા સમયથી ચાલી રહેલી ન્યાયિક માંગને વધુ બળ આપવા માટે એક ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લાના શિક્ષકોએ એકજૂથ થઈને પોતાની સૂર બુલંદ કર્યો હતો.

આ સ્નેહમિલન કાર્યક્રમમાં મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકોની આ વાજબી રજૂઆતને રાજ્ય સરકાર સુધી ધારદાર રીતે પહોંચાડવાના આશયથી ‘ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ’ તેમજ ‘રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ’ના હોદ્દેદારોને વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા હતા.

હોદ્દેદારો સમક્ષ વેદના અને રજૂઆત:
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ધોરણ 6 થી 8 ના શિક્ષકોએ ₹4200 ગ્રેડ પે તેમનો હક હોવાની રજૂઆત તથ્યો સાથે સંઘના હોદ્દેદારો સમક્ષ મૂકી હતી. શિક્ષકોની રજૂઆતો અને લાગણીઓને હોદ્દેદારોએ ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમણે ખાતરી આપી હતી કે, આ પ્રશ્નને રાજ્ય કક્ષાએ સક્ષમ સત્તાધીશો સમક્ષ યોગ્ય મંચ પર રજૂ કરીને તેનો સકારાત્મક ઉકેલ લાવવા માટે સંઘ કટિબદ્ધ છે.
આગામી રણનીતિ અંગે ચર્ચા:
આ પ્રસંગે આગામી દિવસોમાં જિલ્લા તેમજ રાજ્ય સ્તરે આ માંગણીને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા માટે સુનિયોજિત આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તમામ શિક્ષકોએ સંગઠન શક્તિ, પરસ્પર સહયોગ અને શિક્ષક એકતાને વધુ મજબૂત કરવાનો દ્રઢ સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના અંતે, તમામ ઉપસ્થિત શિક્ષકોએ પૂર્ણ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે તેમની વર્ષો જૂની અને વાજબી માંગણીને રાજ્ય સરકાર સ્તરે યોગ્ય ન્યાય મળશે અને ટૂંક સમયમાં જ સરકાર દ્વારા આ અંગે કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!