વાંકાનેર: આજ રોજ નાઈ વાણંદ સમાજના સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની 726 મી જન્મજ્યંતી ઉજવણી નિમિતે શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર દ્વારા શ્રી સેન મહારાજની પૂજા અર્ચના બાદ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો, 



આ કાર્યક્રમમાં વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના પ્રમુખ શ્રી ખીમજીભાઈ રાછડીયા, ઉપપ્રમુખશ્રી જયેશભાઇ પરમાર અને મંત્રી શ્રી રસિકભાઈ ખોરજા તેમજ શ્રી સેન યુવા સંગઠનના સભ્યો તેમજ વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના સભ્યો હાજર રહ્યા હતા…

