કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category શૈક્ષણિક

BREAKING:ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરિણામ

રાજ્યના વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવી ગયો છે. આજે ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. બોર્ડના પરિણામની સાથે-સાથે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર થયું છે. બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ gseb.org…

વાંકાનેર તાલુકાના મ. ભો. કેન્દ્રોમાં ભરતી જાહેર

સંચાલક, રસોયા અને મદદનીશ માટે ઉમેદવારોએ અરજી મોકલી આપવાની રહેશે વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારે નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં સંચાલક તરીકે ૨૧, રસોઇયા તરીકે…

ગોલ્ડ મેડલ વિજેતા બે વિદ્યાર્થીનીઓનું સન્માન થશે

૪૦ જેટલા વિદ્યાર્થી ભાઇઓ-બહેનોને પદવી અને વિવિધ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવનાર ૧૫ વિદ્યાર્થી ભાઇઓ-બહેનોનું પણ સન્માન થશે વાંકાનેર: ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલીત ડો. આંબેડકર ઓન યુનિવર્સિટી અંતર્ગત શ્રીમતી કુમુદબેન પ્રવિણચંદ્ર મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની બે વિદ્યાર્થીનીઓને યુનિવર્સિટીમાં કોમર્સ…

આરટીઇ હેઠળ પ્રવેશમાં આંગણવાડી સર્ટિફિકેટનું નવુ કૌભાંડ

જો જો ! વાંકાનેરની આંગણવાડીમાં પણ પોલીસ તપાસનો રેલો ન આવી જાય ! વ્યાપ એટલો મોટો છે કે સૂરત પછી જો રાજ્ય કક્ષાએ સરકાર તપાસનો નિર્ણય કરે તો નવાઈ નહિ ‘ગુજરાત સમાચાર’નો અહેવાલ જણાવે છે કે રાઇટ ટુ એજયુકેશન એકટ…

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. આઠમા દિક્ષાંત સમારોહમાં વાંકાનેરની બે વિધાર્થીનીઓને ગોલ્ડ મેડલ એનાયત

રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં અબ્દુલભાઇ ગેલેક્સીની દિકરી બાદી રીઝવાનાબેન અને ચાવડા રસીલાબેનને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિતે ગઇકાલે ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. (A++)નો આઠમા દીક્ષાંત સમારોહ(પદવીદાન સમારોહ) યોજાયો હતો, જેમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી…

મદની પ્રાયમરી સ્કૂલ & હાઇસ્કૂલને શિક્ષકો જોઈએ છે

વાંકાનેર તાલુકાની સિંધાવદર ખાતે આવેલી મદની પ્રાયમરી સ્કૂલ & હાઇસ્કૂલને અંગ્રેજી તથા ગણિતના શિક્ષકોની જરૂર છે. આ માટે ઓફિસ ટાઈમ સવારે 10 થી 5 વાગ્યા સુધી 99093 54614 ઉપર સંપર્ક કરી રૂબરૂ આવવા જણાવાયું છે. વધુ વિગત એમના ઉપરના પત્રમાં…

રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત મોરબી જીલ્લામાં ૮૯૪૧ વિદ્યાર્થીઓએ ફ્રી શિક્ષણનો લાભ લીધો

વાંકાનેરની ૩૦ શાળાઓનો સમાવેશ: ૧૦.૨૭ કરોડ જેટલી ફી શાળાઓને ચૂકવી અંદાજિત ૨.૭૦ કરોડ રૂપિયા ગણવેશ તથા અન્ય સહાય રૂપે વિદ્યાર્થીઓને ચૂકવ્યા વાંકાનેર: શિક્ષણને વધુ પ્રાધાન્ય આપી રાજ્ય સરકાર દ્વારા વર્તમાન બજેટમાં રૂ.૪૩,૬૫૧ કરોડની સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે. ગરીબ…

કેરાળામાં શાળાના આચાર્યની બદલી થતા વિધાર્થિનીઓ રડી પડી

કર્મનિષ્ઠ આચાર્ય બોસિયાની બદલી થતા વિદ્યાર્થીઓએ ભીની આંખે વિદાય આપી વાંકાનેર તાલુકાના કેરાળા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા શાળાના વિદ્યાર્થીઓએ ભીની આંખે પોતાના પ્રિન્સીપાલને વિદાય આપી હતી, કેટલીક વિદ્યાર્થીનીઓ ચોધાર આંસુએ રડી પડી હતી.  વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામે ૫ વર્ષ…

ઘીયાવડ શાળામાં સ્વર્ગસ્થના સ્મરણાર્થે દાનની સરવાણી

સ્વર્ગસ્થ માતાના સ્મરણાર્થે ખુરશી અને ડ્રોઅરટેબલ ભેટ આપતા ગિરિરાજસિંહ ઝાલા વાંકાનેર : વાંકાનેરના ઘીયાવડમાં પોતાના સ્વર્ગસ્થ માતાના સ્મરણાર્થે સીઆરસી જુના કણકોટની ઘીયાવડ પ્રાથમિક શાળામાં 16 ખુરશી અને 4 ડ્રોઅરટેબલ ભેટમાં આપવામાં આવ્યા હતા. વાંકાનેરની ઘીયાવડ શાળામાં ગિરિરાજસિંહ ભૂપતસિંહ ઝાલાએ સ્વર્ગસ્થ…

આવતી કાલથી ધો. 10 અને 12 ની પરીક્ષા શરુ થશે

ધો.10ના સિધાવદર, ચંદ્રપુર, પીપળીયારાજ, વાંકાનેર આદર્શ સેન્ટરનો અને ઘો.12 સામાન્ય પ્રવાહમાં વાંકાનેરનો સમાવેશ મોરબી જિલ્લામાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં કુલ 80 સ્થળો, 17 સેન્ટર અને 825 બ્લોકમાં 23587 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે -કુલ 1647નો સ્ટાફ પરીક્ષા કાર્ય માટે ફાળાવ્યો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!