કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ટંકારા ગુનામાં ફરાર આરોપી વાંકાનેરથી ઝડપાયો

ટંકારા ગુનામાં ફરાર આરોપી વાંકાનેરથી ઝડપાયો

કુંભારપરા વિસ્તારમાં આવેલ એક મકાનમાંથી મળી આવ્યો

વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જમીન પચાવી પાડવાના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા એક આરોપીને મોરબી એલ.સી.બી. અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની વિગત મુજબ, ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો નાસતો-ફરતો આરોપી અલ્તાફ અલીશા સરવદી (ઉંમર વર્ષ 29) જે મૂળ ટંકારાના જીવાપરનો વતની છે અને હાલ રાજકોટના ભવાની ચોક, દેવપરા શેરી નં-3 માં રહે છે, તે વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં આવેલ એક મકાને આવ્યો હોવાની ચોક્કસ અને ભરોસાપાત્ર ખાનગી માહિતી પોલીસ ટીમને મળી હતી. આ હકીકતના આધારે પોલીસે તાત્કાલિક તે સ્થળે જઈને તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો. પોલીસે તેને પકડી પાડી, કસ્ટડીમાં લઈને આગળની ઘટિત કાર્યવાહી માટે ટંકારા પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!