વાંકાનેર : તાલુકાના કાશીપર ગામે રહેતા અને ખેતીકામ કરતા પરિણીતા ગઈકાલે કાશીપર ગામની સીમમાં રેલવે ટ્રેક પર ચાલીને જતા હતા ત્યારે ટ્રેન હડફેટે મૃત્યુ નીપજ્યું હતું.



જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા અને ખેતીકામ કરતા સવિતાબેન ઉર્ફે ભાનુબેન વિનાભાઈ ઉર્ફે વિનોદભાઈ ધોરીયા ઉ.35 નામના પરિણીતા ગઈકાલે કાશીપર ગામની સીમમાં બે નાલી તરીકે ઓળખાતી સીમમાં રેલવે ટ્રેક પર ચાલીને જતા હતા ત્યારે અચાનક ટ્રેન હડફેટે આવી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે….

