કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર મંજૂર

વીજચોરીના કેસમાં લુણસરના શખ્સનો નિર્દોષ છુટકારો

મોરબીમાં પી.જી.વી.સી.એલ. વીજચોરીના કેસમાં નિર્દોષ છુટકારો કરવા કોર્ટે હુકમ કરેલ છે. આ બાબતે આક્ષેપીત અશ્વીનભાઈ સોંડાભાઈ વાટુકીયાના એડવોકેટ કરમશીભાઈ પરમારના જણાવ્યા પ્રમાણે મોરબીના વાંકાનેર તાલુકા રૂરલ-૨ સબ ડીવીઝન, પી.જી.વી.સી.એલ. કચેરીએ આરોપી અશ્વીનભાઈ સોંડાભાઈ વાટુકીયા, રહે.લુણસર તા.વાંકાનેર, જી.મોરબી. સામે વીજ ચોરીની ફરીયાદ કરેલ જે ઈન્ડીયન ઈલેક્ટ્રીસીટી એકટ ૨૦૦૩ ની કલમ ૧૩૫ મુજબ દાખલ કરવામાં આવેલ હતી.

આ કામે અશ્વીનભાઈ સામે ચાર્જશીટ થતા સ્પે.ઈલેક્ટ્રીસીટી કેસ નંબર ૩૪/૨૦ થી વીજચોરીનો કેસ અશ્વીન સોંડાભાઈ વાટુકીયા સામે થયો હતો. જે કેસ સ્પેશ્યલ ઈલેક્ટ્રીસીટી કોર્ટ મોરબીના મહે. સેકન્ડ એડીસ્નલ એન્ડ શેશન્સ જજ સાહેબ શ્રી નાદપરા સાહેબની કોર્ટમાં ચાલી જતાં આરોપીનાં એડવોકેટ કરમશી ડી.પરમારે દલીલો કરીને ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટો રજુ કર્યા હતા. તેને ધ્યાને લઈને અશ્વીન સોંડાભાઈ વાટુકીયાને તા.૨૦-૮-૨૫ ના રોજ નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો કોર્ટએ હુકમ ફરમાવેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!