વાંકાનેર : તાલુકાના ઢુવા ઓવરબ્રિજ પાસે રહેતા એક યુવકે પોતાની પત્નીએ સમયસર રસોઈ બનાવી ન હોવાથી આ વાતનું મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે…




જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ઓવરબ્રિજ પાસે રહેતા સંજીત મરજીતભાઈ પાસલા (ઉ.22) નામના યુવકના પત્નીએ સમયસર રસોઈ બનાવી ન હોવાથી આ વાતનું મનમાં લાગી આવતા યુવાને લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ જીવનદોરી ટૂંકાવી લીધી હતી, આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…

