કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

માટેલ રોડ પર ફેકટરીમાં યુવાનનો ગળેફાંસો

માટેલ રોડ પર ફેકટરીમાં યુવાનનો ગળેફાંસો

જે છોકરી સાથે સગાઈ થઇ હતી તે ગમતી નહોતી

વાંકાનેર : તાલુકાના માટેલ રોડ પર આવેલ ફેકટરીમાં મૂળ બિહારના વતનીને સગાઈ થઈ ગઈ હોય પરંતુ છોકરી પસંદ નહિ હોવાથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ સુઝોરો સિરામિક ફેકટરીમાં રહેતા અને અહીં જ કામ કરતા મૂળ બિહારના વતની અજિતકુમાર રામઅયોધ્યા મહંતો (ઉ.21) ની તેમના વતનમાં સગાઈ થઈ ગઈ હોય પરંતુ છોકરી પસંદ નહિ હોવાથી યુવક ચિંતામાં રહેતો હતો જેમાં ટૂંક સમયમાં લગ્ન થવાના હોવાથી ટેંશનમાં આવી ગયેલા યુવાને ફેકટરીના લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!