બે યુવાનોને ઇજા
વાંકાનેર: અહીં બે યુવાનો ચંદ્રપુર બીજ પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇકને કોઈ કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો…





પ્રાથમિક માહિતી મુજબ વાંકાનેર ખાતે રહેતા મનીષભાઈ સુરેશભાઈ બિનવાલ (ઉ.30) અને ઉદેશી કાળુભાઈ બિનવાલ (ઉ.26) નામના બે યુવાનો ચંદ્રપુર બીજ પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇકને કોઈ કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં બંને યુવાનોને ઇજા થઈ હોવાથી બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે..
વહેલી સવારે બનેલ આ ઘટનામાં અકસ્માતમાં કાર હાઇવે પર રોડ પર આવેલ સિમેન્ટ મટિરિયલ્સની આઇટમ્સ સાથે ટકરાતા 40 થી 45 હજારનું નુકશાન થયાની જાણકારી મળી છે….

