કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category બાંધકામ

પંચાસીયા ગામના લોકોનું ઝકાત અંગે સરાહનીય કાર્ય

વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામના કર્ઝદાર લોકો માટે જુમ્મા મસ્જિદે રમજાનમાં ફકત પંચાસીયાના જ લોકો પાસેથી ઝકાત એકઠી કરી હતી, તેમા રૂ. 3,25,500 થયા કારણ કે પહેલુ વર્ષ અને નિર્ણય મોડો થયો હતો, એટલે પ્રમાણમાં ઓછા થયા, તેમાં થી 2 વ્યક્તિઓને…

દીઘલિયા શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ

વાંકાનેર: તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં તા.૦૩/૦૪/૨૦૨૫, ગુરુવારના રોજ ધોરણ -૮ ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો. ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ કેક કાપીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધોરણ-૮ ની વિદ્યાર્થિનીઓએ વિદાય ગીત રજૂ કર્યું હતું. શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ વિદ્યાર્થીઓને…

મકતાનપર રોડના નવીનીકરણમાં લોટ-પાણીને લાકડા

વાંકાનેર: તાલુકામાં ચાલતા રોડના કામોમાં લોટ-પાણીને લાકડા ની યુક્તિ મુજબ કામ કરી કોન્ટ્રાકટર બિલ લઇ જતા રહે છે, પાછળથી નબળા કામોના કારણે તૂટેલા રોડના કારણે સ્થાનિક લોકોને ભગવવાનું આવે છે, તાલુકાનાં મકતાનપર ગામ ખાતે મોરબી જિલ્લા પંચાયત હસ્તક ડામર રોડના…

અમરસર ગામે ICDS નો બહેનો માટે કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: આઇસીડીએસ વાંકાનેર ઘટક એકના અમરસર ગામે ગઈ કાલે અટલ સ્વાન્ત: સુખાય યોજનાના પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયેલ, જેમાં સગર્ભા બહેનોને તેમના આરોગ્ય, પોષણ, યોગ, ધ્યાન હળવા વ્યાયાયામ વગેરે વિશે માહિતી આપેલ તેમજ ગર્ભ સંસ્કાર કરાવવા માટે પ્રેરિત…

મહાવીર જન્મ કલ્યાણક દિવસ નિમિતે પ્રસાદી લેવા આમંત્રણ

વાંકાનેર: સેવાકાર્ય સાથે સંકળાયેલ વાંકાનેર નું એક ખાસ ગ્રુપ AAA GROUP WANKANER દ્વારા સમગ્ર વાંકાનેર તાલુકાની અને શહેરની પ્રેમાળ જનતાને તા. 10/04/2025 ને ગુરુવારના રોજ મહાવીર જન્મ કલ્યાણક દિવસ નિમિતે સવારે 10.30 થી 1.00 વાગ્યા સુધી લાડુની પ્રભાવના (પ્રસાદી) નો…

વાંકાનેર ખાતે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજાયું

વાંકાનેર: માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે, વાંકાનેર ખાતે દર મહિનાના પહેલા રવિવારે શિક્ષકો અને યુવકો દ્વારા નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. તા.૦૬/૦૪/૨૦૨૫, રવિવારના રોજ જિતેન્દ્રભાઈ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, અતુલભાઈ બુદ્ધદેવ, યજ્ઞેશભાઈ ભટ્ટ, દર્શનાબેન…

મોરબી જિલ્લાના ૩ PSI ની PI તરીકે હંગામી બઢતી

ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા ૩૩ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-૩ને પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-૨ના હોદ્દા પર તદ્દન હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. આ અંગે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા સત્તાવાર હુકમ જારી કરવામાં આવ્યો છે. હુકમમાં…

વાંકાનેર તાલુકામાં રાણેકપર પંચાયત શ્રેષ્ઠ જાહેર થઇ

વાંકાનેર: ગુજરાત સરકાર શ્રેષ્ઠ પંચાયતની પસંદગી કરતી હોય છે, વર્ષ 2024-25 માટેની મોરબી જિલ્લાની પંચાયતોની પસંદગી જાહેર થઇ છે…. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે રાણેકપર ગ્રામ પંચાયતને વાંકાનેર તાલુકાની શ્રેષ્ઠ પંચાયત તરીકે જાહેર કરીને સરપંચ હુસેનભાઈ શેરસીયાને ગ્રામના વિકાસ…

ખેડૂતોને હવે તળાવમાં માટી ઉપાડવા મંજૂરીની જરૂર નહિં

સરકારે પરિપત્ર કર્યો જળસંગ્રહ માટે ખેડૂતો કોઈ રોયલ્ટી કે પરવાનગી વગર માટી લઈ શકે છે અમરેલી જિલ્લાના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંઘાડ દ્વારા તા.૧૩/૦૨/૨૨ના રોજ સરકારના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લેખિત રજુવાત કરી ખેડૂતોને જળ સંચય અભિયાન અંતર્ગત તળાવો, ચેકડેમમાંથી માટી…

જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારીઓનું સ્નેહમિલન

તા. ૨૬/૪/૨૫(શનિવાર)ના રોજ વાંકાનેર અને ટંકારા તાલુકા માટે રજીસ્ટ્રેશન ક્યાં કરાવશો? વાંકાનેર: મોરબી જિલ્લા એસ.સી. કર્મચારી મિત્રોના પરિવારીક સંબંધો વિકસે અને એક બીજાને મદદરૂપ થઈ શકે એ હેતુથી કર્મચારી મિત્રોનું ચતુર્થ પરિવારીક સ્નેહમિલન તા. ૨૬/૪/૨૫(શનિવાર)ના રોજ યોજાવા જઈ રહ્યું છે……

Content Copying Forbidden !!

error: Content is protected !!