ભાટિયા સોસાયટીનો રહેવાસી
વાંકાનેર : અહીં ભાટિયા સોસાયટીમાં રહેતો એક કેદી પેરોલ પર મુક્ત થયા બાદ પેરોલની શરત ફરી હાજર ન થતા ફરિયાદ નોંધાવવામાં આવી છે.



જાણવા મળ્યા મુજબ રાજકોટની મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતો કેદી ફિરોઝભાઈ અબ્દુલભાઈ બેલીમ હાઇકોર્ટના હુકમ મુજબ પેરોલ પર મુક્ત થયા બાદ પેરોલની શરત મુજબ તા. 10 એપ્રિલના રોજ જેલમાં ફરી હાજર ન થતા રાજકોટ જેલના જેલર કે.જી.સીસોદીયા દ્વારા વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે…

