રાજકોટ રેલનગરમાં રહેતા કાકા માનસિક અસ્વસ્થ
વીશીપરામાં ભત્રીજા જનકભાઇના ઘરે આંટો મારવા આવ્યા હતા
વાંકાનેર: રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢે માનસિક બિમારીથી કંટાળી વાંકાનેર ભત્રીજાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.







જાણવા મળતી પ્રાથમિક વિગત મુજબ રાજકોટ રેલનગરમાં છત્રપતી શિવાજી ટાઉનશીપમાં રહેતા ચમનભાઇ શિવાભાઇ પરમાર (ઉ.વ.60) નામના પ્રૌઢે બે દિવસથી વાંકાનેર વીશીપરા વિસ્તારમાં રહેતા તેના ભત્રીજા જનકભાઇના ઘરે આંટો મારવા આવ્યા હતા. જયા તેમણે આજે સવારે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી વાંકાનેર સિટી પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં પ્રૌઢને માનસિક બિમારી હોય જેનાથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યુ છે…

